(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવસારી, તા.12: અમૃત આવાસોત્સવ કાર્યક્રમ અંતર્ગત ગણદેવીના ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના હસ્તે ચીખલી તાલુકાના ગોડથલ ગામના પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી શ્રી સંજયભાઈ પ્રવીણભાઈ પટેલને ચાવી આપી ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે ચીખલી તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન ગાંવિત, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અમિતાબેન પટેલ, ચીખલી પ્રાંત અધિકારીશ્રી અમિતભાઈ ચૌધરી, ચીખલી તાલુકા વિકાસ અધિકારીશ્રી, મામલતદારશ્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.