કોવિડ-19 અટકાયતી પગલાં સંબંધી સોશિયલ ડિસ્ટન્સિંગ તથા માસ્ક પહેરવાના સરકારના નિયમોના ધજાગરા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.02
આજરોજ તારીખ 2જી ફેબ્રુઆરી 2022ના રોજ દિલ્હીથી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર અર્થવ્યવસ્થા અંગેનું સંબોધન કર્યુ હતું. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આત્મનિર્ભર અર્થતંત્રના સંબોધનને સાંભળવાનો કાર્યક્રમ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રભારી શ્રીનવીનભાઈ પટેલ અને દમણ જિલ્લા સંયોજક શ્રી અસ્પી દમણિયાની આગેવાની હેઠળ દમણ જિલ્લામાં ચાર અલગ-અલગ સ્થળોએ યોજાયો હતો. દુણેઠા મંડળમાં ડયુન્સ રેસીડેન્સી, શહેર મંડળમાં કાટેલા પાર્ટી પ્લોટ, સોમનાથ મંડળમાં ડીઆઈએ કચેરી સોમનાથ અને ભેસલોરમાં રાખવામાં આવ્યો હતો. જેમાં તમામ મંડળોએ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીને લાઈવ સાંભળ્યા હતા.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારત, રોજગાર, ખેડૂતો માટે સબસિડી વધારવામાં આવી, મહિલાઓને ઘરની માલિકીનો હક, નાર્થ-ઈસ્ટના વિકાસ ઉપર ભાર, ખાદ્ય તેલમાં આત્મનિર્ભર, પોસ્ટ ઓફિસમાં એટીએમની સુવિધા, ડિજિટલ યુનિવર્સિટી, પીએમ ઈ-વિદ્યા ચેનલ, ર લાખ આંગણવાડીઓને અપગ્રેડ કરવી, કળષિ યુનિવર્સિટીનું વિસ્તરણ, 2023 સુધી સ્ટાર્ટઅપને ટેક્સમાં છૂટ, કોર્પોરેટ ટેક્સમાં હવે 7 ટકા સરચાર્જ, ઘણા ફાયદાકારક બજેટની માહિતી આપી હતી કે જેનાથી આમ જનતાને લાભ મળી શકે.