October 14, 2025
Vartman Pravah
Breaking Newsદમણદેશ

સંઘપ્રદેશ પ્રભારી નવિન પટેલ અને સંયોજક અસ્‍પી દમણિયાની આગેવાનીમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના ‘આત્‍મનિર્ભર અર્થવ્‍યવસ્‍થા’બાબતના સંબોધનને લાઈવ સાંભળવા દમણમાં ચાર સ્‍થળોએ કરાયેલું આયોજન

કોવિડ-19 અટકાયતી પગલાં સંબંધી સોશિયલ ડિસ્‍ટન્‍સિંગ તથા માસ્‍ક પહેરવાના સરકારના નિયમોના ધજાગરા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.02
આજરોજ તારીખ 2જી ફેબ્રુઆરી 2022ના રોજ દિલ્‍હીથી દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદીએ આત્‍મનિર્ભર અર્થવ્‍યવસ્‍થા અંગેનું સંબોધન કર્યુ હતું. દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીનો આત્‍મનિર્ભર અર્થતંત્રના સંબોધનને સાંભળવાનો કાર્યક્રમ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રભારી શ્રીનવીનભાઈ પટેલ અને દમણ જિલ્લા સંયોજક શ્રી અસ્‍પી દમણિયાની આગેવાની હેઠળ દમણ જિલ્લામાં ચાર અલગ-અલગ સ્‍થળોએ યોજાયો હતો. દુણેઠા મંડળમાં ડયુન્‍સ રેસીડેન્‍સી, શહેર મંડળમાં કાટેલા પાર્ટી પ્‍લોટ, સોમનાથ મંડળમાં ડીઆઈએ કચેરી સોમનાથ અને ભેસલોરમાં રાખવામાં આવ્‍યો હતો. જેમાં તમામ મંડળોએ પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીને લાઈવ સાંભળ્‍યા હતા.
પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ આત્‍મનિર્ભર ભારત, રોજગાર, ખેડૂતો માટે સબસિડી વધારવામાં આવી, મહિલાઓને ઘરની માલિકીનો હક, નાર્થ-ઈસ્‍ટના વિકાસ ઉપર ભાર, ખાદ્ય તેલમાં આત્‍મનિર્ભર, પોસ્‍ટ ઓફિસમાં એટીએમની સુવિધા, ડિજિટલ યુનિવર્સિટી, પીએમ ઈ-વિદ્યા ચેનલ, ર લાખ આંગણવાડીઓને અપગ્રેડ કરવી, કળષિ યુનિવર્સિટીનું વિસ્‍તરણ, 2023 સુધી સ્‍ટાર્ટઅપને ટેક્‍સમાં છૂટ, કોર્પોરેટ ટેક્‍સમાં હવે 7 ટકા સરચાર્જ, ઘણા ફાયદાકારક બજેટની માહિતી આપી હતી કે જેનાથી આમ જનતાને લાભ મળી શકે.

Related posts

નવા અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય અને મનરેગા યોજનાના બાયોગેસ કાર્યક્રમ હેઠળ દાનહના સિલીમાં 2M3 ક્ષમતાના બાયોગેસ પ્‍લાન્‍ટની કરાયેલી સ્‍થાપના

vartmanpravah

દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ પદેથી બાબુભાઈ પટેલે આપેલું રાજીનામું

vartmanpravah

ચીખલી રાનકુવા ગ્રામ પંચાયતની બે-બે વખત નોટિસ છતાં ગેરકાયદે બાંધકામનો ધમધમાટ

vartmanpravah

વાપી સ્‍થિત સેન્‍ટ જોસેફ ઉચ્‍ચત્તર/માધ્‍યમિક શાળામાં ધોરણ-1 થી 5 નાના ભૂલકાઓનું ફરીથી આગમન

vartmanpravah

દાનહના કિલવણી ગ્રામ પંચાયતમાં‘સરકાર આપકે દ્વાર’ શિબિર યોજાઈ

vartmanpravah

નાની દમણ મશાલચોકના મઢુલીવાળી શ્રી રાજ રાજેશ્વરી મેલડી માતાના મંદિરે 14મી માર્ચથી શ્રીમદ્‌ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞ મહોત્‍સવનો થનારો આરંભ

vartmanpravah

Leave a Comment