March 3, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ લક્ષદ્વીપની મુલાકાતેઃ અધિકારીઓ સાથેવિકાસલક્ષી પ્રોજેક્‍ટોની ચર્ચા-વિચારણાં

આવતા દિવસોમાં લક્ષદ્વીપ પ્રવાસન ક્ષેત્રે માલદીવ્‍સને પણ ટક્કર મારે એ પ્રકારના આયોજનોને પ્રશાસન દ્વારા આપવામાં આવી રહેલો આખરી ઓપ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
કવરત્તી, તા.08 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ પોતાના તાબાના કેન્‍દ્ર શાસિત પ્રદેશો અને તેમના પ્રત્‍યેક જિલ્લાના સર્વાંગી સમતોલ અને ગતિશીલ વિકાસ કરવાના આગ્રહી છે. જેના કારણે તેઓ નિયત સમયે લક્ષદ્વીપ, દીવ અને દાદરા નગર હવેલીની મુલાકાતો લેતા રહે છે.
આજે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપના કવરત્તી પહોંચી અધિકારીઓ સાથે લક્ષદ્વીપના વિકાસલક્ષી પ્રોજેક્‍ટો અને પ્રવાસન વિકાસ માટે જરૂરી ચર્ચા-વિચારણાં કરી માહિતી એકત્ર કરી હતી.
લક્ષદ્વીપના પ્રશાસક તરીકેનો અખત્‍યાર સંભાળ્‍યા બાદ શ્રી પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપના લકને ચાર ચાંદ લગાવવા કોઈ કસર છોડી નથી. આવતા દિવસોમાં લક્ષદ્વીપ પ્રવાસન ક્ષેત્રે માલદીવ્‍સને પણ ટક્કર મારે એ પ્રકારના આયોજનોને પ્રશાસન દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

Related posts

વાંસદા તાલુકા નવતાડ ગામની કાજલ માહલાએ સતત ત્રીજી વખત હિમાલયની શિખરો પર વિજય પતાકા લહેરાવી

vartmanpravah

વલસાડ જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીએ છેવાડાના કપરાડા તાલુકાની મુલાકાત લીધી

vartmanpravah

સંઘપ્રદેશ થ્રીડીના તીરંદાજી સંઘના ચીફ પેટ્રન તરીકે દિપક પ્રધાનની કરાયેલી નિમણૂક

vartmanpravah

આજે દમણવાડા ગ્રામ પંચાયતમાં મહાત્‍મા જ્‍યોતિબા ફૂલેની જન્‍મજયંતિની ઉજવણી કરાશે

vartmanpravah

ત્રણ ત્રણ ટર્મ સરપંચ પદે રહી ચીખલી નગરની કાયાપલટ કરવામાં મહત્‍વનું યોગદાન આપનાર વેપારી અગ્રણી સ્‍વ. પ્રતાપસિંહ રાજપૂતની ચીખલીમાં રાજપૂત સમાજ અને વિવિધ સંસ્‍થા દ્વારા યોજાયેલ પ્રાર્થના સભામાં મહાનુભાવો દ્વારા આપવામાં આવેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

વલસાડ જિલ્લાના પાંચ ધારાસભ્‍યોએ જગત જનની માઁ અંબેની પૂજા-અર્ચના કરી

vartmanpravah

Leave a Comment