July 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરસાડી ગામે પત્‍નીના વીરહમાં પતિએ કરેલી આત્‍મહત્‍યા

માં-બાપ બંનેએ આપઘાત કરી લેતા સંતાન બન્‍યુ નોધાણું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.14: પારડી તાલુકાના ઉમરસાડી ગામે માછીવાડ ખાતે રહેતી એક સંતાનની માતા એવી કાજલ ગણેશભાઈ ટંડેલ ઉ.વ. 38 એ ત્રણ માસ અગાઉ તા.7 જૂનના રોજ કોઈ કારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. જે બાદ તેમનો પતિ ગણેશભાઈછનાભાઈ ટંડેલ ઉ.વ.42 પત્‍નીના મોત બાદ માનસિક તણાવમાં રહેતો હતો. અને તેણે ગત તા.13 સપ્‍ટેમ્‍બર બુધવારના રોજ પોતાના ઘરેથી ઉમરસાડી માછીવાડ માંગેલવાડ ખાતે કોથરખાડી કિનારે પહોંચી એક શરૂના ઝાડ સાથે નાયલોન દોરી બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ગામમાં રહેતા કોઈ વ્‍યક્‍તિ ત્‍યાંથી પસાર થવા જતા તેણે ફાંસો ખાધેલો ગણેશને જોઈ ફળિયામાં જાણ કરી હતી અને આ બાબતની જાણ પારડી પોલીસને થતાં ઘટના સ્‍થળે પહોંચી લાશનો કબજો લઈ તેને નીચે ઉતારી પી.એમ. માટે પારડી રેફરલ હોસ્‍પિટલ લઈ જઈ કાર્યવાહી હાથ ધરી હતી. જોકે ગણેશ અને કાજલના લગ્ન જીવન દરમિયાન તેમનો હાલ 5 વર્ષનો દીકરો છે. ત્રણ માસના ટુંકા ગાળામાં પતિ પત્‍નીએ આપઘાત કરી લેતા 5 વર્ષના માસૂમ દીકરાએ માતા પિતાની છત્રછાયા ગુમાવી છે. જોકે બીજી તરફ ત્રણ માસમાં બંને પતિ પત્‍નીએ કઈ મજબૂરી વશ આપઘાત કર્યો તે પોલીસ માટે તપાસનો વિષય બનવા પામ્‍યો છે.

Related posts

‘આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ’ના ઉપલક્ષમાં દમણની સાર્વજનિક વિદ્યાલયમાં યોગ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડમાં ગણેશજીની 9 ફૂટની પ્રતિમાના જાહેરનામાથી ગણેશ આયોજકોમાં નારાજગી : સિટી પો.સ્‍ટે.માં મિટિંગ યોજાઈ

vartmanpravah

વિક્રમ સંવત ૨૦૮૧નું વર્ષ દાનહ અને દમણ-દીવ માટે સર્વાંગી વિકાસની દૃષ્ટિઍ નિર્ણાયક રહેશે

vartmanpravah

વાપીનો રેલવે પુલ બંધ થવાના પ્રથમ દિવસથી નવા રેલવે ફાટક ઉપર ટ્રાફિકની સ્‍થિતિ વણસી

vartmanpravah

નવસારી જિલ્લામાં પાંચ લાખથી વધુ લાભાર્થીઓને આયુષ્‍યમાન કાર્ડ વિતરણ કરાશે

vartmanpravah

ખતલવાડની ટોકર ખાડીમાં પ્રથમ વરસાદે આવેલા નવા નીર કેમિકલ યુક્‍ત જણાતા કાંઠા વિસ્‍તારની પ્રજામાં ભારે નારાજગી

vartmanpravah

Leave a Comment