April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરસાડી ગામે પત્‍નીના વીરહમાં પતિએ કરેલી આત્‍મહત્‍યા

માં-બાપ બંનેએ આપઘાત કરી લેતા સંતાન બન્‍યુ નોધાણું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.14: પારડી તાલુકાના ઉમરસાડી ગામે માછીવાડ ખાતે રહેતી એક સંતાનની માતા એવી કાજલ ગણેશભાઈ ટંડેલ ઉ.વ. 38 એ ત્રણ માસ અગાઉ તા.7 જૂનના રોજ કોઈ કારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. જે બાદ તેમનો પતિ ગણેશભાઈછનાભાઈ ટંડેલ ઉ.વ.42 પત્‍નીના મોત બાદ માનસિક તણાવમાં રહેતો હતો. અને તેણે ગત તા.13 સપ્‍ટેમ્‍બર બુધવારના રોજ પોતાના ઘરેથી ઉમરસાડી માછીવાડ માંગેલવાડ ખાતે કોથરખાડી કિનારે પહોંચી એક શરૂના ઝાડ સાથે નાયલોન દોરી બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ગામમાં રહેતા કોઈ વ્‍યક્‍તિ ત્‍યાંથી પસાર થવા જતા તેણે ફાંસો ખાધેલો ગણેશને જોઈ ફળિયામાં જાણ કરી હતી અને આ બાબતની જાણ પારડી પોલીસને થતાં ઘટના સ્‍થળે પહોંચી લાશનો કબજો લઈ તેને નીચે ઉતારી પી.એમ. માટે પારડી રેફરલ હોસ્‍પિટલ લઈ જઈ કાર્યવાહી હાથ ધરી હતી. જોકે ગણેશ અને કાજલના લગ્ન જીવન દરમિયાન તેમનો હાલ 5 વર્ષનો દીકરો છે. ત્રણ માસના ટુંકા ગાળામાં પતિ પત્‍નીએ આપઘાત કરી લેતા 5 વર્ષના માસૂમ દીકરાએ માતા પિતાની છત્રછાયા ગુમાવી છે. જોકે બીજી તરફ ત્રણ માસમાં બંને પતિ પત્‍નીએ કઈ મજબૂરી વશ આપઘાત કર્યો તે પોલીસ માટે તપાસનો વિષય બનવા પામ્‍યો છે.

Related posts

તે સમયે દાનહના સત્તાધારી રાજકારણીઓએ થોડી શાણપણ વાપરી ખેડૂત માલિકોની ઉદ્યોગોમાં ભાગીદારી સુનિશ્ચિત કરી હોત તો આજે આદિવાસીઓની હાલતમાં જમીન-આસમાનનું અંતર આવ્‍યું હોત..!

vartmanpravah

વલસાડઃ વશીયરમાં રેલવેના નવા બ્રિજ માટે ડિમોલીશન કરવા ગયેલ ટીમને સ્‍થાનિકોએ અટકાવતા મામલો ઉગ્ર બન્‍યો: સાત જેટલા મકાનો ડિમોલીશનમાં જતા હોવાથી લોકોએ નોંધાવેલો વિરોધ

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ વાપી નાઈસના સહયોગથી દમણ પોલીકેબ યુનિટ-1ના ટ્રેનિંગ હોલમાં યોજાયેલ રક્‍તદાન શિબિરમાં 54 યુનિટ રક્‍ત એકત્ર કરાયું

vartmanpravah

દમણ એક્‍સાઈઝ વિભાગનું કડૈયા દરિયા કિનારે મધરાતે મોટું ઓપરેશનઃ એક ટેમ્‍પો અને હોડી સહિત મોટા જથ્‍થામાં દારૂની કરેલી જપ્તી

vartmanpravah

‘ટીમ પ્રશાસક’ સાથે ગૃહમંત્રી અમિતભાઈ શાહ

vartmanpravah

શુક્રવારે દમણવાડા પંચાયત અને ભામટી પ્રગતિ મંડળના સંયુક્‍ત ઉપક્રમે વિશ્વ વિભૂતિ ભારત રત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરની જન્‍મજયંતિ ઉજવાશે

vartmanpravah

Leave a Comment