November 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે વાપી-વલસાડમાં રામ નવમીના અવસરે ભગવાન રામની ભવ્‍ય શોભાયાત્રા નિકળશે: હજારો રામ ભક્‍ત જોડાશે

અયોધ્‍યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્‍ઠા બાદ ભગવાન રામનો મહિમા રામલલાના ભક્‍તોમાં વ્‍યાપક જોવા મળી રહ્યો છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: વાપી તેમજ વલસાડ શહેરમાં આવતીકાલે બુધવારે રામ નવમીના પવિત્ર શુભ દિને ભવ્‍ય શોભાયાત્રાઓ વિવિધ સામાજીક અને ધાર્મિક સંસ્‍થાઓ દ્વારા નિકળવાની છે.
ગત તા.22મી જાન્‍યુઆરીએ અયોધ્‍યામાં ભગવાન શ્રી રામના મંદિરનો યોજાયેલ પ્રાણ પ્રતિષ્‍ઠા બાદ સમગ્રજન જન સમાજમાં રામનો મહિમા વધી ચૂક્‍યો છે. પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ બાદ પ્રથમ રામ નવમી આવી રહી હોવાથી વાપી-વલસાડમાં ભવ્‍ય શોભાયાત્રા કાઢવાના આયોજન થઈ ચૂક્‍યા છે. બન્ને શહેરોમાં તોરણ તેમજ ઠેર ઠેર ગેટ ઉભા કરવામાં આવ્‍યા છે. રામ જન્‍મોત્‍સવ સમિતિ દ્વારા રામ નવમીના અવસરે શોભાયાત્રા નિકળનાર છે. શોભાયાત્રામાં હજારો રામભક્‍તો શણગારેલા વાહનો દ્વારા જોડાશે. યાત્રાનું શહેરમાં ઠેર ઠેર સ્‍વાગત સન્‍માન કરવામાં આવનાર છે. વલસાડ જિલ્લામાં રામ નવમીને ભવ્‍ય ઉજવણી કરવાનો રામ ભક્‍તોમાં થનગનાટ ઠેર ઠેર જોવા મળી રહ્યો છે.
વાપીમાં શોભાયાત્રામાં વલ્લભનગર ગ્રાઉન્‍ડ છીરીથી નિકળશે. અંબામાતા સર્કલ, જ્ઞાનધામ સ્‍કૂલ થઈ, ઉમિયા સર્કલ, વંદે માતરમ ચોક ગુંજન, પ્રાઈમ સર્કલ થઈ મોરારજી દેસાઈ સર્કલથી રામલીલા મેદાનમાં પહોંચશે. જ્‍યાં મહા આરતી સાથે શોભાયાત્રાનું સમાપન થશે.

Related posts

વલસાડ જિલ્લામાં તા. ૧ થી ૭ સુધી ૧૧ સ્થળો પર Y-20 ગુજરાત સંવાદ કાર્યક્રમ યોજાશે

vartmanpravah

બલવાડા નેશનલ હાઈવે ઓવરબ્રિજ પાસે હાઈવે ઓથોરિટીની બેદરકારીથી અવાર નવાર સર્જાઈ રહેલા અકસ્‍માતો

vartmanpravah

વિધાનસભા બેઠકના પ્રવાસી વિસ્‍તારક મુંબઈના કૃષ્‍ણા આબેકરએ વાપી ભાજપ સાથે મીટિંગ યોજી

vartmanpravah

યુસુફભાઈ શેખ પત્રકારત્‍વ પ્રત્‍યેની પોતાની નિષ્‍ઠા અને બેદાગ છબીથી હંમેશા ચિરંજીવ રહેશે

vartmanpravah

ચીખલીના થાલા ગામે ગત રાત્રે હત્‍યા કરાયેલ યુવાનની લાશ આરોપીઓ ન ઝડપાઈ ત્‍યાં સુધી ન સ્‍વીકારવાનો પરિવારનો ઈન્‍કાર

vartmanpravah

વલસાડમાં મજબુદાર પરિવારે વૃદ્ધ માતાના મૃત્‍યુ બાદ દેહ દાન કરી મિશાલ પુરી પાડી

vartmanpravah

Leave a Comment