Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૩ માં જન્મદિવસના ઉપલક્ષમાં ગુજરાત યોગ બોર્ડ દ્વારા વલસાડ ખાતે રેલી યોજાઇ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, ૧૫: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભારત વર્ષના પનોતા પુત્ર માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના ૭૩ જન્મદિવસ તા. ૧૭ મી સપ્ટેમ્બરના ના ઉપલક્ષમાં સમગ્ર ગુજરાતમાં તા. ૧૬ અને તા. ૧૭ મી સપ્ટેમ્બરના રોજ યોગ પ્રત્યે લોકને જાગૃત કરવા માટે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે વલસાડ જિલ્લામાં પણ આજરોજ જન જન સુધી યોગનો પ્રસાર થાય અને લોકો યોગ તરફ વળે અને લોકોનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે તે હેતુથી વલસાડ કોલેજ કેમ્પસથી રેલી યોજાવામાં આવી હતી. જેમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, પ્રિન્સિપલ શ્રી ગીરીશભાઈ રાણા સાહેબ, ભીડભંજન મહાદેવ મંદિરના કર્તાહર્તા શિવજી મહારાજ, યુવા મોરચાના પ્રમુખ શ્રી સ્નેહીલભાઈ દેસાઈ, ડોક્ટર ભૈરવી જોશી તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગકોચ, ટ્રેનર અને વિવિધ સંસ્થાઓ સાથે લોકો ઉમટી પડ્યા હતા. રેલીમાં ઉત્સાહભેર વિદ્યાર્થીઓ અને લોકો એક હજાર થી વધુ સંખ્યામા દેશભક્તિના નારા સાથે જોડાયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના દક્ષિણ ગુજરાત જોન કો-ઓર્ડીનેટર પ્રીતિબેન પાંડે,અને એમની ટીમે બહુ મહેનત કરેલી હતી. સદર રેલીમાં વલસાડ જિલ્લા યોગ કોઓર્ડીનેટર નિલેશભાઈ કોશિયા અને એમના સહયોગીઓ પણ હાજર રહ્યા હતા.

Related posts

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ધરમપુર ખાતે સ્‍વતંત્રતાના 75 વર્ષઃ વિજ્ઞાન અનેટેકનોલોજીમાં ભારતની સિદ્ધિઓપ્રદર્શનનું ઉદ્‌ઘાટન કરાયું

vartmanpravah

દાદરા નગર હવેલીમાં 02 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે ત્રિ-દિવસીય નિવાસી યોગ કોચ તાલીમ શિબિર યોજાઈ

vartmanpravah

‘ચલો બુલાવા આયા હે, સાંઈ બાબાને બુલાયા હે’ દમણઃ મરવડના યુવાનોએ પદયાત્રા દ્વારા શિરડીનું કરેલું પ્રસ્‍થાન

vartmanpravah

સેલવાસના સસ્‍પેન્‍ડેડ મામલતદાર ટી.એસ.શર્માની સેલવાસ પોલીસે કરેલી અટકાયતઃ જમીન કૌભાંડના સંદર્ભમાં થઈ રહેલી પૂછપરછ

vartmanpravah

વડાપ્રધાનના રાષ્‍ટ્રીય બાળ પુરસ્‍કાર માટે ગુણવાન અને બહાદુર બાળકોનું નામાંકન શરૂ

vartmanpravah

Leave a Comment