January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજમાં જય વસાવડાનો સેમિનાર યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: ચણોદ કોલોની સ્‍થિત કેશવજી ભારમલ સુમારિયા એન્‍ડ નટરાજ પ્રોફેશનલ સાયંસિસ કોલેજ વાપીમાં વિદ્યાથીઓને યુનિવર્સિટીના શિક્ષણની સાથે જીવન ઉપયોગી દરેક પ્રવૃતિઓની તાલીમ પણ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓએ આજના ટેકનૉલોજિ અને ફાસ્‍ટ જીવનમાં કેવી રીતે સાતત્‍ય જાળવી સફળ થઈ શકે તે હેતુથી કોલેજના મેનેજમેન્‍ટ તરફથી વિદ્યાર્થીઓ માટે ગુજરાતનાં જાણીતા મોટીવેશનલ સ્‍પીકર શ્રી જય વસાવડાના સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ સેમિનારમાં કોલેજના કોમર્સ અને સાયન્‍સ વિભાગના ત્રીજા વર્ષના તેમજ એમ.કોમ. અને એમ.એસસી. ના વિદ્યાર્થીઓ અને સ્‍ટાફ મિત્રોએ ખુબજ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. મેનેજમેન્‍ટ તરફથી મેનેજિંગ ટ્રસ્‍ટી એ.કે.શાહ, શ્રી રમેશભાઈ સુમેરિયા, શ્રીમતિ ભારતીબેન સુમેરિયા, તથા આમંત્રિત મહેમાનોપ્રવિણાબેન શાહ, શ્રી એચ. એમ. ભટ્ટ સાહેબ, કોલેજના ડાયરેક્‍ટર ડો. સી.કે.પટેલ તથા અન્‍ય મહેમાનો હાજર રહ્યા હતા. પ્રાર્થના સાથે જય વસાવડાનું બુક આપીને સ્‍વાગત કરતાં સેમિનારની શરૂઆત કરવામાં આવી હતી. સેમિનારના વક્‍તવ્‍યમાં તેમણે વિદ્યાર્થી જીવનમાં મોબાઈલનો સદુપયોગ, શિસ્‍તતા, સમયનું પાલન, ડ્રગ્‍સ અવેરનેસ તેમજ સફળ કેવી રીતે થઈ શકાય વગેરે વિષયોને આવરી લઈને ખુબજ સારી માહિતી પૂરી પડી હતી. આમ સેમિનાર સફળ રહેતા કોલેજના આચાર્ય ડો.પુનમ બી. ચૌહાણે વક્‍તાનો, ટ્રસ્‍ટ્રીઓનો હાજર રહેલ મહેમાનો તેમજ વિદ્યાર્થી મિત્રો અને સ્‍ટાફ મિત્રોનો આભાર વ્‍યક્‍ત કરી દરેકને વક્‍તવ્‍યને જીવનમાં ઉતારી આગળ વધવા માટે શુભેચ્‍છા પાઠવી હતી.

Related posts

દમણ પંચાયતી રાજ પરિષદમાં વર્ચ્‍યુઅલી ઉપસ્‍થિત રહી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ગતિશીલ અને પારદર્શક વહીવટનો આપેલો મંત્ર

vartmanpravah

દમણ જિ.પં.ના ઉપ પ્રમુખ મૈત્રીબેન પટેલ અને સિંચાઈ સમિતિના ચેરપર્સન સિમ્‍પલબેન પટેલના હસ્‍તે પ્રગતિશીલ ખેડૂતોને ડાંગરના ઉચ્‍ચ બિયારણ જૈવિક ખાતરનું કરાયેલું વિતરણ

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ માર્ગદર્શનમાં આઝાદીના અમૃત મહોત્‍સવ નિમિત્તે દીવમાં જિલ્લા કક્ષાની પુરૂષ અને મહિલા શ્રેણીની દોરડાખેંચ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

બે વ્‍યક્‍તિઓના ઈલેક્‍ટ્રીક શોક લાગતા થયેલા મૃત્‍યુ બદલ દમણની નાનાસ હોટલનું લાયસન્‍સ રદ્‌ કરવા પ્રવાસન વિભાગે જારી કરેલો આદેશ

vartmanpravah

ઉમરગામમાં નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે રૂ.3.30 કરોડના ખર્ચે બનનારા એસટી બસ સ્‍ટેશનનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

RTE એકટ હેઠળ નબળા-વંચિત જુથના બાળકોને ધો.૧માં પ્રવેશ માટે તા.૧૪ થી ૨૬ માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે

vartmanpravah

Leave a Comment