December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજમાં જય વસાવડાનો સેમિનાર યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: ચણોદ કોલોની સ્‍થિત કેશવજી ભારમલ સુમારિયા એન્‍ડ નટરાજ પ્રોફેશનલ સાયંસિસ કોલેજ વાપીમાં વિદ્યાથીઓને યુનિવર્સિટીના શિક્ષણની સાથે જીવન ઉપયોગી દરેક પ્રવૃતિઓની તાલીમ પણ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓએ આજના ટેકનૉલોજિ અને ફાસ્‍ટ જીવનમાં કેવી રીતે સાતત્‍ય જાળવી સફળ થઈ શકે તે હેતુથી કોલેજના મેનેજમેન્‍ટ તરફથી વિદ્યાર્થીઓ માટે ગુજરાતનાં જાણીતા મોટીવેશનલ સ્‍પીકર શ્રી જય વસાવડાના સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ સેમિનારમાં કોલેજના કોમર્સ અને સાયન્‍સ વિભાગના ત્રીજા વર્ષના તેમજ એમ.કોમ. અને એમ.એસસી. ના વિદ્યાર્થીઓ અને સ્‍ટાફ મિત્રોએ ખુબજ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. મેનેજમેન્‍ટ તરફથી મેનેજિંગ ટ્રસ્‍ટી એ.કે.શાહ, શ્રી રમેશભાઈ સુમેરિયા, શ્રીમતિ ભારતીબેન સુમેરિયા, તથા આમંત્રિત મહેમાનોપ્રવિણાબેન શાહ, શ્રી એચ. એમ. ભટ્ટ સાહેબ, કોલેજના ડાયરેક્‍ટર ડો. સી.કે.પટેલ તથા અન્‍ય મહેમાનો હાજર રહ્યા હતા. પ્રાર્થના સાથે જય વસાવડાનું બુક આપીને સ્‍વાગત કરતાં સેમિનારની શરૂઆત કરવામાં આવી હતી. સેમિનારના વક્‍તવ્‍યમાં તેમણે વિદ્યાર્થી જીવનમાં મોબાઈલનો સદુપયોગ, શિસ્‍તતા, સમયનું પાલન, ડ્રગ્‍સ અવેરનેસ તેમજ સફળ કેવી રીતે થઈ શકાય વગેરે વિષયોને આવરી લઈને ખુબજ સારી માહિતી પૂરી પડી હતી. આમ સેમિનાર સફળ રહેતા કોલેજના આચાર્ય ડો.પુનમ બી. ચૌહાણે વક્‍તાનો, ટ્રસ્‍ટ્રીઓનો હાજર રહેલ મહેમાનો તેમજ વિદ્યાર્થી મિત્રો અને સ્‍ટાફ મિત્રોનો આભાર વ્‍યક્‍ત કરી દરેકને વક્‍તવ્‍યને જીવનમાં ઉતારી આગળ વધવા માટે શુભેચ્‍છા પાઠવી હતી.

Related posts

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં મતદાન જાગૃકતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

આજે સેલવાસમાં ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ના ઉપક્રમે મૌન રેલીનું આયોજન પેટાઃ સાંજે પાંચ વાગ્‍યે સેલવાસ કલેક્‍ટરાલયથી કિલવણી નાકા થઈ કલા કેન્‍દ્ર ખાતે મૌન રેલી પહોંચશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા. 13 14મી ઓગસ્‍ટ, 2022ના રોજ સમગ્ર ભારતભરમાં ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ (પાર્ટીશન હોરરર્સ રેમમ્‍બ્રેસ ડે) મનાવવામાં આવશે. જેના ઉપલક્ષમાં દાદરા નગર હવેલીના સેલવાસમાં પણ જિલ્લા પ્રશાસન દ્વારા ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ મનાવવામાં આવશે. ભારતનીઆઝાદીની પૂર્વ સંધ્‍યાએ 14મી ઓગસ્‍ટ, 1947ના રોજ પાકિસ્‍તાનનું સર્જન થતાં ત્‍યાં રહેતા હજારો બિન મુસ્‍લિમોને હિજરત કરવાની ફરજ પડી હતી, અને તેમને વિસ્‍થાપિત થવા પડયું હતું. આ કાળા દિવસને યાદ કરી તેમાં શહિદ થયેલા પરિવારની સ્‍મરાંજલિ માટે ભારત સરકાર દ્વારા ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ મનાવવાનો પ્રારંભ આઝાદીના અમૃત વર્ષથી કરાયો છે. આવતી કાલે સેલવાસ ખાતે સાંજે 5:00 વાગ્‍યે એક મૌન યાત્રા નિકળશે. જે સેલવાસ કલેક્‍ટરાલયથી કિલવણી નાકા થઈ કલા કેન્‍દ્ર ખાતે પહોંચશે. જ્‍યાં 14 થી 16 ઓગસ્‍ટ દરમિયાન ‘વિભાજનની ભયાનકતા’ પ્રદર્શિત કરતું પ્રદર્શન લોકો માટે 3 દિવસ સુધી ખુલ્લુ રહેશે. સેલવાસના રેસિડેન્‍ટ ડેપ્‍યુટી કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખે આમજનતાને આવતી કાલે સફેદ અથવા હલકા રંગના વષા પરિધાન કરે તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આગેવાનો આ અભિયાનમાં સામેલ થઈ મૌન યાત્રામાં ભાગ લેવા આહ્‌વાન કર્યું છે.

vartmanpravah

ધરમપુર-કપરાડા વિસ્‍તારમાં વરસાદ વરસતા ભર શિયાળામાં ચોમાસાનો માહોલ છવાયો

vartmanpravah

દાનહ, દમણ અને દીવ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણી 18મી મેના રોજ નિર્ધારિત

vartmanpravah

દાનહ કૌચા અને ગલોન્‍ડા પંચાયત સભ્‍યની પેટાચૂંટણીની મત ગણતરી 1લી નવેમ્‍બરે

vartmanpravah

આજે કચીગામ જય ભીખી માતા અને દુધી માતાના મંદિરનો પ્રાણ પ્રતિષ્‍ઠાનો કાર્યક્રમ યોજાશે

vartmanpravah

Leave a Comment