Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીનવસારીપારડીવલસાડવાપી

માલનપાડા નવીનગરી પ્રાથમિક શાળાના આચાર્ય મહેન્દ્રસિંહ પરમાર જ્ઞાનભૂષણ એવોર્ડથી સન્માનિત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ,તા.16: વાંકલ ગામના રહેવાસી અને ધરમપુર તાલુકાની નવીનગરી પ્રાથમિક શાળા માલનપાડાના આચાર્ય મહેન્દ્રસિંહ નાથુભાઈ પરમારને તારીખ ૧૩ મે, ૨૦૨૩ના રોજ અમદાવાદ ખાતે આયોજિત રાજ્યસ્તરીય ભૂષણ પુરસ્કાર સન્માન કાર્યક્રમમાં જ્ઞાન ભૂષણ એવોર્ડથી નવાજિત કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ પુરસ્કાર શિક્ષણ, ઉદ્યોગ, સમાજસેવા, કૃષિ જેવા વિવિધ ક્ષેત્રોમાં રાજ્ય સ્તરે નોંધપાત્ર એવા દેખાવ અને કાર્ય માટે ગ્લોબલ સ્કોલર ફાઉન્ડેશન દ્વારા એનાયત કરવામાં આવે છે. મહેન્દ્રસિંહ પરમારને ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે રાજ્ય સ્તરીય એવોર્ડથી અગાઉ રાજ્યપાલશ્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ જ્ઞાન ભૂષણ પુરસ્કાર તેમને પદ્મશ્રી એવોર્ડ વિજેતા શ્રી રવિકુમાર નારાના હસ્તે એનાયત કરાયો હતો.

Related posts

મોટી દમણના સામુદાયિક આરોગ્‍ય કેન્‍દ્રના સભાખંડમાં યોજાયેલ જન આરોગ્‍ય સમિતિની કાર્યશાળા

vartmanpravah

દાનહમાં એકપણ કોરોના પોઝિટીવ કેસ નોંધાયો નથી

vartmanpravah

વાપીથી સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટિમાં સપ્તાહમાં વધુ બે બસ દોડશે

vartmanpravah

ભારત સરકારની ‘સબકી યોજના, સબકા વિકાસ’ યોજના અંતર્ગત દમણવાડા ગ્રા.પં.ની ગ્રામસભા વિકાસના વિશ્વાસ અને પારદર્શક પ્રશાસનના ભરોસા સાથે સંપન્ન

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વ હેઠળ: દાનહ અને દમણ-દીવની જિલ્લા હોસ્‍પિટલ અને ઉપ જિલ્લા હોસ્‍પિટલે રાષ્‍ટ્રીય સ્‍તરે સંઘપ્રદેશનું નામ રોશન કર્યુ

vartmanpravah

કપરાડામાં કૃષિ સખી અને પશુ સખી ત્રિદિવસીય તાલીમનો પ્રારંભ

vartmanpravah

Leave a Comment