April 20, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નૂતનનગરના એક બંગલામાંથી 9 ફૂટ લાંબા વિશાળકાય અજગરનું રેસ્ક્યું કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: વલસાડ જિલ્લો સરેરાશ જંગલનો પ્રદેશ ધરાવતો જિલ્લો છે તેથી વન પ્રાણીઓ, સાપ, અજગર શહેરી કે ગ્રામ્‍ય વિસ્‍તારના રહેણાંક વિસ્‍તારમાં અવાર નવાર આવી જતા હોય છે. ગુરુવારે રાતે 9 વાગ્‍યાના સુમારે વાપી નૂતનનગર વિસ્‍તારના એક બંગલામાં 9 ફૂટ વિશાળકાય અજગર આવી ચઢયો હતો. એનિમલ રેસ્‍ક્‍યુ ટીમે અજગરનું સલામત રીતે રેસ્‍ક્‍યું કરીને વન વિભાગને સોંપ્‍યો હતો.
વાપી નૂતનનગર સ્‍થિત એક બંગલાના કમ્‍પાઉન્‍ડમાં માળી ગુરૂવારે 9 વાગ્‍યાના સુમારે બગીચામાં કામકાજ કરી રહ્યો હતો તે દરમિયાન મહાકાય અજગર નજરે પડતા માલિકને જાણ કરી હતી. માલિકે એનિમલ રેસ્‍ક્‍યુ ટીમને જાણ કરતા ટીમે 9 ફૂટ લાંબા મહાકાય અજગરનું રેસ્‍ક્‍યુ કરીને વન વિભાગની ટીમને સુપરત કર્યો હતો. રહેણાંક વિસ્‍તારમાં આવી જતા સાપ, અજગર, કે જંગલી પ્રાણીઓને સલામતી જાળવી તેને વન વિભાગને સુપરત કરવા જોઈએ તેવું રેસ્‍ક્‍યુ ટીમે જણાવ્‍યું હતું.

Related posts

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવમાં કારગિલ દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

સેલવાસ પાલિકા વિસ્‍તારમાં વગર પરમીશને ઝંડા લગાવવામા આવશે તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17 સેલવાસ નગરપાલિકા દ્વારા દાનહ નગર પરિષદ વિજ્ઞાપન પર કર, નિયમ 2018ના ખંડ 2ર્(ી)ની પરિભાષા મુજબ ધ્‍વજના માધ્‍યમ દ્વારા જાહેરાત પાલિકા વિસ્‍તારમા વગર પરમિશને નિષિદ્ધ છે. જેથી દરેકને સૂચિત કરવામા આવે છે કે કોઈપણ એજન્‍સી/સંસ્‍થા/વ્‍યક્‍તિ જે પાલિકા વિસ્‍તારમા ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન આપવા માંગે છે તેઓએ પાલિકાની પૂર્વ અનુમતિ લેવા અરજી કરવી પડશે.જેનો દર 1 રૂપિયા પ્રતિ દિન પ્રતિ સંખ્‍યા અધિસુચના સંખ્‍યા 10/9/18 અનુસાર છે. અવરજવર સબંધી ખતરો અને વીજળીના સંભવિત ખતરાને જોતા સુરક્ષા સુનિヘતિ કરવા માટે કોઈપણ વીજળીના થાંભલા પર ઝંડા લગાવવાની પરમીશન આપવામા આવશે નહિ. જો પાલિકા વિસ્‍તારમાં પાલિકાની પરમિશન વગર ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન અથવા પ્રચાર કરવામા આવશે તો કાર્યક્રમ આયોજક એજન્‍સી સંસ્‍થા વ્‍યક્‍તિને જવાબદાર ઠેરવવામા આવશે અને દાદરા નગર હવેલી નગર પરિષદ નિયમ 2018 અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.

vartmanpravah

પારડીના કીકરલા ગામે સીયાર ખાડીના ગરનાળામાંથી વૃદ્ધની લાશ મળી

vartmanpravah

સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા, બુચરવાડા-દીવના વિદ્યાર્થીએ દર્શાવેલી પ્રમાણિકતા

vartmanpravah

ધરમપુરના જિલ્લા વિજ્ઞાન કેન્દ્રમાં NCSM ના 46માં સ્થાપના દિવસની ઉજવણી

vartmanpravah

સમગ્ર ગુજરાતમાં ભ્રષ્ટાચારમાં પ્રખ્‍યાત બનેલ પારડી નગરપાલિકાના તમામ 28 સભ્‍યોને પ્રાદેશિક કમિશનર કચેરીનુંતેડું ગેરવહીવટ પુરવાર થતાં તમામ રકમ સભ્‍યો પાસેથી વસૂલવામાં આવશે

vartmanpravah

Leave a Comment