October 13, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી હાઈવે ચાર સ્‍તા પાસે ખાડાઓના સામ્રાજ્‍યથી અવાર નવાર સર્જાતી ટ્રાફિકજામની સમસ્‍યા

સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસમાં ચાર રસ્‍તા પાસે માર્ગ મકાન વિભાગ દ્વારા હાઈવે ઓથોરીટી પર ઢોળી મરામત ન કરવામાં આવતા આ માર્ગ ક્‍યા રાજ્‍યને લાગુ થતો હશે તેવી ચર્ચા?

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.15: ચીખલી હાઈવે ઓવરબ્રિજ ચાર રસ્‍તા પાસે સમરોલીમાં બીલીમોરા તરફ જતા માર્ગ ઉપર દર વર્ષે વરસાદના આગમન સાથે જ મસમોટા ખાડા પડીજતા હોય છે. આ વખતે પણ આવી જ સ્‍થિતિ સર્જાવા પામી છે, હાઈવે ચાર રસ્‍તા પાસે બીલીમોરા જતા માર્ગ ઉપર માર્ગની સપાટી ઠેર ઠેર તૂટી જવા સાથે મસમોટા ખાડાઓ પડયા છે ખાડાઓને પગલે આ સ્‍થળે વારંવાર ટ્રાફિકજામ થઈ રહ્યો છે ચાર રસ્‍તાનું જંકશન હોવાથી ખાસ કરીને સવારે અને સાંજે પીક અવર્સમાં ટ્રાફિકનું ભારણ વધુ રહેતું હોવાથી વારંવાર ટ્રાફિકજામની સમસ્‍યા સર્જાતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાની નોબત આવી છે.
હાઈવે ચાર રસ્‍તા પાસે જે દર વર્ષે માર્ગની સપાટી તૂટી ખાડાઓ પડે છે તે લંબાઈ હાઈવે ઓથોરિટીમાં આવતી હોવાથી માર્ગ મકાન દ્વારા મરામત કરવામાં આવતી નથી અને બીજી તરફ હાઈવે ઓથોરીટી દ્વારા પણ ખાડા પૂરવામાં આવતા નથી માર્ગ મકાન દ્વારા હાઈવે ઓથોરીટી પર ઢોળી જવાબદારીમાંથી હાથ ખંખેરવામાં આવી રહ્યા છે. ત્‍યારે આ સ્‍થળ પર માર્ગના મરામતની જવાબદારી કોની? તેવા અનેક સવાલો ઉભા થવા પામ્‍યા છે.
હાઈવે ચાર રસ્‍તા પાસે માર્ગ મકાન અને હાઈવે ઓથોરીટી દ્વારા મરામત ન કરાતા ઘણીવાર સમરોલી આર્યા ગ્રુપના શ્રી કલ્‍પેશભાઈ પટેલ દ્વારા જીએસબી નાખી ખાડા પૂરવામાં આવતા હોય છે ત્‍યારે સરકારી તંત્રની કોઈ જવાબદારી નથી થતી કે શું ત્‍યારે આ અંગે સ્‍થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ રસદાખવી મરામત કરાવે તે જરૂરી છે.
માર્ગ મકાનના કાર્યપાલક એન્‍જિનિયર શ્રી નીલભાઈ નાયકના જણાવ્‍યાનુસાર ચીખલી હાઇવે ચાર રસ્‍તા પાસે ખાડાઓ પડયા છે તે વિસ્‍તાર અમને લાગતો નથી હાઇવે ઓથોરિટી ને લાગે છે.

Related posts

વલસાડની સરકારી ઈજનેરી કોલેજમાં વર્લ્ડ વોટર ડે ઉજવાયો

vartmanpravah

કામકાજના સ્‍થળે થતીસ્ત્રીઓની જાતીય સતામણી અંગે વેલસ્‍પન કંપનીમાં કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

vartmanpravah

દિવાળીથી લાભ પાંચમ સુધી દમણ-દાનહમાં ઉમટેલો પ્રવાસીઓનો લોકમેળો

vartmanpravah

ઉમરકૂઈ ગામે કંપનીમાંથી ચોરી કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ

vartmanpravah

સેલવાસમાં ભગવાન મહાવીર જયંતિની કરાયેલી ઉજવણી

vartmanpravah

હરિયાણાના હિંસક બનાવોના પડઘા વલસાડમાં પડયા: વી.એચ.પી. અને બજરંદળના કાર્યકરોએ ધરણા કરી સખ્ત કાર્યવાહીની માંગ કરી

vartmanpravah

Leave a Comment