September 7, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારી જિલ્લામાં હિટવેવથી લોકોનાં આરોગ્‍યને ફટકોઃ મે-મહિનાના 11 દિવસમાં જ 108 ઈમરજન્‍સીને 228 કોલ આવ્‍યા

સૌથી વધુ કોલ પેટમાં દુખાવો અને ઝાડા ઉલ્‍ટીના આવ્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.14: નવસારી જિલ્લામાં હાલ સુર્યદેવતા અગન ગોળા વર્ષા થઈ રહ્યા છે, તાપમાનનો પારો સતત વધી રહ્યો છે, છેલ્લાં ત્રણ-ચાર દિવસથી તાપમાનનો પારો 40 ડિગ્રીથી વધુ ડિગ્રી નજીક પહોંચી ગયો છે. વધુ પડતી ગરમીને કારણે માનવ જીવન સહિત પશુ-પક્ષીઓનાં સ્‍વાસ્‍થ્‍ય પર પણ અસર પડી રહી છે. વધુ પડતી ગરમીને કારણે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જેના કારણે સડકો પર વાહનોની અવરજવર પણ ઓછી જોવા મળી રહી છે. કાળ ઝાળ ગરમીને કારણે તાપમાનનો પારો ઉંચે માનવ જીવનના સ્‍વાસ્‍થ્‍ય પર અસર પડી રહી છે. ગરમીના કારણે હિટસ્‍ટોક સહિત બીમારીના 108 ઈમરજન્‍સી સેવાના કોલ આવી રહ્યા છે. ગત 1 મેથી 11 મે સુધીમાં ગરમીને લગતી વિવિધ બીમારીના 228 કોલ 108 ઈમરજન્‍સી સેવાએ એટેન્‍ડ કર્યા છે. જેમાં (1) સૌથી વધુ પેટનો દુખાવો-84 (2) પેટમાં દુખાવા સાથે ઉલ્‍ટી અને ઝાડા-58 (3) વધારે પડતો તાપ હિટ સ્‍ટ્રોકનો-27 (4) માંથાનો દુખાવો-2 (5) બેભાન થવું ભાન ભૂલવાનો-57 મળી કુલ્લે 228 કોલ આવ્‍યા હતા. જ્‍યારે બેદિવસથી 40 થી વધુ ડિગ્રી તાપ પહોંચી જતા જેના કારણે લોકોની હાલત કફોડી બની જવા પામી છે.

Related posts

વલસાડ જિલ્લામાં તા.13 અને 14 એપ્રિલના રોજ કમોસમી વરસાદ પડવાની આગાહી

vartmanpravah

પાવરગ્રીડ કોર્પોરેશન દ્વારા રાજ્‍ય સ્‍તરીય ચિત્રકલા સ્‍પર્ધા -2021નું આયોજન કરાયું

vartmanpravah

ટોરેન્‍ટ પાવર કંપનીના સહયોગથી સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં ‘નિક્ષય-નિકુષ્‍ઠ મિત્રો’ દ્વારા ટી.બી. અને રક્‍તપિત્તના દર્દીઓને પૌષ્‍ટિક આહારનું કરાયેલું વિતરણ

vartmanpravah

દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા સેલવાસ કલેક્‍ટર કચેરીના પરિસરમાં સ્‍થાપવામાં આવેલ દેશના પૂર્વ પ્રધાનમંત્રી સ્‍વ. ઈન્‍દિરા ગાંધીની પ્રતિમાને હટાવાતા કોંગ્રેસે કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

વલસાડ વિધાનસભાની પાંચ બેઠકો માટે ભાજપ નિરીક્ષકોએ કાર્યકરોની સેન્‍સ લીધી

vartmanpravah

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં કાર્યકર સુવર્ણ મહોત્સવને સંબોધિત કર્યો આપણી સંસ્કૃતિમાં સેવાને સૌથી મોટો ધર્મ માનવામાં આવ્યો છે, સેવાને ભક્તિ, શ્રદ્ધા અને આરાધના કરતાં ઊંચું સ્થાન આપવામાં આવ્યું છેઃ પીએમ

vartmanpravah

Leave a Comment