Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં કેરીમાં ફળ કપાસી (સ્‍પોન્‍જીટીસ્‍યુ) અટકાવવા 80 ટકા પરિપક્‍વતા ફળ તોડવા અનુરોધ

ખાસ કરીને આફૂસ અને જમાદાર કેરીના પૂર્ણ વિકસેલા ફળોમાં કપાસીનો ઉપદ્વવ વધુ જોવા મળે છે

સવારે ઠંડા પ્રહરમાં અથવા તો સાંજે 4 વાગ્‍યા પછીકેરી તોડવા સૂચન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.10: આંબાપાક વલસાડ જિલ્લાનો મુખ્ય ફળપાક છે. આંબાવાડીમાં આગામી મે-જુન માસમાં કેરીપાકનું ઉત્પાદન મળશે. આંબાની આફૂસ અને જમાદાર જાતોમાં ફળ કપાસી (સ્પોન્જીટીસ્યુ)ને કારણે આંબાવાડીમાં અલગ અલગ પ્રમાણમાં નુક્શાન થાય છે. આ ઉપદ્રવ આફૂસ અને જમાદાર જાતની કેરીઓમાં વધારે જોવા મળે છે. મે મહિનામાં સૂર્યની સખત ગરમી જમીન પરથી પરાવર્તિત થતી ગરમી – લૂ ફળમાં ઘુસી જવાથી ફળના માવાને નુકસાન થાય છે. નુકસાનીવાળો ભાગ બરાબર પાકતો નથી તેને ફળ કપાસી તરીકે જાણવામાં આવે છે. આવા ફળો બહારથી પારખી શકાતા નથી. કેરી ફળ કપાસી (સ્પોન્જીટીસ્યુ)થી કેરીપાકને નુક્શાન થતુ અટકાવવા માટે સંકલિત વ્યવસ્થાપન કરવા માટે ખેડૂતોએ આફૂસ જાતના ફળો લીલા પણ પરિપક્વ હોય તેવા (૮૦% પરીપક્વતા) ફળ તોડવામાં આવે તો ફળ કપાસીનો ઉપદ્રવ ઓછો રહે છે. પૂર્ણ વિકસેલા ફળોમાં કપાસી વધુ જોવા મળે છે. આંબાવાડીમાં ખુલ્લી જગ્યામાં ડાંગર કે અન્ય સૂકા ઘાસચારાનું પરાળ કે પાદડાંનુ આવરણ પાથરવાથી જમીન વધુ ગરમ થતી નથી અને કપાસીનું પ્રમાણ ઘટે છે. ઉતારેલા ફળોને સીધા તાપમાં ન રાખતા છાંયડામાં ઢાંકીને રાખવા જોઈએ. સવારના ઠંડા પહોરે કે સાંજના ચાર વાગ્યા પછી કેરી તોડવી જોઈએ એમ વલસાડ જિલ્લા નાયબ બાગાયત નિયામકે અખબાર યાદીમાં જણાવ્યું છે.

Related posts

છેલ્લા સાડા છ વર્ષ દરમિયાન દાનહ અને દમણ-દીવમાં આવેલા પરિવર્તન ઉપર કોઈ વિદ્યાર્થી પી.એચડી. માટે પોતાનો શોધ નિબંધ લખી શકે એટલી વિશાળતા

vartmanpravah

તેજલાવ ગામે લોનના બાકી હપ્તા લેવા ગયેલ મહેન્‍દ્ર ફાઈનાન્‍સના કર્મચારી ઉપર પાવડાથી હુમલો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાથે દાનહ-દમણ-દીવ તથા લક્ષદ્વીપના વિવિધ મુદ્દાઓ ઉપર ગહન ચર્ચા-વિચારણાં

vartmanpravah

કપરાડા તાલુકાના વડોલી ખાતે આદિજાતિ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરના હસ્‍તે આદિજાતિના ખેડૂતોને આંબા કલમોનું વિતરણકરાયું

vartmanpravah

આછવણીના પ્રગટેશ્વરધામની ધજા સાથેની પદયાત્રાનું દમણથી પ્રસ્‍થાન કરાયું : પ્રગટેશ્વર દાદાના પ્રાગટય દિન અવસરે મંદિરના શિખરે ધજા ચઢાવાશે

vartmanpravah

ચૂંટણીને લઈ પાતલીયા ચેક પોસ્‍ટ ખાતે સંઘપ્રદેશમાંથી આવતા તમામ શંકાસ્‍પદ વાહનોનું ચેકિંગ હાથ ધરાયું

vartmanpravah

Leave a Comment