December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહઃ અથાલના આદિવાસી પરિવારની જમીન પચાવી પાડવા સંદર્ભે ‘ભારત આદિવાસી પાટી’ દ્વારા એસ.પી.ને કરાયેલી રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.14: દાદરા નગર હવેલીના અથાલ બારીપાડામાં આદિવાસી પરિવારની જમીન છીનવી લઈ જબરદસ્‍તી ઘર તોડી પાડવા અને જમીનમાંથી બેદખલ કરવાના સંદર્ર્ભેમાં ‘ભારતીય આદિવાસી પાર્ટી’ના પ્રદેશ અધ્‍યક્ષ શ્રી દિપકભાઈ કુરાડા દ્વારા યોગ્‍ય તપાસ કરી પીડિત આદિવાસી પરિવારને ન્‍યાય અપાવવા દાનહના એસ.પી.ને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
‘ભારત આદિવાસી પાર્ટી’ના પ્રદેશ અધ્‍યક્ષ શ્રી દિપકભાઈકુરાડાએ એસ.પી.શ્રીને કરેલી ફરિયાદમાં જણાવ્‍યા પ્રમાણે 13 જૂનના રોજ અથાલ બારીપાડાની મૂળનિવાસી ગરીબ આદિવાસી બાઈ શ્રીમતી વનસીબેન કિનરીની જમીન ગેરઆદિવાસી વ્‍યક્‍તિ દ્વારા ગેરકાનૂની રીતે જબરદસ્‍તીથી છીનવી લઈ પરિવારનું ઘર પણ તોડી પાડેલ છે. વરસાદના સમયે જમીન છીનવી લઈ ઘરવિહોણા કરવાની જે ઘટના સામે આવી છે જેના સંદર્ભે આપ સાહેબશ્રી દ્વારા નિષ્‍પક્ષ, તટસ્‍થ અને યોગ્‍ય કાયદાકીય કાર્યવાહી કરી એટ્રોસીટી એક્‍ટ-1989 અને અન્‍ય કાયદાઓ મુજબ ગરીબ આદિવાસીઓને રક્ષણ આપવામાં આવે એ અમારી માંગ કરી છે.

Related posts

દાનહ ખાનવેલની પરિણીતાએ ઝેરી દવા પી આત્‍મહત્‍યા કરી

vartmanpravah

અનાવલ ડિવિઝનના તાબામાં આવતા સારવણી નવાનગરમાં વીજ કંપનીના બેદરકારી ભર્યા વહીવટ વચ્‍ચે ટ્રાન્‍સફોર્મર ઝુલા ખાઈ રહ્યું છે

vartmanpravah

દાનહ સાંસદ કલાબેન ડેલકરે પ્રદેશના અતિ બિસ્‍માર રસ્‍તાઓનો લોકસભામા ઉઠાવેલો મુદ્દો

vartmanpravah

વલસાડ જિલ્લામાં આદર્શ આચારસંહિતાના અમલ સાથે 1763 પ્રચારાત્‍મક સામગ્રીઓ દૂર કરાઈ

vartmanpravah

લોકોના પ્રશ્નોનું સ્‍થળ ઉપર જ નિરાકરણનો રાજ્‍ય સરકારનો અનોખો કાર્યક્રમ એટલે ‘સ્‍વાગત’

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીને વધાવવા દાનહ-દમણ સજીધજીને તૈયારઃ પ્રદેશમાં બીજી દિવાળીનો માહોલ

vartmanpravah

Leave a Comment