October 21, 2024
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહઃ અથાલના આદિવાસી પરિવારની જમીન પચાવી પાડવા સંદર્ભે ‘ભારત આદિવાસી પાટી’ દ્વારા એસ.પી.ને કરાયેલી રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.14: દાદરા નગર હવેલીના અથાલ બારીપાડામાં આદિવાસી પરિવારની જમીન છીનવી લઈ જબરદસ્‍તી ઘર તોડી પાડવા અને જમીનમાંથી બેદખલ કરવાના સંદર્ર્ભેમાં ‘ભારતીય આદિવાસી પાર્ટી’ના પ્રદેશ અધ્‍યક્ષ શ્રી દિપકભાઈ કુરાડા દ્વારા યોગ્‍ય તપાસ કરી પીડિત આદિવાસી પરિવારને ન્‍યાય અપાવવા દાનહના એસ.પી.ને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
‘ભારત આદિવાસી પાર્ટી’ના પ્રદેશ અધ્‍યક્ષ શ્રી દિપકભાઈકુરાડાએ એસ.પી.શ્રીને કરેલી ફરિયાદમાં જણાવ્‍યા પ્રમાણે 13 જૂનના રોજ અથાલ બારીપાડાની મૂળનિવાસી ગરીબ આદિવાસી બાઈ શ્રીમતી વનસીબેન કિનરીની જમીન ગેરઆદિવાસી વ્‍યક્‍તિ દ્વારા ગેરકાનૂની રીતે જબરદસ્‍તીથી છીનવી લઈ પરિવારનું ઘર પણ તોડી પાડેલ છે. વરસાદના સમયે જમીન છીનવી લઈ ઘરવિહોણા કરવાની જે ઘટના સામે આવી છે જેના સંદર્ભે આપ સાહેબશ્રી દ્વારા નિષ્‍પક્ષ, તટસ્‍થ અને યોગ્‍ય કાયદાકીય કાર્યવાહી કરી એટ્રોસીટી એક્‍ટ-1989 અને અન્‍ય કાયદાઓ મુજબ ગરીબ આદિવાસીઓને રક્ષણ આપવામાં આવે એ અમારી માંગ કરી છે.

Related posts

વાપી વીઆઈએથી ચણોદ આર.સી.સી. રોડની કામગીરી શરૂ થતાં ટ્રાફિક સમસ્‍યા બમણી બની

vartmanpravah

વાપી ભાજપા કાર્યકરોએ ગુંજન વન્‍દે માતરમ ચોકમાં ફટાકડા ફોડી હરિયાણા જીતનો જશ્‍ન મનાવ્‍યો

vartmanpravah

દાનહ ભાજપની બેઠકમાં પ્રધાનમંત્રીશ્રીની મુલાકાતના એકાદ-બે દિવસ પહેલાં સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ ઉપર વેલકમ મોદીજી ટ્રેન્‍ડ કરવા થયેલી ચર્ચા- વિચારણાં

vartmanpravah

દાદરા નગર હવેલી ‘‘વારલી સમાજ સંગઠન” દ્વારા પ્રદેશના સ્‍થાનિક આદિવાસીઓને ફેક્‍ટરીઓમાં નોકરીમાં પ્રાથમિકતા આપવા કલેક્‍ટરશ્રીને કરેલી રજૂઆત

vartmanpravah

દાનહ જિ.પં.ના પૂર્વ પ્રમુખ અને આજીવન કોંગ્રેસી રહેલા આદિવાસીનેતા કેશુભાઈ પટેલનું આકસ્‍મિક નિધન

vartmanpravah

દીવ ખાતે કાર્યરત ત્રિપ્‍પલ આઈટીના પ્રથમ બેચની વિદ્યાર્થીની સાક્ષી ડાંગીને ગુગલનું રૂા.50 લાખનું મળેલું વાર્ષિક પેકેજનું પ્‍લેસમેન્‍ટ

vartmanpravah

Leave a Comment