(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.14: દાદરા નગર હવેલીના અથાલ બારીપાડામાં આદિવાસી પરિવારની જમીન છીનવી લઈ જબરદસ્તી ઘર તોડી પાડવા અને જમીનમાંથી બેદખલ કરવાના સંદર્ર્ભેમાં ‘ભારતીય આદિવાસી પાર્ટી’ના પ્રદેશ અધ્યક્ષ શ્રી દિપકભાઈ કુરાડા દ્વારા યોગ્ય તપાસ કરી પીડિત આદિવાસી પરિવારને ન્યાય અપાવવા દાનહના એસ.પી.ને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
‘ભારત આદિવાસી પાર્ટી’ના પ્રદેશ અધ્યક્ષ શ્રી દિપકભાઈકુરાડાએ એસ.પી.શ્રીને કરેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે 13 જૂનના રોજ અથાલ બારીપાડાની મૂળનિવાસી ગરીબ આદિવાસી બાઈ શ્રીમતી વનસીબેન કિનરીની જમીન ગેરઆદિવાસી વ્યક્તિ દ્વારા ગેરકાનૂની રીતે જબરદસ્તીથી છીનવી લઈ પરિવારનું ઘર પણ તોડી પાડેલ છે. વરસાદના સમયે જમીન છીનવી લઈ ઘરવિહોણા કરવાની જે ઘટના સામે આવી છે જેના સંદર્ભે આપ સાહેબશ્રી દ્વારા નિષ્પક્ષ, તટસ્થ અને યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરી એટ્રોસીટી એક્ટ-1989 અને અન્ય કાયદાઓ મુજબ ગરીબ આદિવાસીઓને રક્ષણ આપવામાં આવે એ અમારી માંગ કરી છે.