October 15, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહઃ અથાલના આદિવાસી પરિવારની જમીન પચાવી પાડવા સંદર્ભે ‘ભારત આદિવાસી પાટી’ દ્વારા એસ.પી.ને કરાયેલી રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.14: દાદરા નગર હવેલીના અથાલ બારીપાડામાં આદિવાસી પરિવારની જમીન છીનવી લઈ જબરદસ્‍તી ઘર તોડી પાડવા અને જમીનમાંથી બેદખલ કરવાના સંદર્ર્ભેમાં ‘ભારતીય આદિવાસી પાર્ટી’ના પ્રદેશ અધ્‍યક્ષ શ્રી દિપકભાઈ કુરાડા દ્વારા યોગ્‍ય તપાસ કરી પીડિત આદિવાસી પરિવારને ન્‍યાય અપાવવા દાનહના એસ.પી.ને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
‘ભારત આદિવાસી પાર્ટી’ના પ્રદેશ અધ્‍યક્ષ શ્રી દિપકભાઈકુરાડાએ એસ.પી.શ્રીને કરેલી ફરિયાદમાં જણાવ્‍યા પ્રમાણે 13 જૂનના રોજ અથાલ બારીપાડાની મૂળનિવાસી ગરીબ આદિવાસી બાઈ શ્રીમતી વનસીબેન કિનરીની જમીન ગેરઆદિવાસી વ્‍યક્‍તિ દ્વારા ગેરકાનૂની રીતે જબરદસ્‍તીથી છીનવી લઈ પરિવારનું ઘર પણ તોડી પાડેલ છે. વરસાદના સમયે જમીન છીનવી લઈ ઘરવિહોણા કરવાની જે ઘટના સામે આવી છે જેના સંદર્ભે આપ સાહેબશ્રી દ્વારા નિષ્‍પક્ષ, તટસ્‍થ અને યોગ્‍ય કાયદાકીય કાર્યવાહી કરી એટ્રોસીટી એક્‍ટ-1989 અને અન્‍ય કાયદાઓ મુજબ ગરીબ આદિવાસીઓને રક્ષણ આપવામાં આવે એ અમારી માંગ કરી છે.

Related posts

મોટી દમણના લાઈટ હાઉસ ટેન્‍ટસીટી ફર્ન હોટેલ સામેના બીચ ઉપરથી રાહુલ મનસુખ દુબે નામનો યુવક ગુમ

vartmanpravah

રાષ્‍ટ્રિય સેવા યોજના દાદરા નગર હવેલી અને દમણ અને દીવના સ્‍વયંસેવકોની દિલ્‍હી ખાતે યોજાનાર પ્રજાસત્તાક દિવસ પરેડમાં થયેલી પસંદગી

vartmanpravah

દીવના તડ ચેકપોસ્‍ટ પર બુટલેગરોને લગામ લગાડવા પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્‍યું

vartmanpravah

કલસરમાં જીએસપીસીની ગેસ લાઈનમાં ભંગાણ થતા આગ ભભૂકી ઉઠી

vartmanpravah

નવી દિલ્‍હી ખાતે સ્‍વતંત્રતા દિવસની ઉજવણીમાં વાપી કેબીએસ કોલેજના એનએસએસના વિદ્યાર્થીએ લીધેલો ભાગ

vartmanpravah

શ્રીમદ્દ રાજચંદ્ર સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરમાં Y-20 અંતર્ગત ‘ગુજરાત સંવાદ’ યોજાયો

vartmanpravah

Leave a Comment