July 21, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ અને એડવોકેટ્‍સ બાર એસો. સંયુક્‍ત નેજા હેઠળ ભીમપોરમાં કામદારો માટે કાનૂની માહિતી શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,તા.17
રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ, દમણ અને એડવોકેટ્‍સ બાર એસોસિએશનના સંયુક્‍ત નેજા હેઠળ છેલ્લા 2 સપ્તાહથી ઔદ્યોગિક એકમોમાં કામ કરતા શ્રમિકો અને તેમના બાળકો માટે દમણ જિલ્લામાં વિવિધ સ્‍થળોએ કાયદાકીય જાગૃતિ શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં જિલ્લા બાળ અપરાધ સહિત અન્‍ય ગુનાઓ પર રોક લગાવી શકાય.
પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રદેશના ઔદ્યોગિકએકમોમાં કામ કરતા કામદારો અને તેમના બાળકોને કાનૂની જાણકારી મળે તે હેતુથી આજે સોમવારે ભીમપોર ખાતે આવેલ સિલ્‍વર ઈન્‍ડસ્‍ટ્રીયલ એરિયામાં લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા એક જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ શિબિરનો મુખ્‍ય ઉદ્દેશ ઔદ્યોગિક વિસ્‍તારમાં રહેતા શ્રમિકો અને તેમના પરિવારોને તેમના માટે બનેલા કાયદાઓ અને બાળ અપરાધ સામે રક્ષણ, પોક્‍સો એક્‍ટ સહિતના અન્‍ય કાયદાઓ વિશે માહિતગાર કરવાનો છે, જેથી ઔદ્યોગિક વિસ્‍તારોમાં થતી ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવી શકાય. શિબિરમાં કાયદાશાષાીઓએ જણાવ્‍યું હતું કે, મોટાભાગના લોકો કાયદાકીય જાણકારીના અભાવે ગુના કરે છે. આ જ કારણ છે કે રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ, દમણ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી કાનૂની જાગૃતિ શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને લોકો સુધી પહોંચીને તેમને કાયદાકીય માહિતી આપવામાં આવી રહી છે.

Related posts

દીવ ખાતે ભારતની ઐતિહાસિક જી20 પ્રેસિડેન્‍સી વિશે જાગૃતતા ફેલાવતા પ્રદર્શનનું આયોજન

vartmanpravah

વાપી સલવાવ હાઈવે ઓવરબ્રિજ પાસે લક્‍ઝરી બસમાં દારૂના જથ્‍થા સાથે એક ઝડપાયો

vartmanpravah

સમાજ કલ્‍યાણ સચિવ ભાનુ પ્રભાએ આનંદીબેન પટેલના કાર્યક્રમમાં નાની નાની વાતોની પણ કાળજી રાખી આભાર વિધિમાં કાર્યક્રમ સાથે જોડાયેલા તમામ લોકોને જોડી પોતાની ટીમ ભાવનાની કરાવેલી પ્રતિતિ

vartmanpravah

થેલેસેમિયાથી પીડાતી વલસાડની ૧૦ વર્ષીય બાળકીનો જીવ બચાવવા ૧૩ વર્ષીય મોટી બહેન ડોનર બનતા બોન મેરો ટ્રાન્સ્પલાન્ટ કરાયુ

vartmanpravah

દમણ જિલ્લા કોળી પટેલ સમાજના સોમનાથ ભવનમાં ચાલી રહેલ શ્રીમદ્‌ ભાગવત કથાના છઠ્ઠા દિવસે કૃષ્‍ણ જન્‍મોત્‍સવ અને રૂક્ષ્મણી વિવાહની કરાયેલી ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દિર્ઘદૃષ્‍ટિ અને પ્રધાનમંત્રીના આશિર્વાદથી આજથી સંઘપ્રદેશમાં શ્રી વિનોબા ભાવે ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ એલાઈડ સાયન્‍સનો થનારો આરંભ

vartmanpravah

Leave a Comment