January 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ અને એડવોકેટ્‍સ બાર એસો. સંયુક્‍ત નેજા હેઠળ ભીમપોરમાં કામદારો માટે કાનૂની માહિતી શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,તા.17
રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ, દમણ અને એડવોકેટ્‍સ બાર એસોસિએશનના સંયુક્‍ત નેજા હેઠળ છેલ્લા 2 સપ્તાહથી ઔદ્યોગિક એકમોમાં કામ કરતા શ્રમિકો અને તેમના બાળકો માટે દમણ જિલ્લામાં વિવિધ સ્‍થળોએ કાયદાકીય જાગૃતિ શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં જિલ્લા બાળ અપરાધ સહિત અન્‍ય ગુનાઓ પર રોક લગાવી શકાય.
પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રદેશના ઔદ્યોગિકએકમોમાં કામ કરતા કામદારો અને તેમના બાળકોને કાનૂની જાણકારી મળે તે હેતુથી આજે સોમવારે ભીમપોર ખાતે આવેલ સિલ્‍વર ઈન્‍ડસ્‍ટ્રીયલ એરિયામાં લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા એક જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ શિબિરનો મુખ્‍ય ઉદ્દેશ ઔદ્યોગિક વિસ્‍તારમાં રહેતા શ્રમિકો અને તેમના પરિવારોને તેમના માટે બનેલા કાયદાઓ અને બાળ અપરાધ સામે રક્ષણ, પોક્‍સો એક્‍ટ સહિતના અન્‍ય કાયદાઓ વિશે માહિતગાર કરવાનો છે, જેથી ઔદ્યોગિક વિસ્‍તારોમાં થતી ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવી શકાય. શિબિરમાં કાયદાશાષાીઓએ જણાવ્‍યું હતું કે, મોટાભાગના લોકો કાયદાકીય જાણકારીના અભાવે ગુના કરે છે. આ જ કારણ છે કે રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ, દમણ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી કાનૂની જાગૃતિ શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને લોકો સુધી પહોંચીને તેમને કાયદાકીય માહિતી આપવામાં આવી રહી છે.

Related posts

વાપી કેબીએસ એન્‍ડ નટરાજ પ્રોફેશનલ કોલેજમાં એનએસ યુનિટ દ્વારા રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યા મંદિરમાં સુરક્ષા અને માસિક સ્‍વચ્‍છતા જાગૃતતા કાર્યક્રમનું કરાયેલું આયોજન

vartmanpravah

ચીખલી તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં એગ્રી સ્‍ટેકનું સર્વર ડાઉન થતાં નોંધણી માટે ખેડૂતોને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા સાથે ધક્કા ખાવાની નોબત આવતા ભારે રોષ

vartmanpravah

ઉમરગામ તાલુકાની ગ્રામ પંચાયતોમાં વિકાસ કમિશનરના આકારણી માટેના પરિપત્રનું થઈ રહેલું ઉલ્લંઘન

vartmanpravah

નાન્‍ધઈ-મરલાને જોડતો ડૂબાઉ કોઝવે ભૂતકાળ બનશે: 6 કરોડનો ઊંચો પુલ સાંસદ સી. આર. પાટીલ અને કેબિનેટ મંત્રી નરેશભાઈના પ્રયત્‍નોથી સાકાર થશે

vartmanpravah

મહાશિવરાત્રી નિમિત્તે સંઘપ્રદેશના શિવાલયોમાં ભક્‍તોની ઉમટેલી ભીડઃ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠેલા શિવાલયો

vartmanpravah

Leave a Comment