Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સમરસ ચૂંટણી થવાની સંભાવના વચ્‍ચે દીવ જિલ્લાની 6 ગ્રામ પંચાયતોના સરપંચ-વોર્ડ સભ્‍યોની ચૂંટણીનું કાઉન્‍ટ-ડાઉન શરૂ

સંઘપ્રદેશના ચૂંટણી કમિશનર સુધાંશું પાંડેએ મહિલા આરક્ષિત સરપંચોની બેઠક માટે કરેલા ડ્રોમાં મહારાણા પ્રતાપ, સાઉદવાડી અને સરદાર વલ્લભભાઈ પટેલ ગ્રામ પંચાયતોમાં સરપંચનું પદ મહિલાઓ માટે આરક્ષિત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.21 : સંઘપ્રદેશ પ્રશાસને દીવ જિલ્લાની વણાંકબારા અને સાઉદવાડી ગ્રામ પંચાયતોનું વિભાજન કરી બીજી નવી 4 ગ્રામ પંચાયતોનું ગઠન કરવામાં આવ્‍યું હતું. વણાંકબારા અને સાઉદવાડી ગ્રામ પંચાયતની ચૂંટાયેલી તત્‍કાલિન પાંખને પણ બર્ખાસ્‍ત કરવામાં આવી હતી.
આજે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના ચૂંટણી કમિશનર શ્રી સુધાંશુ પાંડેની અધ્‍યક્ષતામાં 6 ગ્રામ પંચાયતોની આરક્ષિત બેઠકો માટે ડ્રો કરવામાં આવ્‍યો હતો. જેમાં મહારાણા પ્રતાપ, સાઉદવાડી અને સરદાર વલ્લભભાઈ પટેલ ગ્રામ પંચાયતોમાં સરપંચનું પદ મહિલાઓ માટે આરક્ષિત રાખવામાં આવ્‍યું છે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે નવેમ્‍બર-2020ની જિલ્લા અને ગ્રામ પંચાયતો તથા નગરપાલિકાઓની ચૂંટણીમાં મહિલાઓ માટે પચાસ ટકા અનામત બેઠકો રાખવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો. જેનાઅનુસંધાનમાં આજે દીવ જિલ્લાની 6 ગ્રામ પંચાયતોમાં મહિલા આરક્ષણ માટે કરવામાં આવેલા ડ્રોમાં 3 ગ્રામ પંચાયતોમાં મહિલા સરપંચ બિરાજમાન થશે.
દીવ જિલ્લાની 6 ગ્રામ પંચાયતોના વોર્ડ સભ્‍યોમાંથી 27 બેઠક મહિલાઓ માટે આરક્ષિત રાખવામાં આવી છે.
દીવ જિલ્લાની 6 ગ્રામ પંચાયતોમાં સરપંચ અને વોર્ડ સભ્‍યોના આરક્ષણની બેઠકનો ડ્રો થયા બાદ હવે ચૂંટણીની તારીખ ગમે તે સમયે જાહેર થવાની સંભાવના છે. દીવ જિલ્લાની 6 ગ્રામ પંચાયતોમાં સમરસ ચૂંટણી થવાની સંપૂર્ણ સંભાવના છે. જો ચૂંટણી સમરસ નહીં થઈ તો 2024ની લોકસભા ચૂંટણી માટે દીવ જિલ્લાનું વલણ કેવું રહેશે તેનો પણ પરિચય મળી રહેશે.

Related posts

શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્‍ડિયાના એમ.ડી. એચ.એમ. જોશીએ સંઘપ્રદેશના પ્રશાસક સાથે કરેલીમુલાકાત

vartmanpravah

દમણ પોલીસે વિખુટી પડેલી ચાર વર્ષની બાળકીનો પોતાના પરિવાર સાથે કરાવેલો મેળાપ

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય ખ્‍યાતિપ્રાપ્ત ‘આર્ટ ઓફ લિવિંગ’ દ્વારા આજથી નાની દમણના સ્‍વામી વિવેકાનંદ કોલેજ ગ્રાઉન્‍ડ ખાતે યોગ મહોત્‍સવનું આયોજન

vartmanpravah

વલસાડ જિલ્લાના વેલવાચ, મનાઈચોંઢી અને તિસ્કરી તલાટના 66 કેવી સબ સ્ટેશનનું ઉર્જામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઈ- લોકાર્પણ કરાયું 

vartmanpravah

દમણ જિ.પં. અધ્‍યક્ષ જાગૃતિબેન પટેલે કુપોષણ દૂર કરવા માટે પ્રશાસન દ્વારા ઉઠાવવામાં આવી રહેલા પગલાંની કરેલી પ્રશંસા

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ અને ખેલ સચિવ અંકિતા આનંદે દીવ ખાતે પદ્મભૂષણ સ્‍પોર્ટસ કોમ્‍પ્‍લેક્ષનું કરેલુંનિરીક્ષણ

vartmanpravah

Leave a Comment