February 5, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ જિલ્લામાં આજે સાત દિવસીય ગણપતિ બાપ્‍પાનું વિસર્જન કરવામાં આવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.25: કેન્‍દ્રશાસિત પ્રદેશ દીવ જિલ્લામાં સાર્વજનિક તથા ઘરે ઘરે ગણપતિ બાપ્‍પાની સ્‍થાપના કરવામાં આવી હતી. લોકો માનતા પ્રમાણે દોઢ દિવસ, ત્રણ દિવસ, પાંચ દિવસ તથા સાત દિવસના ગણપતિ બાપ્‍પાનું વિસર્જન કરવામાં આવ્‍યું હતું. આજે દીવ જિલ્લાના સાત દિવસીય ગણપતિ બાપ્‍પાનું વિસર્જન વાજતે ગાજતે અને ધામધૂમથી કરવામાં આવ્‍યું હતું. વિસર્જન દરમિયાન ગણપતિ બાપ્‍પા મોરિયા તથા અગલે બરસ તુ જલ્‍દી આના થી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્‍યું હતું. વિસર્જન પહેલાગણપતિ બાપ્‍પાની આરતી તથા પૂજા અર્ચના કરી, અને દરિયામાં વિસર્જન કર્યું લોકોની આંખ નમ જોવા મળી હતી. દરિયા કિનારે જેટી પર દીવ પ્રશાસન દ્વારા ફાયર બ્રિગેડના જવાનો તથા સ્‍થાનિક માછીમારો સ્‍વયં સેવક તરીકે ઉપસ્‍થિત રહી લોકોને વિસર્જન માટે મદદરૂપ બન્‍યા હતા.

Related posts

ચીખલી-વાંસદા માર્ગ ઉપર માણેકપોર પાસે કારે મોટર સાયકલને અડફેટે લીધા બાદ મેડિકલ સ્‍ટોરના ઓટલા પર ચઢી જતા અફરાતફરી મચી

vartmanpravah

ગોઈમા ગામે સામુહિક સત્‍યનારાયણ ભગવાનની કથા સાથે તળાવ પર ઓવારાનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

દમણઃ રવિવારે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ પટલારા ગ્રામ પંચાયત ખાતે પહોંચતાકરાયેલું સ્‍વાગત

vartmanpravah

સેલવાસ નગરપાલિકા વિસ્‍તારના લોકોને ફરજીયાત સીવરેજ-સેપ્‍ટિક ટેન્‍કની સાફ-સફાઈ કરવા સૂચના

vartmanpravah

નવસારી જિલ્લામાં કુપોષણ અંગે જનજાગૃતિ અભિયાનનો શુભારંભ

vartmanpravah

દિવાળી વેકેશનને લઈને ટ્રાફિક સંદર્ભે એસપીએ હોટલ એસોસિએશન સાથે યોજી બેઠક

vartmanpravah

Leave a Comment