Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ જિલ્લામાં આજે સાત દિવસીય ગણપતિ બાપ્‍પાનું વિસર્જન કરવામાં આવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.25: કેન્‍દ્રશાસિત પ્રદેશ દીવ જિલ્લામાં સાર્વજનિક તથા ઘરે ઘરે ગણપતિ બાપ્‍પાની સ્‍થાપના કરવામાં આવી હતી. લોકો માનતા પ્રમાણે દોઢ દિવસ, ત્રણ દિવસ, પાંચ દિવસ તથા સાત દિવસના ગણપતિ બાપ્‍પાનું વિસર્જન કરવામાં આવ્‍યું હતું. આજે દીવ જિલ્લાના સાત દિવસીય ગણપતિ બાપ્‍પાનું વિસર્જન વાજતે ગાજતે અને ધામધૂમથી કરવામાં આવ્‍યું હતું. વિસર્જન દરમિયાન ગણપતિ બાપ્‍પા મોરિયા તથા અગલે બરસ તુ જલ્‍દી આના થી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્‍યું હતું. વિસર્જન પહેલાગણપતિ બાપ્‍પાની આરતી તથા પૂજા અર્ચના કરી, અને દરિયામાં વિસર્જન કર્યું લોકોની આંખ નમ જોવા મળી હતી. દરિયા કિનારે જેટી પર દીવ પ્રશાસન દ્વારા ફાયર બ્રિગેડના જવાનો તથા સ્‍થાનિક માછીમારો સ્‍વયં સેવક તરીકે ઉપસ્‍થિત રહી લોકોને વિસર્જન માટે મદદરૂપ બન્‍યા હતા.

Related posts

દાનહના લોકપ્રિય નેતા સ્‍વ. મોહનભાઈ ડેલકરની પ્રથમ પુણ્‍યતિથિના ઉપલક્ષમાં વિશાળ શ્રદ્ધાંજલિ ‘સ્‍મૃતિ સપ્તાહ’નું આયોજન

vartmanpravah

દમણ પોલીસે 2 ડ્રગ પેડલર અને 1ડ્રગ સપ્‍લાયરને ઝડપી પાડયા

vartmanpravah

ગાંધીનગર બે દિવસીય બે દિવસીય રાષ્‍ટ્રીય મેયર્સ કોન્‍ફરન્‍સમાં સેલવાસ, દમણ અને દીવ ન.પા.ના પ્રમુખો અને ઉપ પ્રમુખોએ લીધેલો ભાગ

vartmanpravah

વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને વલસાડ તાલુકા હેલ્‍થ કચેરીના મકાનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

vartmanpravah

‘ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ’ માટે સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાંથી 39 ખેલાડીઓની કરવામાં આવેલી પસંદગી

vartmanpravah

વાપીમાં ગાંધી જયંતિની ઉજવણી : ભાજપ-કોંગ્રેસના આગેવાનોએ બાપુની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી સાથે ઉજવણી કરી

vartmanpravah

Leave a Comment