February 5, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારી જિલ્લાના તમામ ગામો અને નગરોમાં પહેલી ઓક્‍ટોબરે ‘‘એક તારીખ, એક કલાક” સુત્ર સાથે મહા શ્રમદાનનું આયોજન

નવસારી જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સી દ્વારા મહાઅભિયાનને સફળ બનાવવા નવસારીના નાગરિકોને અપીલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.29: નવસારી જિલ્લામાં ‘‘સ્‍વચ્‍છતા હી સેવા” અભિયાન અંતર્ગત 1 ઓક્‍ટોબરના રોજ સવારે 10.00 વાગ્‍યાથી એક કલાક માટે નવસારી જિલ્લાના ગામોમાં તથા નગરોમાં એક કલાકના મહાશ્રમદાન કાર્યક્રમમાં સ્‍વચ્‍છતાલક્ષી કાર્યક્રમો યોજાશે.
સ્‍વચ્‍છતા હી સેવા કાર્યક્રમ હેઠળ યોજાનાર મહાશ્રમદાનમાં નવસારી જિલ્લાના જનપ્રતિનિધિઓ, જિલ્લા/તાલુકા પંચાયતોના પદાધિકારીઓ અને સભ્‍યો, સરપંચો અને ગ્રામ પંચાયત સભ્‍યો સહિતના આગેવાનો ‘‘એક તારીખ, એક કલાક મહાશ્રમદાન” સૂત્ર સાથે સવારે 10.00 વાગે મેગા સ્‍વચ્‍છતા ઝુંબેશમાં જોડાશે. આ અવસરે નવસારી જિલ્લાના તમામ ગામ તથા શહેરી વિસ્‍તારોમાં વોર્ડ વાઈઝ લોકભાગીદારી સાથે ‘‘એક તારીખ, એક કલાક મહાશ્રમદાન” સૂત્ર સાથે સાફ-સફાઈ અભિયાન થશે.
એક કલાકના મહાશ્રમદાન અભિયાનહેઠળ નવસારી જિલ્લાના તમામ ગામોના વિસ્‍તારોમાં દરેક ગામ, આરોગ્‍ય કેન્‍દ્ર, આંગણવાડી, શાળા, વિવિધ કચેરીઓના પ્રાંગણ, આસપાસના વિસ્‍તારો, પ્રવાસન સ્‍થળો, દરિયાકિનારા, ગૌ-શાળા, બસ સ્‍ટેન્‍ડ, ધાર્મિક સ્‍થળો વગેરે જગ્‍યાઓ પર વિવિધ સ્‍થળોએ મહાશ્રમદાન સહ મેગા સફાઈ ઝુંબેશ થશે.
તા.2જીએ પૂ.મહાત્‍મા ગાંધીની જન્‍મજયંતિને નિમિતે જનભાગીદારી દ્વારા ગામોમાં પ્રભાત ફેરી, ગ્રામ સભા, રંગોળી સ્‍પર્ધા તથા સ્‍વચ્‍છતા અભિયાન, પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રો તથા સામૂહિક આરોગ્‍ય કેન્‍દ્રોમાં હેલ્‍થ ચેકઅપ કેમ્‍પ સહિતના કાર્યક્રમો યોજાનાર છે.
જિલ્લાના સૌ નાગરિકો ઘરથી ગામ, ગામથી તાલુકો, તાલુકાથી જિલ્લો, જિલ્લાથી રાજ્‍ય અને રાજ્‍યથી આપણા ભારત દેશને સ્‍વચ્‍છ બનાવવાના માટે એક કલાકના મહા-શ્રમદાન અભિયાનમાં જોડાવવા માટે નવસારી જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સી દ્વારા સૌને અપીલ કરવામાં આવે છે.

Related posts

વલસાડ જિલ્લામાં નવરાત્રી દરમિયાન કોઈપણમહિલાને રાત્રે મુશ્‍કેલી જણાય તો પોલીસ ઘરે સુધી પહોંચાડશે

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિન નિમિત્તે સંઘપ્રદેશમાં સેવા સમર્પણ સાથે ભાવિ પેઢીનોજયઘોષ

vartmanpravah

ધરમપુર જુજવા ગામે આઈ.પી. ગાંધી સેકન્‍ડરી સ્‍કૂલમાં આગ લાગતા દોડધામ મચી : સદ્દનસીબે કોઈ જાનહાની નહી

vartmanpravah

વિધાનસભા સામાન્‍ય ચૂંટણીના નિરીક્ષણ અર્થે નવસારી જિલ્લામાં ઓબ્‍ઝર્વરોની નિમણૂંક કરવામાં આવી

vartmanpravah

‘જનજાતીય ગૌરવ દિવસ’ના ઉપલક્ષમાં છત્તીગઢના જશપુરમાં આયોજીત ‘‘ભગવાન બિરસા મુંડા માટી કે વીર પદયાત્રા”માં સેલવાસ નેહરૂ યુવા કેન્‍દ્રના બી.કે.યુવા મંડળનું શાનદાર પ્રદર્શન

vartmanpravah

વાપી હાઈવે ઉપર કરમબેલાના યુવાનનું અજાણ્‍યા વાહને ટક્કર મારતા મોત

vartmanpravah

Leave a Comment