April 28, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ રેલવે સ્‍ટેશન પર ‘‘સ્‍વચ્‍છતા હી સેવા” મહા શ્રમ દાન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.01: ભારત સરકારના સ્‍વચ્‍છતા હી સેવા અભિયાન અંતર્ગત વલસાડ જેસીઆઈના સભ્‍યો દ્વારા વલસાડ રેલવે સ્‍ટેશનની બહાર અને પ્‍લેટફોર્મ ઉપર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્‍યું હતું. રેલવેઅધિકારી અજયપાલ સિંહ અને અન્‍ય અધિકારીઓએ વલસાડની વિવિધ સંસ્‍થા અને પતંજલિ યોગ સમિતી, યોગ બોર્ડ વલસાડના સભ્‍યો સાથે મળી રેલવે સ્‍ટેશનનાં પાર્કિંગથી લઈને પ્‍લેટફોર્મ નં.4 સુધીના દરેક સ્‍થળની સફાઈ કરી હતી. આ સમગ્ર આયોજન જેસીઆઈના પ્રમુખ જેસી સાહિલ અશોક દેસાઈનાં માર્ગદર્શન હેઠળ પ્રોજેક્‍ટ ચેર જેસી પ્રણવ દેસાઈ અને જેસી પૂર્વી તોમર દ્વારા કરવામાં આવ્‍યું હતું. શાળાના બાળકો દ્વારા સફાઈનું મહત્‍વ સમજાવાયુ હતું સાથે શેરી પણ નાટક ભજવવામાં આવ્‍યું હતું. જેને સૌ કોઈએ તાળીઓના ગડગડાટ સાથે વધાવ્‍યું હતું.

Related posts

કેન્‍દ્રિય મંત્રી નારાયણ રાણેની દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન સાથેની બેઠકમાં સંઘપ્રદેશમાં એમએસએમઈ અને અન્‍ય ઉદ્યોગોના વિકાસ માટે નિર્ધારિત સમયમાં યોગ્‍ય વ્‍યવસ્‍થા કરવાનો આપેલો ભરોસો

vartmanpravah

રાજ્‍યના પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરીનો પ્રવાસ કાર્યક્રમ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ તા.05: ગુજરાતના કલ્‍પસર, મત્‍સ્‍યોદ્યોગ (સ્‍વતંત્ર હવાલો), નર્મદા, જળસંપત્તિ, અને પાણી પુરવઠા વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી તા.6/4/2022ના રોજ સવારે 10-00 કલાકે નાનાપોંઢા ખાતે ભાજપના સ્‍થાપના દિનના કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે, ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.7/4/2022 અને તા.8/4/2022ના રોજ અનુラકૂળતાએ તેમના મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.9/4/2022ના રોજ સાંજે 4-00 કલાકે જલારામધામ, ફલધરા ખાતે રામનવમી નિમિત્તે ભવ્‍ય આનંદ મેળામાં હાજરી આપશે, ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.10/4/2022ના રોજ સવારે 9-00 કલાકે નૂતન વિદ્યાલય ધરાસણા ખાતે ગુજરાત પ્રદેશ અધ્‍યક્ષની ઉપસ્‍થિતિમાં યોજાનારા મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પમાં હાજરી આપશે અને ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. સાંજે 4-30 કલાકે મહર્ષિ સદ્‌ગુરુ સદાફલ દેવ દંડકવન આશ્રમ, વાંસીયાતળાવ, તા.વાંસદા, જિ.નવસારી ખાતે વિહંગમ યોગસત્‍સંગ સમારોહ અને ધ્‍યાન શિબિરમાં હાજરી આપી અનુકૂળતાએ ગાંધીનગર જવા રવાના થશે

vartmanpravah

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ (ડાંગ) દ્વારા ફણસી અને કારેલાંની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ

vartmanpravah

પારડીમાં ઠેર ઠેર હોલીકા દહનની ઉજવણી: પર્યાવરણને ધ્‍યાનમાં લઈ વૈદિક હોળી પ્રગટાવાઈ

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ પારડી પર્લ દ્વારા સેવાકીય કાર્યક્રમોની ત્રિવેણી વહેતી કરાઈ

vartmanpravah

જીએનએલયુ-સેલવાસ કેમ્‍પસના આરંભ પાછળ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દૂરંદેશી અને અથાક પરિશ્રમઃ જીએનએલયુ ડાયરેક્‍ટર પ્રો. (ડૉ.) શાંથાકુમાર

vartmanpravah

Leave a Comment