Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના જલારામ નગર ખાતેથી મોડી રાત્રે મહાકાય અજગરનું રેસ્‍કયું કરતા જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અન્‍સારી

લગ્ન ડેકોરેશનના ગોડાઉનમાં ભરાયો હતો અજગર: 12થી14 ફૂટ લાંબો અને 35થી 40 કિલો વજન ધરાવતો હોવાનું અનુમાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.02: પારડીસ્‍વાધ્‍યાય મંડળ રોડ ખાતે આવેલ જલારામ નગરમાં રહેતા અને શિવ ડેકોરેશનના નામે લગ્ન મંડપનો વ્‍યવસાય કરતા વિનયભાઈએ ગઈકાલે રાત્રે બે વાગ્‍યે ઘરની બાજુમાં આવેલ ગોડાઉનમાં સાપ આવ્‍યો હોવાનો ફોન જીવદયા ગ્રુપ પારડીના પ્રમુખ અલી અન્‍સારીને કરતા તેઓ તાત્‍કાલિક જલારામ નગર ખાતે પહોંચી જોતા એક વિશાળકાય અજગર જોવા મળ્‍યો હતો પરંતુ આ અજગર જોતજોતામાં બાજુમાં આવેલ ડેકોરેશનના ગોડાઉનમાં ભરાય ગયો હતો. પરંતું અલીભાઈ ત્‍યાં હાજર હોય ડર રાખ્‍યા વિના ગોડાઉન માલિક વિનયભાઈ તથા તેમના માણસોએ આટલી મોડી રાતે ખૂબ મહેનતથી આ ગોડાઉનમાં રાખવામાં આવેલ લાકડાઓ દૂર કરતા લગભગ અડધાથી પોણા કલાકની મહેનત બાદ આ મહાકાય અજગરનું રેસ્‍કયું કરવામાં સફળતા પ્રાપ્ત થઈ હતી. 12થી 14 ફૂટ લાંબો અને 35થી 40 કિલો વજન ધરાવતા આ અજગરને ફોરેસ્‍ટ ખાતાને જાણ કરી જંગલમાં છોડવામાં આવશે.
સાથે સાથે એક અપીલ પણ કરવામાં આવે છે કે આવા કોઈ પણ પ્રકારના સરીસૃપ પ્રાણીઓ, કોઈપણ પ્રકારના સાપો જો તમને તમારા ઘર કે અન્‍ય આજુબાજુ નજરે ચઢે તો તેને ઈજા કે મારી ન નાખતા જીવદયા ગ્રુપ પારડીનો સંપર્ક કરવો, જેથી જીવદયા ગ્રુપના સભ્‍યો જેમ બને તેમ જલદી આવી સહી સલામત રીતે રેશકયું કરી આવા સાપોને લઈજાય.

Related posts

દાનહ અને દમણ-દીવ ભાજપ દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરની 131મી જન્‍મજયંતિની ઉજવણી કરાઈ

vartmanpravah

શનિવારે દાનહ જિ.પં. અને સેલવાસ ન.પા. દ્વારા લાભાર્થી સંમેલન યોજાશેઃ કેન્‍દ્રીય આવાસ અને શહેરી કાર્ય રાજ્‍ય મંત્રી કૌશલ કિશોરની રહેનારી વિશેષ ઉપસ્‍થિતિ

vartmanpravah

પર્યાવરણને ખતરામાં નાખનારા વિકાસ મોડેલ માનવતા માટે યોગ્‍ય નથી પરંતુ..  સેલવાસ ન.પા. દ્વારા વિકાસના નામે વૃક્ષોનું આડેધડ કાઢવામાં આવીરહેલું નિકંદન

vartmanpravah

સંઘપ્રદેશના આરોગ્‍ય અને શિક્ષણ વિભાગના સંયુક્‍ત સંકલનમાં દાનહની સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળા(અંગ્રેજી માધ્‍યમ) ટોકરખાડાથી ‘તંમાકુ મુક્‍ત યુવા અભિયાન 2.0’નો કરાયો પ્રારંભ

vartmanpravah

ભારતના રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની કાર્યનિષ્‍ઠા અને દીર્ઘદૃષ્‍ટિની મુક્‍ત મને કરેલી પ્રશંસા

vartmanpravah

દાનહના સામરવરણીમાં રહેતા વેપારીનું હૃદયરોગના હૂમલામાં મોત

vartmanpravah

Leave a Comment