January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના જલારામ નગર ખાતેથી મોડી રાત્રે મહાકાય અજગરનું રેસ્‍કયું કરતા જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અન્‍સારી

લગ્ન ડેકોરેશનના ગોડાઉનમાં ભરાયો હતો અજગર: 12થી14 ફૂટ લાંબો અને 35થી 40 કિલો વજન ધરાવતો હોવાનું અનુમાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.02: પારડીસ્‍વાધ્‍યાય મંડળ રોડ ખાતે આવેલ જલારામ નગરમાં રહેતા અને શિવ ડેકોરેશનના નામે લગ્ન મંડપનો વ્‍યવસાય કરતા વિનયભાઈએ ગઈકાલે રાત્રે બે વાગ્‍યે ઘરની બાજુમાં આવેલ ગોડાઉનમાં સાપ આવ્‍યો હોવાનો ફોન જીવદયા ગ્રુપ પારડીના પ્રમુખ અલી અન્‍સારીને કરતા તેઓ તાત્‍કાલિક જલારામ નગર ખાતે પહોંચી જોતા એક વિશાળકાય અજગર જોવા મળ્‍યો હતો પરંતુ આ અજગર જોતજોતામાં બાજુમાં આવેલ ડેકોરેશનના ગોડાઉનમાં ભરાય ગયો હતો. પરંતું અલીભાઈ ત્‍યાં હાજર હોય ડર રાખ્‍યા વિના ગોડાઉન માલિક વિનયભાઈ તથા તેમના માણસોએ આટલી મોડી રાતે ખૂબ મહેનતથી આ ગોડાઉનમાં રાખવામાં આવેલ લાકડાઓ દૂર કરતા લગભગ અડધાથી પોણા કલાકની મહેનત બાદ આ મહાકાય અજગરનું રેસ્‍કયું કરવામાં સફળતા પ્રાપ્ત થઈ હતી. 12થી 14 ફૂટ લાંબો અને 35થી 40 કિલો વજન ધરાવતા આ અજગરને ફોરેસ્‍ટ ખાતાને જાણ કરી જંગલમાં છોડવામાં આવશે.
સાથે સાથે એક અપીલ પણ કરવામાં આવે છે કે આવા કોઈ પણ પ્રકારના સરીસૃપ પ્રાણીઓ, કોઈપણ પ્રકારના સાપો જો તમને તમારા ઘર કે અન્‍ય આજુબાજુ નજરે ચઢે તો તેને ઈજા કે મારી ન નાખતા જીવદયા ગ્રુપ પારડીનો સંપર્ક કરવો, જેથી જીવદયા ગ્રુપના સભ્‍યો જેમ બને તેમ જલદી આવી સહી સલામત રીતે રેશકયું કરી આવા સાપોને લઈજાય.

Related posts

દાનહમાં જો કોઈ ઉદ્યોગ કે કોન્‍ટ્રાક્‍ટરે લઘુત્તમ વેતન ધારાનો ભંગ કર્યો તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરાશેઃ દાનહના શ્રમ ઉપ આયુક્‍ત ચાર્મી પારેખે જારી કરેલો સરક્‍યુલર

vartmanpravah

નવસારી એલસીબી પોલીસે મલવાડા ઓવરબ્રિજ પાસેથી દારૂ ભરેલ ઈનોવા સાથે એકની ધરપકડ કરી : રૂા.6.83 લાખનો મુદ્દામાલ કબ્‍જે કર્યો

vartmanpravah

પોષણ અભિયાન દીવ દ્વારા હાયર સેકન્‍ડરી સ્‍કૂલ ખાતે અડોલેસેન્‍સ ગર્લ્‍સ સાથે પ્રોગ્રામ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશમાં ભાજપ કોંગ્રેસ શિવસેના કે અપક્ષો સહિત તમામ રાજકીય-જૂથો પાસે નથી કોઈ એજન્‍ડા કે વિકાસની દીર્ઘદૃષ્‍ટિ

vartmanpravah

પારનેરા ડુંગર જંગલ વિસ્‍તારમાં આગ લાગી: ગ્રામજનોએ રંગ રાખ્‍યો, મહેનત કરીને આગ બુઝાવી

vartmanpravah

ધરમપુરમાં આદિવાસી અમૃત કુંભ મહોત્‍સવ રથ આવી પહોંચતા ધારાસભ્‍ય અરવિંદભાઈ પટેલના હસ્‍તે ઉષ્‍માભેર સ્‍વાગત કરાયુ

vartmanpravah

Leave a Comment