February 5, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ભરૂચ જિલ્લામાં સૌપ્રથમવાર અદાણી ફાઉન્‍ડેશન દ્વારા પ્રાકૃતિક ખેતીનો પ્રારંભ

78 ગામોના ‘અન્નદાતા’ને અન્નપૂર્ણા પ્રોજેક્‍ટ હેઠળ તાલીમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
અમદાવાદ, તા.04: અદાણી ફાઉન્ડેશન દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપતી અનેક પહેલો કરવામાં આવી રહી છે.ગત સપ્તાહે ભરૂચના 78 ગામોમાં પ્રાકૃતિક ખેતીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાનેત્રંગ તાલુકા પંચાયત સાથે મળીને નેચરલ ફાર્મીંગ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે.અદાણી ફાઉન્ડેશનના અન્નપૂર્ણા પ્રોજેક્ટ અંતર્ગત નેત્રંગ તાલુકાના ખેડૂતો સૌ પ્રથમવાર પ્રાકૃતિક ખેતી કરતા થયા છે.
ચાસવડપ્રાકૃતિક વિકાસ કેન્દ્ર ખાતે આયોજીત કાર્યક્રમનાપ્રારંભપૂર્વે નવી દિલ્હી ખાતે ‘સંકલ્પ સપ્તાહ’ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાગ્રામીણ ભારત કેન્દ્રિત ઓનલાઈનસંબોધન ચાલાવવામાંઆવ્યું હતું.ત્યારબાદભરૂચ જિલ્લા ખેતીવાડી અધિકારી, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડાતેમજ અદાણી ફાઉન્ડેશનના યુનિટ સીએસઆર હેડની ઉપસ્થિતીમાં નેચરલ ફાર્મીંગ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના હેડમહેન્દ્ર પટેલના સ્વાગત પ્રવચન બાદભરૂચ જિલ્લા ખેતીવાડીઅધિકારી પી.આર માડાણીએ નેચરલ ફાર્મિંગના મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા એગ્રી બિઝનેસ સેન્ટરના પ્રતિનિધીઓ પણ કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાયા હતા.
ખેતીપ્રધાન ગામડાને ગ્લોબલ બનાવવા ગ્રામીણ ભારતનું સશક્તિકરણ અત્યંત આવશ્યક છે. અદાણી ફાઉન્ડેશન અને તાલુકા ખેતીવાડી વિભાગ નેત્રંગ દ્વારા 78 + ગામોમાં પ્રાકૃતિક ખેતીને લગતી તાલીમ આપવામાં આવી રહી છે.35ગામોના 37સરપંચો તેમજમોટી સંખ્યામાં ખેડૂતોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
પર્યાવરણ અને પ્રકૃતિના જતન માટે અદાણી ફાઉન્ડેશન અવિરત કાર્યરત છે. તાજેતરમાં ફાઉન્ડેશન દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા મુંદ્રાનાખેડૂતોની ગુજરાતના ગવર્નર સાથેમુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતી કરવાના ફાયદાઓ સમજાવીખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા.

Related posts

દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાક દરમિયાન ચાર ઇંચ વરસાદ વરસ્‍યો

vartmanpravah

જેઈઆરસી દ્વારા સંઘપ્રદેશના ત્રણેય જિલ્લામાં સરેરાશ 15 થી 40 પૈસા જેટલો વીજદરમાં કરાયેલો વધારો

vartmanpravah

દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલનો પંચાયતોને સત્તા આપવાનો રાગઃ ‘કહીં પે નિગાહે, કહીં પે નિશાના’

vartmanpravah

બાગાયત વિભાગની સહાય યોજનાનો લાભ મેળવવાI I-KHEDUT પોર્ટલ પર તા.31 ઓક્‍ટો. સુધી અરજી કરવી

vartmanpravah

સેલવાસના પ્રમુખગાર્ડન સોસાયટી ખાતે નવરાત્રી પર્વ નિમિતે ઘટ સ્‍થાપન કરાયું

vartmanpravah

નવસારીની સર જે.જે. પ્રાયમરી શાળામાં મેંગો-ડે ની ઉજવણી

vartmanpravah

Leave a Comment