January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ કમલમમાં આઈ.ટી., સોશિયલ મીડિયાની કાર્યશાળા યોજાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: ‘‘આજરોજ વલસાડ જિલ્લા કાર્યાલય કમલમ ખાતે જિલ્લાની આઈટી અને સોશિયલ મીડિયાની નવનિયુક્‍ત ટીમ સાથેની શંખનાદ કાર્યશાળાની બેઠક થઈ. આ બેઠકમાં વલસાડ ડાંગના સાંસદ ડો.કે.સી. પટેલ, ધરમપુર ધારાસભ્‍ય અરવિંદભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી મહેન્‍દ્રભાઈ ચૌધરી, વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ, આ કાર્યશાળાનું માર્ગદર્શન આપવા પધારેલ દક્ષિણ ઝોન સોશિયલ મીડિયા ઈન્‍ચાર્જ સંકેતભાઈ શર્મા, આઈટી દક્ષિણ ઝોન ઈન્‍ચાર્જ પારસભાઈ દક્ષિણઝોન સોશિયલ મીડિયા સહ ઈન્‍ચાર્જ જેનિશભાઈ શાહ, સોશિયલ મીડિયાના સત્‍યેનભાઈ પંડ્‍યાએ આઈટી અને સોશિયલ મીડિયા વિશે માર્ગદર્શન આપ્‍યું હતું. સાથે યુવા મોરચા વલસાડ જિલ્લા પ્રમુખ શ્રી તોહલભાઈ દેસાઈ, ધરમપુર તાલુકા પ્રમુખ કેતનભાઈ વાઢુ આ કાર્યશાળાનુ ખુબ સરસ રીતે આયોજન કરનાર વલસાડ જિલ્લા સોશિયલ મીડિયા ઈન્‍ચાર્જ હિતેશભાઈ સુરતી અને સહ ઈન્‍ચાર્જ ચેતન પટેલ, સનોબર શ્રોફ, શિરીશ ભોયા, પિન્‍કુ યાદવ, હિમાશું મેરાઈ, ચેતન ધાનાની,શંખનાદના જિલ્લા ઈન્‍ચાર્જ ખુશ્‍બુ શાહ દ્વારા આવેલા પદઅધિકારીઓનું સ્‍વાગત કર્યું હતું. સાથે પાંચે વિધાનસભાના આઈટી અને સોશિયલ મીડિયાના ઈન્‍ચાર્જો, 12 મંડળના આઈટી સોશિયલ મીડિયાના ઈન્‍ચાર્જો, કારોબારી સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા અને આ કાર્યશાળા માર્ગદર્શન લઈ સફળ બનાવી હતી.

Related posts

વલસાડ જિલ્લાના સરકારી કર્મચારીઓ પ્રત્‍યેક શનિવારે ઓફિસે ચાલતા કે સાયકલથી જશે તેવા નિર્ણયનો ફિયાસ્‍કો

vartmanpravah

વલસાડની સોફટવેર કંપનીએ દુનિયામાં 80 દેશોમાં ગુજરાત નામ ગુંજતું કર્યું

vartmanpravah

સેલવાસ પાલિકા વિસ્‍તારમાં વગર પરમીશને ઝંડા લગાવવામા આવશે તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17 સેલવાસ નગરપાલિકા દ્વારા દાનહ નગર પરિષદ વિજ્ઞાપન પર કર, નિયમ 2018ના ખંડ 2ર્(ી)ની પરિભાષા મુજબ ધ્‍વજના માધ્‍યમ દ્વારા જાહેરાત પાલિકા વિસ્‍તારમા વગર પરમિશને નિષિદ્ધ છે. જેથી દરેકને સૂચિત કરવામા આવે છે કે કોઈપણ એજન્‍સી/સંસ્‍થા/વ્‍યક્‍તિ જે પાલિકા વિસ્‍તારમા ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન આપવા માંગે છે તેઓએ પાલિકાની પૂર્વ અનુમતિ લેવા અરજી કરવી પડશે.જેનો દર 1 રૂપિયા પ્રતિ દિન પ્રતિ સંખ્‍યા અધિસુચના સંખ્‍યા 10/9/18 અનુસાર છે. અવરજવર સબંધી ખતરો અને વીજળીના સંભવિત ખતરાને જોતા સુરક્ષા સુનિヘતિ કરવા માટે કોઈપણ વીજળીના થાંભલા પર ઝંડા લગાવવાની પરમીશન આપવામા આવશે નહિ. જો પાલિકા વિસ્‍તારમાં પાલિકાની પરમિશન વગર ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન અથવા પ્રચાર કરવામા આવશે તો કાર્યક્રમ આયોજક એજન્‍સી સંસ્‍થા વ્‍યક્‍તિને જવાબદાર ઠેરવવામા આવશે અને દાદરા નગર હવેલી નગર પરિષદ નિયમ 2018 અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.

vartmanpravah

વાપી ચાર રસ્‍તા દુકાનેથી નમાજ પઢવાનું કહી નિકળેલ યુવાન ગુમ : બાઈક દમણગંગા પુલ ઉપરથી મળ્‍યુ

vartmanpravah

રવિવારે વાપીમાં શેખાવાટી લોકકલા મંચ દ્વારા ફાગોત્‍સવ 2024 યોજાશે

vartmanpravah

વાપી હાઈવે ઉપર કરમબેલાના યુવાનનું અજાણ્‍યા વાહને ટક્કર મારતા મોત

vartmanpravah

Leave a Comment