Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ચાર રસ્‍તા દુકાનેથી નમાજ પઢવાનું કહી નિકળેલ યુવાન ગુમ : બાઈક દમણગંગા પુલ ઉપરથી મળ્‍યુ

સુફીયાન અશરફભાઈ મનિષ એલ્‍યુમિનિયમમાં નોકરી કરતો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: વાપી વી.આઈ.એ. ચાર રસ્‍તા ઉપર આવેલ એક એલ્‍યુમિનિયમની દુકાનમાં ફરજ બજાવતો યુવક 04 જુલાઈના રોજ નમાજ પઢવાનું શેઠને જણાવી નિકળેલ હતો. તેનુ બાઈક ચાવી સાથે દમણગંગા પુલના છેડે મળી આવેલ છે તેથી પિતાએ ઉદ્યોગનગર પો.સ્‍ટે.માં પૂત્ર ગુમ થવાની ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગતો પોલીસ સુત્રો મુજબ 21 વર્ષિય સુફીયાન અશરફભાઈ કાળવાતર રહે.હરિયા પાર્ક, સનરાજ એવન્‍યું, ફલેટ નં.503, વી.આઈ.એ. ચાર રસ્‍તા પાસે આવેલ મનિષ એલ્‍યુમિનિયમ નામની દુકાનમાં ફરજ બજાવે છે. ગત તા.04ના રોજ સુફીયાન તેની મો.સા. નં.જીજે 15 ક્‍યુંક્‍યું 2778 લઈને દુકાને શેઠને જણાવેલ કે નમાજ પઢવા જાઉ છું કહી નિકળેલો હતો. ત્‍યાર બાદ સુફીયાનની બાઈક ચાવી સાથે દમણગંગા નદી પુલનાછેડેથી મળી આવી છે તેથી પિતા અશરફ અબ્‍દુલભાઈએ ઉદ્યોગનગર પો.સ્‍ટે.માં પૂત્ર ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાવી છે. માહિતી મળે તો પો.સ્‍ટે.માં જાણ કરવાની વિનંતી કરાઈ છે.

Related posts

દાનહમાં એક ઇંચથી વધુ વરસ્‍યો વરસાદ

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લામાં ચૈત્ર નવરાત્રી અને ગુડી પડવાની ભવ્‍ય ઉજવણી : અંબામાતા મંદિરે પ્રથમ નોરતાએ ભક્‍તો ઉમટયા

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા. 22મી મે, રવિવારનાં રોજ કોવિડ-19 વેક્‍સિનેશન મેગા કેમ્‍પ યોજાશે

vartmanpravah

આજથી શનિવાર સુધી સેલવાસના સુપ્રસિદ્ધઅ બીએપીએસ સ્‍વામી નારાયણ મંદિરના દશાબ્‍દિ મહોત્‍સવનો ધામધૂમથી થનારો આરંભ

vartmanpravah

રવિવારે દેવકા બીચની સ્‍વચ્‍છતા માટે શરૂ થનારૂં જન આંદોલન

vartmanpravah

વાપી ટાઉનમાં રાત્રે શટરોના તાળા ફંફોસતા બે સ્‍થળોથી બે ઇસમો પોલીસે ઝડપ્‍યા

vartmanpravah

Leave a Comment