October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ડેંગ્‍યુ નિવારણ અભિયાનમાં જનજાગૃતિ કરી રહેલા દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ: દાનહ સ્‍કાઉટ ગાઈડની મુખ્‍ય ભૂમિકા માટે આપવામાં આવેલ તાલીમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05 : ડેંગ્‍યુના મચ્‍છરો ઘાતક સ્‍વરૂપ ધારણ કરી રહ્યા છે તે સૌ જાણે છે, આ અંતર્ગત ડૉ. વિક્રમખાને સેલવાસની શ્રી વિનોભા ભાવે સિવિલ હોસ્‍પિટલ દ્વારા દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડના સ્‍ટેટ હેડક્‍વાર્ટર ડોકમરડીના ઓડિટોરિયમમાં દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ માટે ડેંગ્‍યુ નિવારણ અંગેની તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે રોવર સ્‍કાઉટ લીડર મનીષ ઝા અને સ્‍કાઉટ માસ્‍ટર અજય હરિજનની હાજરીમાં નગર હવેલી, શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલ આરોગ્‍ય વિભાગના અધિકારી ડૉ. વિક્રમ ખાને ડેંગ્‍યુ નિવારણ અંગેની તાલીમ દરમિયાન તમામ સ્‍કાઉટ ગાઈડ, રોવર રેન્‍જર્સ અને યુનિટ લીડરને ડેંગ્‍યુને ફેલાતો અટકાવવા માટે જરૂરી તાલીમ આપી હતી અને ડેંગ્‍યુના લક્ષણો જેવા કે ડેંગ્‍યુથી પીડિત દર્દીને કેવી રીતે પેટમાં તીવ્ર દુઃખાવો, સતત ઉલ્‍ટી થવી, પેઢા અને નાકમાંથી લોહી આવવું, પેશાબમાં લોહી, મળ કે ઉલ્‍ટી, ચામડીની નીચેથી લોહી નીકળવું જે ઉઝરડા જેવું દેખાય છે, શ્વાસ લેવામાં તકલીફ, થાક લાગવી વગેરે વિશે પણ માહિતી આપી હતી. શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલ આરોગ્‍ય વિભાગના અધિકારી ડૉ. વિક્રમ ખાને વધુ માહિતી આપતા જણાવ્‍યું હતું કે, ડેંગ્‍યુ એડીસ ઈજિપ્‍તી નામના માદા મચ્‍છરથી ફેલાઈ છે. જે સ્‍થિર વરસાદી પાણી, ફ્રીજની પાછળ લાંબા સમય સુધી જમા થયેલું પાણી, વાસણમાં સ્‍થિર પાણી ડેંગ્‍યુ મચ્‍છર પેદા કરે છે, જેનાકરડવાથી ડેંગ્‍યુ રોગ ફેલાય છે અને ડેંગ્‍યુથી પીડિત વ્‍યક્‍તિને મારી પણ શકે છે.
આ રોગચાળાના જાગૃતિ સર્વેમાં રણધીર મહતો, સંયોગિતા સિંહ તથા આદર્શ સિંહે મુખ્‍ય ભૂમિકા ભજવી હતી, જેમણે આરોગ્‍ય વિભાગના સલાહકાર ડૉ. વી.કે. દાસની સૂચના મુજબ આસપાસના ઘરોને સ્‍વચ્‍છ રાખવા અને પાણીના સંચયને નિષ્‍ક્રિય કરવા પર વધુ ધ્‍યાન આપ્‍યું હતું. જે મચ્‍છરોને ઉત્‍પત્તિ થવા દેતું નથી. ડેંગ્‍યુના મચ્‍છરો જીવિત ન રહી શકે તે માટે ભાર મૂકવામાં આવે છે.
પસંદગી પામેલા સ્‍કાઉટ ગાઈડ સભ્‍યોને આરોગ્‍ય વિભાગ દ્વારા દાનહ ‘ભારત સ્‍કાઉટ ગાઈડ’ને તેમની સેવા ભાવના અને પ્રદેશ તરફના કાર્યમાં મુખ્‍ય ભૂમિકા અને સહકાર બદલ પ્રમાણપત્ર આપીને પ્રદેશના મુખ્‍યાલયના ઓડિટોરિયમમાં પુરસ્‍કૃત અને સન્‍માનિત કરવામાં આવશે.

Related posts

ખેરગામની આદિવાસી દિકરીએ ડાંગના વિદ્યાર્થીઓ વિષય ઉપર મહાશોધ નિબંધ રજૂ કર્યો

vartmanpravah

દમણમાં લોકસભાની જળ સંસાધન સમિતિનું આમગનઃ દમણ ખાતે સમિતિના ચેરમેનની જવાબદારી અમદાવાદ(પૂર્વ)ના સાંસદ હસમુખભાઈ પટેલ સંભાળશે

vartmanpravah

નાના વાઘછીપામાં નહેરમાં વૃદ્ધા પડતા મોત

vartmanpravah

કપરાડા તા.પં. કોંગ્રેસ સભ્‍ય વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાઈ: મોદીનો વિડીયો એડીટીંગ કરી વાયરલ કર્યો

vartmanpravah

રોટરી ક્‍લબ ઓફ વાપી વેસ્‍ટ દ્વારા 131 શિક્ષકોને નેશન બિલ્‍ડર એવોર્ડ એનાયત કર્યા

vartmanpravah

તીઘરા હાઈવે પર કન્‍ટેનરની અડફેટે ત્રિપલ સવાર બાઈક પેકી એકનું મોત, બે ઘાયલ

vartmanpravah

Leave a Comment