June 30, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ડેંગ્‍યુ નિવારણ અભિયાનમાં જનજાગૃતિ કરી રહેલા દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ: દાનહ સ્‍કાઉટ ગાઈડની મુખ્‍ય ભૂમિકા માટે આપવામાં આવેલ તાલીમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05 : ડેંગ્‍યુના મચ્‍છરો ઘાતક સ્‍વરૂપ ધારણ કરી રહ્યા છે તે સૌ જાણે છે, આ અંતર્ગત ડૉ. વિક્રમખાને સેલવાસની શ્રી વિનોભા ભાવે સિવિલ હોસ્‍પિટલ દ્વારા દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડના સ્‍ટેટ હેડક્‍વાર્ટર ડોકમરડીના ઓડિટોરિયમમાં દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ માટે ડેંગ્‍યુ નિવારણ અંગેની તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે રોવર સ્‍કાઉટ લીડર મનીષ ઝા અને સ્‍કાઉટ માસ્‍ટર અજય હરિજનની હાજરીમાં નગર હવેલી, શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલ આરોગ્‍ય વિભાગના અધિકારી ડૉ. વિક્રમ ખાને ડેંગ્‍યુ નિવારણ અંગેની તાલીમ દરમિયાન તમામ સ્‍કાઉટ ગાઈડ, રોવર રેન્‍જર્સ અને યુનિટ લીડરને ડેંગ્‍યુને ફેલાતો અટકાવવા માટે જરૂરી તાલીમ આપી હતી અને ડેંગ્‍યુના લક્ષણો જેવા કે ડેંગ્‍યુથી પીડિત દર્દીને કેવી રીતે પેટમાં તીવ્ર દુઃખાવો, સતત ઉલ્‍ટી થવી, પેઢા અને નાકમાંથી લોહી આવવું, પેશાબમાં લોહી, મળ કે ઉલ્‍ટી, ચામડીની નીચેથી લોહી નીકળવું જે ઉઝરડા જેવું દેખાય છે, શ્વાસ લેવામાં તકલીફ, થાક લાગવી વગેરે વિશે પણ માહિતી આપી હતી. શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલ આરોગ્‍ય વિભાગના અધિકારી ડૉ. વિક્રમ ખાને વધુ માહિતી આપતા જણાવ્‍યું હતું કે, ડેંગ્‍યુ એડીસ ઈજિપ્‍તી નામના માદા મચ્‍છરથી ફેલાઈ છે. જે સ્‍થિર વરસાદી પાણી, ફ્રીજની પાછળ લાંબા સમય સુધી જમા થયેલું પાણી, વાસણમાં સ્‍થિર પાણી ડેંગ્‍યુ મચ્‍છર પેદા કરે છે, જેનાકરડવાથી ડેંગ્‍યુ રોગ ફેલાય છે અને ડેંગ્‍યુથી પીડિત વ્‍યક્‍તિને મારી પણ શકે છે.
આ રોગચાળાના જાગૃતિ સર્વેમાં રણધીર મહતો, સંયોગિતા સિંહ તથા આદર્શ સિંહે મુખ્‍ય ભૂમિકા ભજવી હતી, જેમણે આરોગ્‍ય વિભાગના સલાહકાર ડૉ. વી.કે. દાસની સૂચના મુજબ આસપાસના ઘરોને સ્‍વચ્‍છ રાખવા અને પાણીના સંચયને નિષ્‍ક્રિય કરવા પર વધુ ધ્‍યાન આપ્‍યું હતું. જે મચ્‍છરોને ઉત્‍પત્તિ થવા દેતું નથી. ડેંગ્‍યુના મચ્‍છરો જીવિત ન રહી શકે તે માટે ભાર મૂકવામાં આવે છે.
પસંદગી પામેલા સ્‍કાઉટ ગાઈડ સભ્‍યોને આરોગ્‍ય વિભાગ દ્વારા દાનહ ‘ભારત સ્‍કાઉટ ગાઈડ’ને તેમની સેવા ભાવના અને પ્રદેશ તરફના કાર્યમાં મુખ્‍ય ભૂમિકા અને સહકાર બદલ પ્રમાણપત્ર આપીને પ્રદેશના મુખ્‍યાલયના ઓડિટોરિયમમાં પુરસ્‍કૃત અને સન્‍માનિત કરવામાં આવશે.

Related posts

નવરાત્રિ દરમિયાન વરસાદથી બચવા સેલવાસમાં વોટરપ્રૂફ ડોમ સાથે ગરબા રમવાની વ્‍યવસ્‍થા ઉભી કરાઈ

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ની આંગણવાડીમાં ‘પોષણ પખવાડા’ અંતર્ગત યોજાયેલી પૌષ્‍ટિક વાનગી સ્‍પર્ધા

vartmanpravah

વકરતી ટ્રાફિક સમસ્‍યાના નિરાકરણ માટે સેલવાસ ન.પા.એ વરસાદી પાણીના નિકાલની ગટર ઉપરપાથરણાં પાથરી દિવાળીનો સામાન વેચનારાઓને હટી જવા કરેલી તાકિદ

vartmanpravah

પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં બાળ દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

સરીગામ જીપીસીપી અધિકારી સામે નવી મુસીબત

vartmanpravah

આજે દમણ અને દીવ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ વિશાળ કાર્યકરો સાથે પોતાનું ઉમેદવારી પત્રકભરશે

vartmanpravah

Leave a Comment