July 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

વતન પ્રેમ યોજના દ્વારા ‘વતન પ્રેમીઓ’ માટે ઋણ ચૂકવવાની તક

વલસાડઃ તા.૨૯ : રાજય સરકાર દ્વારા ગામડાઓના સર્વાગી વિકાસ કાર્યો અને ઉત્તમ જન સુવિધાઓ માટે વતન પ્રેમીઓને વતનની જન્‍મભૂમિનું, માતૃભૂમિનું ઋણ ચૂકવવા માટે જનહિત વિકાસ કાર્યોમાં જનભાગીદારીના સૌથી માોટા અભિયાન તરીકે ‘વતન પ્રેમ’ યોજના અમલમાં મૂકવામાં આવી છે.

આ યોજના દ્વારા સરકાર, દાતાઓ તેમજ ગામના લોકો વચ્‍ચે જનકલ્‍યાણ- વિકાસકીય ત્રિવેણી સંગમ થકી ગામમાં સુવિધાઓ સાથે ગામની જીવંતતા વધારવાની કલ્‍યાણકારી ભાવના સાથેની  ‘વતન પ્રેમ ‘ યોજના અન્‍વયે ગામાના વિકાસના કામો જેવા કે શાળાના ઓરડા અથવા સ્‍માર્ટ કલાસ, કોમ્‍યુનિટી હોલ, પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર(આરોગ્‍ય વિભાગ દ્વારા સેટઅપ મંજૂર થયેલ હોવું જોઇએ), પેટા આરોગ્‍ય કેન્‍દ્રનું મકાન, આંગણવાડી- મધ્‍યાહન ભોજનનું રસોડું, સ્‍ટોર રૂમ, પુસ્‍તકાલય, રમત ગમત માટે વ્‍યાયામ શાળાનું મકાન અને સાધન, સીસીટીવી કેમેરા સર્વેલન્‍સ સીસ્‍ટમ, સ્‍મશાન ગૃહ, વોટર રીસયાકલીંગની વ્‍યવસ્‍થા તથા ગટર/એસટીપી, તળવા બ્‍યુટીફિકેશન, એસ. ટી. સ્‍ટેન્‍ડ, સોલાર એનર્જી સ્‍ટ્રીટ લાઇટ અને પાણીના ટયુબવેલ કૂવાની પાણીની ટાંકીની મોટર ચલાવવા માટેના કામોના નિયત ખર્ચ પૈકી દાતાઓ પોતાના ગામમાં ૬૦ ટકા કે તેથી વધુ દાન આપીને કામ કરાવી શકશે. દાતાના દાનની સામે ખુટતી ૪૦ ટકા રકમનું રાજ્‍ય સરકાર અનુદાન કરે. આ યોજના અંતર્ગત દાન આપવા માટે ઈચ્‍છતા દાતાઓ વેબ પોર્ટલ પર લોગીન થઈ પોતાના પસંદગીના ગામમાં દાન આપવા માટે પ્રસ્‍તાવ મુકી શકશે. આ અંગે વધુ જાણકારી માટે જિલ્લા પંચાયતની વિકાસ શાખાના ફોન નંબર ૦૨૬૩૨-૨૯૯૪૪૨ ઉપરબ સંપર્ક સાધવા જણાવાયું છે.

Related posts

ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડે મોટી દમણના જમ્‍પોર ખાતે પક્ષીઘરનું કરેલું લોકાર્પણ

vartmanpravah

દેગામ સ્‍થિત સોલાર કંપનીમાંથી ચોરાયેલ સોલાર પ્‍લેટનો રૂા.1.22 કરોડનો વધુ જથ્‍થો પોલીસે અમદાવાદથી કબ્‍જે કર્યો

vartmanpravah

સમાજ કલ્‍યાણ સચિવ ભાનુ પ્રભાએ આનંદીબેન પટેલના કાર્યક્રમમાં નાની નાની વાતોની પણ કાળજી રાખી આભાર વિધિમાં કાર્યક્રમ સાથે જોડાયેલા તમામ લોકોને જોડી પોતાની ટીમ ભાવનાની કરાવેલી પ્રતિતિ

vartmanpravah

વાપીના ચલા ખાતે 123મી રંગ જયંતીની ભક્‍તિભાવ પૂર્વક કરોલી ઉજવણી

vartmanpravah

ગ્રાહકના સ્‍વાંગમાં આવેલ બે મહિલાએ કરી દુકાન માલિક સાથે છેતરપિંડી

vartmanpravah

દાનહમાં એસ.સી., એસ.ટી. કેટેગરીના વિદ્યાર્થીઓને પોસ્‍ટ મેટ્રિક સ્‍કોલરશીપ નહીં મળતાં પ્રશાસકશ્રીને કરેલી રજૂઆત

vartmanpravah

Leave a Comment