April 29, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહની નરોલી ગ્રામ પંચાયતે ડેંગ્‍યુ, મેલેરિયા જેવા મચ્‍છરજન્‍ય રોગને ફેલાતો અટકાવવા શરૂ કરેલી કડક કાર્યવાહી

  • ઘર, ચાલી કે ફેક્‍ટરી દ્વારા છોડાતા ગંદા પાણી અને ગંદાપાણીના થતા જમાવડાના સંદર્ભમાં કસૂરવારોના લાઈટ કનેક્‍શન કાપવાની કરેલી શરૂઆતઃ ગંદકી ફેલાવનારાઓમાં ફફડાટ
  • દાનહની અન્‍ય ગ્રામ પંચાયતો માટે પણ નરોલી ગ્રામ પંચાયતે કડક અભિગમ અપનાવી બેસાડેલો દાખલો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05 : દાદરા નગર હવેલીમાં ડેંગ્‍યુ, મેલેરિયા સહિત વધેલા મચ્‍છરજન્‍ય રોગને ફેલાતો અટકાવવા માટે નરોલી ગ્રામ પંચાયતે કડક પગલાં લેવાની શરૂઆત કરી છે. જેમાં ઘર તથા ચાલીના જમા થતાં ગંદા પાણીના જમાવડા, ગંદુ પાણી આજુબાજુ છોડવાની રીતિ-નીતિ તથા પોતાના આંગણાંની સફાઈમાં રખાતી ઉદાસિનતા સામે ઘરમાલિકને દોષિત ઠેરવી દંડ તથા લાઈટના કનેક્‍શન કાપવાની કાર્યવાહી શરૂ કરાતા સમગ્ર ગ્રામ પંચાયત વિસ્‍તારમાં ફફડાટ ફેલાયો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે નરોલી ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી લીનાબેન ધર્મેશભાઈ પટેલ, નરોલી ભાજપ મંડળના અધ્‍યક્ષ શ્રી યોગેશસિંહ સોલંકી અને પંચાયત સેક્રેટરી શ્રી મનોજભાઈ રાઉતની ત્રિપૂટીએ નરોલી વિસ્‍તારમાં ઘર, ચાલી, એપાર્ટમેન્‍ટ તથા ફેક્‍ટરીઓ દ્વારા ફેલાવવામાં આવતી ગંદકી સામે સખત અભિયાન શરૂ કર્યું છે અને કસૂરવાર જણાતા લોકોના ઘર, ઓફિસ કે ચાલીઓના ઈલેક્‍ટ્રીક કનેક્‍શનો પણ કાપવાની શરૂઆત કરાતા આ વિસ્‍તારના રહીશોમાં સ્‍વચ્‍છતા પ્રત્‍યેકર્તવ્‍ય ભાવ પણ જન્‍મી રહ્યો છે.
નરોલી ગ્રામ પંચાયતે શરૂ કરેલી કાર્યવાહીની ઠેર ઠેર પ્રશંસા થઈ રહી છે અને બીજી ગ્રામ પંચાયતોએ પણ સખત કાર્યવાહી કરી દાદરા નગર હવેલીમાં ફેલાયેલા ડેંગ્‍યુ, મેલેરિયા જેવા રોગચાળાને અંકુશમાં લેવા પ્રયાસો કરવા જોઈએ એવી માંગણી બુલંદ બની છે.

Related posts

સંઘપ્રદેશના લોકો સાથે પ્રશાસક તરીકે શરૂ કરેલી સહયાત્રાના 28મી ઓગસ્‍ટે પુરા થનારા 6 વર્ષ

vartmanpravah

દીવ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ નવનિયુક્‍ત દીવ કલેકટર અને નવનિયુક્‍ત એસપી સાથે શુભેચ્‍છા મુલાકાત કરી

vartmanpravah

ઉમરગામના અચ્‍છારી ખાતે વયોવૃદ્ધ 73 વર્ષની મહિલાની જમીન હડપી લેવા સુરતના ગુંડાઓને અપાયેલી સોપારી

vartmanpravah

ચીખલીઃ વંકાલ ગંજીફા ફળિયાના ખેડૂતોએ બુલેટ ટ્રેનના સર્વિસ રોડને પગલે ચોમાસામાં કાવેરી નદીનાં પૂરના પાણીથી તારાજી સર્જાવાની વ્‍યક્‍ત કરેલી દહેશતઃ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી પાણીના નિકાલ માટે અલગ અલગ પાંચ જગ્‍યાએ મોટા કદના આરસીસી પાઈપ નાખવાની કરેલી માંગ

vartmanpravah

દાનહના ખાનવેલમાં લોકોના પ્રચંડ ઉત્‍સાહ, ઉમંગ અને હાજરી સાથે 77મા સ્‍વતંત્રતા દિવસની ઉજવણી સંપન્ન

vartmanpravah

દમણમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ‘વિદ્યાર્થી હુંકાર’ સંમેલન યોજાયું

vartmanpravah

Leave a Comment