(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.09: વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી 11/10/23 ના બુધવારના રોજ ઉદવાડા અનાવલી વાડી ખાતે વલસાડ ડાંગ લોકસભાબેઠકના કાર્યકર્તાઓનો સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સવારના 10:30 કલાકે આયોજિત કાર્યક્રમમાં વલસાડ ડાંગ મત વિસ્તારમાં આવતા સંગઠનના તમામ હોદ્દેદારો, ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો તમામ જિલ્લાના પ્રમુખો તાલુકાના પ્રમુખો તેમજ વિવિધ સેલના પ્રમુખો અને જિલ્લા, તાલુકા, નગરપાલિકાના જીતેલા તેમજ હારેલા ઉમેદવારો અને દરેક સમિતિના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓને હાજર રહેવા જિલ્લા પ્રમુખ શ્રી દિનેશભાઈ ભાણાભાઈ પટેલે આમંત્રણ આપ્યું છે.
આ સંવાદ કાર્યક્રમમાં એઆઈસીસીના મહામંત્રી તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી શ્રી મુકુલ વાસનિકજી, મધ્ય ઝોનના પ્રભારી શ્રીમતી ઉષાબેન નાયડુજી, વલસાડ લોકસભા પ્રભારી શ્રી સુખરામભાઈ રાઠવા, વિપક્ષ ઉપનેતા શ્રી શૈલેષભાઈ પરમાર, પ્રદેશના કાર્યકારી પ્રમુખ શ્રી ઋત્વિકભાઈ મકવાણા, માજી સાંસદ શ્રી કિશનભાઈ પટેલ, વાંસદાના ધારાસભ્ય શ્રી આનંતભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહેશે.