October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહ વનવિભાગ દ્વારા ‘વન્‍યજીવ સપ્તાહ’નું કરાયેલું સમાપન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.09 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ વન વિભાગ દ્વારા વન્‍યજીવ અને તેમના મહત્‍વ વિશે જાગૃતિ લાવવા માટે ‘વન્‍યજીવ સપ્તાહ’નું આયોજન કરવામાં આવ્‍યું હતું. જે દરમ્‍યાન વિવિધ સ્‍પર્ધાઓ આયોજીત કરવામાં આવી હતી. આ સપ્તાહ દરમ્‍યાન શાળાઓમા નિબંધ લેખન, વકૃત્‍વ સ્‍પર્ધા,ક્‍વીઝ સ્‍પર્ધા, મેરેથોન દોડ સહિતની વિવિધ સ્‍પર્ધાઓનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં પ્રદેશની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. ‘વન્‍યજીવ સપ્તાહ’ના સમાપન સમારંભમાં વિજેતા વિદ્યાર્થીઓને સર્ટીફીકેટ અને ટ્રોફી આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.
આ અવસરે વન વિભાગના ડીસીએફ શ્રી થોમશ વરગીશ, એસીએફ શ્રી કૈલાશ ગાયકવાડ, આરએફઓ શ્રી ધવલ ગાવિત, શ્રી કિરણસિંહ પરમાર, શિક્ષણ વિભાગના ડેપ્‍યુટી ડાયરેક્‍ટર શ્રી પરિતોષ શુક્‍લા, શિક્ષણાધિકારી શ્રી બી.બી.પાટીલ, શ્રી જયેશ ભંડારી સહિત મોટી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપીની જાણીતી બે કંપની યુ.પી.એલ. અને આરતી ઈન્‍ડસ્‍ટ્રીઝ વચ્‍ચે જોઈન્‍ટ વેન્‍ચર આધારિત કરાર કરાયો

vartmanpravah

દાદરા નગર હવેલીના ખેલો ઇન્‍ડિયા સ્‍ટેટ સેન્‍ટર ઓફ એક્‍સેલન્‍સ ખાતે ટેબલ ટેનિસ હાઈ પરફોર્મન્‍સ કેમ્‍પનો પ્રારંભ

vartmanpravah

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં પ્રિ- પ્રાયમરીના નાના ભુલકાઓનો પતંગોત્‍સવ ઉજવાયો

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકરે લોકસભામાં સાંસદ પદના લીધેલા શપથઃ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના ત્રીજા કાર્યકાળમાં દેશવાસીઓના કલ્‍યાણ અને અમૃતકાળના સંકલ્‍પોમાં સહભાગી બનવા બતાવેલી કટિબધ્‍ધતા

vartmanpravah

વાપીમાં બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે ભવ્‍ય રેલી નિકળી

vartmanpravah

વતન પ્રેમ યોજના દ્વારા ‘વતન પ્રેમીઓ’ માટે ઋણ ચૂકવવાની તક

vartmanpravah

Leave a Comment