Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહ વનવિભાગ દ્વારા ‘વન્‍યજીવ સપ્તાહ’નું કરાયેલું સમાપન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.09 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ વન વિભાગ દ્વારા વન્‍યજીવ અને તેમના મહત્‍વ વિશે જાગૃતિ લાવવા માટે ‘વન્‍યજીવ સપ્તાહ’નું આયોજન કરવામાં આવ્‍યું હતું. જે દરમ્‍યાન વિવિધ સ્‍પર્ધાઓ આયોજીત કરવામાં આવી હતી. આ સપ્તાહ દરમ્‍યાન શાળાઓમા નિબંધ લેખન, વકૃત્‍વ સ્‍પર્ધા,ક્‍વીઝ સ્‍પર્ધા, મેરેથોન દોડ સહિતની વિવિધ સ્‍પર્ધાઓનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં પ્રદેશની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. ‘વન્‍યજીવ સપ્તાહ’ના સમાપન સમારંભમાં વિજેતા વિદ્યાર્થીઓને સર્ટીફીકેટ અને ટ્રોફી આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.
આ અવસરે વન વિભાગના ડીસીએફ શ્રી થોમશ વરગીશ, એસીએફ શ્રી કૈલાશ ગાયકવાડ, આરએફઓ શ્રી ધવલ ગાવિત, શ્રી કિરણસિંહ પરમાર, શિક્ષણ વિભાગના ડેપ્‍યુટી ડાયરેક્‍ટર શ્રી પરિતોષ શુક્‍લા, શિક્ષણાધિકારી શ્રી બી.બી.પાટીલ, શ્રી જયેશ ભંડારી સહિત મોટી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહની દૂધની પ્રાથમિક ગુજરાતી કેન્‍દ્ર શાળામાં વાર્ષિક મહોત્‍સવની કરાયેલી ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દશેરા ઉપર દમણ જિલ્લાના લોકોને અણમોલ ભેટઃ દમણના માસ્‍ટર પ્‍લાનને આપેલી મંજૂરીઃ આજથી અમલ

vartmanpravah

યુવાનોની ચૂંટણી પ્રક્રિયામાં સહભાગિતા વધે તે માટે રાજ્ય ચૂંટણી તંત્ર દ્વારા શિક્ષણ વિભાગ સાથે MoU કરવામાં આવ્યા

vartmanpravah

વાપી હાઈવે શાકમાર્કેટ સામે રિક્ષા ચાલક યુવાનને ઝોંકુ આવી જતા રિક્ષા ડિવાઈડર સાથે ભટકાઈ, એકનું મોત

vartmanpravah

‘જન ઔષધિ સે જન આરોગ્‍ય’ અંતર્ગત દમણમાં ‘જન આરોગ્‍ય શિબિર’ યોજાઈ

vartmanpravah

આ પેટા ચૂંટણી કોઈ સામાન્‍ય ચૂંટણી નથી, પરંતુ દાનહનું ભવિષ્‍ય નક્કી કરનારી લોકસભાની ચૂંટણી છેઃ દેવેન્‍દ્ર ફડણવીસ

vartmanpravah

Leave a Comment