April 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહ વનવિભાગ દ્વારા ‘વન્‍યજીવ સપ્તાહ’નું કરાયેલું સમાપન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.09 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ વન વિભાગ દ્વારા વન્‍યજીવ અને તેમના મહત્‍વ વિશે જાગૃતિ લાવવા માટે ‘વન્‍યજીવ સપ્તાહ’નું આયોજન કરવામાં આવ્‍યું હતું. જે દરમ્‍યાન વિવિધ સ્‍પર્ધાઓ આયોજીત કરવામાં આવી હતી. આ સપ્તાહ દરમ્‍યાન શાળાઓમા નિબંધ લેખન, વકૃત્‍વ સ્‍પર્ધા,ક્‍વીઝ સ્‍પર્ધા, મેરેથોન દોડ સહિતની વિવિધ સ્‍પર્ધાઓનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં પ્રદેશની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. ‘વન્‍યજીવ સપ્તાહ’ના સમાપન સમારંભમાં વિજેતા વિદ્યાર્થીઓને સર્ટીફીકેટ અને ટ્રોફી આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.
આ અવસરે વન વિભાગના ડીસીએફ શ્રી થોમશ વરગીશ, એસીએફ શ્રી કૈલાશ ગાયકવાડ, આરએફઓ શ્રી ધવલ ગાવિત, શ્રી કિરણસિંહ પરમાર, શિક્ષણ વિભાગના ડેપ્‍યુટી ડાયરેક્‍ટર શ્રી પરિતોષ શુક્‍લા, શિક્ષણાધિકારી શ્રી બી.બી.પાટીલ, શ્રી જયેશ ભંડારી સહિત મોટી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ કોલેજમાં મહિલા પ્રાધ્‍યાપકની શારીરિક છેડતી કરનાર આચાર્ય સામે કાર્યવાહી કરવા શિક્ષણ વિભાગનો આદેશ

vartmanpravah

વલસાડ જિલ્લાના તત્‍કાલિન કલેકટર આર.આર.રાવલે રૂ.40 લાખનો ચેક જિલ્લાના વિકાસ માટે અર્પણ કર્યો

vartmanpravah

સંઘપ્રદેશના બાળકોની શિક્ષણ વ્‍યવસ્‍થાને સમૃદ્ધ કરવાની જ મારી પ્રથમ પ્રાથમિકતાઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

વલસાડના મગોદ શાંતિમંદિર ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહ-દમણ-દીવ પ્રદેશ ભાજપે મદ્મવિભૂષણ રતન તાતાને આપેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

ધરમપુર મોટી ઢોલડુંગરીમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment