Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ચલામાં મા જનમ ટ્રસ્‍ટ દ્વારા શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવના સહયોગથી ‘‘રાસ રસિયા” નવરાત્રી મહોત્‍સવ ઉજવાશે

માતાજીની ધાર્મિક વિધિવિધાન સાથે આરાધના માણવા મળશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: વાપી ખાતે કોરોના મહામારી સમયથી ભૂખ્‍યા માટે ભોજનના ઉદેશ્‍સ્‍યથી અન્નક્ષેત્ર શરુ કરી આ નિઃશુલ્‍ક અન્નક્ષેત્રને કાયમી ચાલુ રાખી દરરોજ સેંકડો ભૂખ્‍યા લોકોની જઠરાગ્નિ ઠારતી સંસ્‍થા મા જનમ ટ્રસ્‍ટ. આ સંસ્‍થાના લાભાર્થે શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવના સહયોગથી વાપીના ચલા મુક્‍તાનંદ માર્ગ ખાતે ‘‘રાસ રસિયા” નવરાત્રી મહોત્‍સવ-2023 નું આયોજન કરવામાં આવ્‍યું છે. આ મહોત્‍સવમાં જાણીતા ગરબા ગાનાર કલાકારો તેમની આધુનિક સાજયંત્રો સાથે રંગ જમાવશે.
આ ‘‘રાસ રસિયા” નવરાત્રી મહોત્‍સવની વિશેષતા એ રહેશે કે માતાજીની પૂજા- આરાધના આપણા ધાર્મિક વિધિવિધાનથી થશે. લોકોને પ્રથમવાર માતાજીની નવ દિવસ આરાધના કેવી રીતે થાય તેના દિવ્‍ય દર્શન થશે. ગરબાના ગીતો પણ આ માતાજીના આરાધનાના પર્વને કોઈપણ રીતે આહત થાય તેવા નહી હોય તેની કાળજી રખાશે.
અવસર દરમિયાન અનેક મહાનુભાવો અને સિતારો પણ હાજરી આપશે.
અવસરની સાથે એક્‍સઝીબેશનનું પણ આયોજન કરવામાંઆવ્‍યું છે. જેનો સમય દરરોજ બપોરે 2.30 થી રહેશે.

Related posts

આજથી શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજ દ્વારા સોમનાથ ભવન ભેંસરોડ ખાતે શ્રીમદ્‌ ભાગવત કથા યોજાશે

vartmanpravah

લ્‍યો કરો વાત..! રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીજીના નિર્વાણ દિને પણ સેલવાસના સચદેવ બાલ ઉદ્યાનમાં ધૂળ ખાઈ રહેલી પ્રતિમા

vartmanpravah

વાપી રોફેલ એમ.બી.એ. કોલેજમાં સમન્‍વય 2021-22 કાર્યક્રમ યોજાયો

vartmanpravah

મેન્‍ટલ ફ્રી સોસાયટી બનાવવી હોય તો રિયાલિસ્‍ટિક રહેવું જરૂરીઃ દમણ જિલ્લા અને સત્ર ન્‍યાયાધીશ શ્રીધર એમ. ભોસલે

vartmanpravah

દાનહ પ્રદેશ કાર્યાલય ખાતે કોંગ્રેસ સ્‍થાપના દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

પારડી હોસ્‍પિટલમાં ચાલી રહેલો સર્જીકલ કેમ્‍પ

vartmanpravah

Leave a Comment