October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ચલામાં મા જનમ ટ્રસ્‍ટ દ્વારા શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવના સહયોગથી ‘‘રાસ રસિયા” નવરાત્રી મહોત્‍સવ ઉજવાશે

માતાજીની ધાર્મિક વિધિવિધાન સાથે આરાધના માણવા મળશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: વાપી ખાતે કોરોના મહામારી સમયથી ભૂખ્‍યા માટે ભોજનના ઉદેશ્‍સ્‍યથી અન્નક્ષેત્ર શરુ કરી આ નિઃશુલ્‍ક અન્નક્ષેત્રને કાયમી ચાલુ રાખી દરરોજ સેંકડો ભૂખ્‍યા લોકોની જઠરાગ્નિ ઠારતી સંસ્‍થા મા જનમ ટ્રસ્‍ટ. આ સંસ્‍થાના લાભાર્થે શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવના સહયોગથી વાપીના ચલા મુક્‍તાનંદ માર્ગ ખાતે ‘‘રાસ રસિયા” નવરાત્રી મહોત્‍સવ-2023 નું આયોજન કરવામાં આવ્‍યું છે. આ મહોત્‍સવમાં જાણીતા ગરબા ગાનાર કલાકારો તેમની આધુનિક સાજયંત્રો સાથે રંગ જમાવશે.
આ ‘‘રાસ રસિયા” નવરાત્રી મહોત્‍સવની વિશેષતા એ રહેશે કે માતાજીની પૂજા- આરાધના આપણા ધાર્મિક વિધિવિધાનથી થશે. લોકોને પ્રથમવાર માતાજીની નવ દિવસ આરાધના કેવી રીતે થાય તેના દિવ્‍ય દર્શન થશે. ગરબાના ગીતો પણ આ માતાજીના આરાધનાના પર્વને કોઈપણ રીતે આહત થાય તેવા નહી હોય તેની કાળજી રખાશે.
અવસર દરમિયાન અનેક મહાનુભાવો અને સિતારો પણ હાજરી આપશે.
અવસરની સાથે એક્‍સઝીબેશનનું પણ આયોજન કરવામાંઆવ્‍યું છે. જેનો સમય દરરોજ બપોરે 2.30 થી રહેશે.

Related posts

3 હજારથી વધુ હિન્‍દુઓની ઉપસ્‍થિતિમાં ‘સકલ હિન્‍દુ સંઘર્ષ સમિતિ’ દ્વારા વિરમગામ ખાતે વિશાળ હિન્‍દુ આક્રોશ રેલી યોજાઈ

vartmanpravah

વલસાડ તાલુકા કોળી પટેલ સમાજના ઉપક્રમે 118 તેજસ્‍વી તારલાઓનું કરાયેલું સન્‍માન

vartmanpravah

‘વર્તમાન પ્રવાહ’નો પડઘો: ગણદેવીમાં રાજ્‍ય ધોરી માર્ગ દેસાડ અને જલારામ મંદિર ચાર રસ્‍તા પાસે ચેતવણી બોર્ડ લગાવાયું

vartmanpravah

નાનાપોંઢા બજાર હવે દર રવિવારે ચાલું રહેશે : ગ્રામ પંચાયતે કરેલીજાહેરાત

vartmanpravah

વલસાડમાં શિક્ષકદિને શ્રેષ્ઠ શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

ડીપીએલ સિઝન-રની ચેમ્‍પિયન બનતી ડાભેલની જે.ડી.કિંગ્‍સ : રનર્સ અપ કચીગામની ફેન્‍સી ઈલેવન

vartmanpravah

Leave a Comment