April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કેબીએસ એન્‍ડ સાયન્‍સ કોલેજમાં ટીચર્સ વર્કશોપ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમારીયા કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ વાપીમાં કોલેજના સેલ્ફ હેલ્પ ફોરમ અંતર્ગત અઠવાડિક શિક્ષકોનીઉજવણી નાભાગરૂપે કોલેજના સૅમિનાર હોલમાં સુરત ચૅપ્ટરઓફિસ ઓફ WIRC of ICSI ના સહયોગ થીEMPOWERING EDUCATORSના થીમ હેઠળ એક દિવસીય વાપી અને આજુબાજુ નીશાળાના શિક્ષકો તેમજ કોલેજના પ્રાદ્યાપકૉ માટે વર્કશૉપ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશૉપ માં ૮૦ શિક્ષકો તેમજ કોલેજએડમિશનકમિટી ની સાથે કોલેજના તમામ પ્રાધ્યાપકો મળીને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ વર્કશૉપ માંસુરત ચૅપ્ટર ઓફીસનાચેરમેન C S પ્રશાંત કથારીયા સાહેબ તેમજ કમિટી ના સભ્યો હાજર રહ્યા હતા. મુખ્ય વક્તા તરીકે સુરત ચૅપ્ટર ઓફીસના Treasurer C S નીલભ કૌશિકે લાઈફ સ્કીલ્સ પર ખુબ જ સરસ વક્તવ્ય આપ્યું હતું. તેમજ Vice-Chairperson C S ખુશ્બુ અગ્રવાલે કારકિર્દીની તકો માટે ખુબજ ઊંડાણથી સમજ આપતા CS(Company secretary) ક્ષેત્રમાં રહેલ ઉજવળ કારકિર્દી અને તકો માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે દરેક શિક્ષક મિત્રોને આહવાન આપ્યું હતું. આ વર્કશૉપ દરમિયાન સુરત ચૅપ્ટરઓફિસ અને સદર કોલેજ વચ્ચેCS ના કોચિંગ ક્લાસ માટેના MOU પણ થયા હતા. વર્કશૉપ નું આયોજન તેમજ સંચાલન સેલ્ફ હેલ્પ ફોરમ ના કૉ-ઓર્ડીનેટર ડૉ. દીપક સાંકી તેમજ સહાયકો ડૉ.યતીન વ્યાસ, ડૉ.ક્રિષ્ના રાજપૂત અને કુમારી રિઆ દેસાઈ ની સાથે કોલેજના સ્વયમ સેવક વિદ્યાર્થી મિત્રોના સહકારથી થયું હતું. આમ સમગ્ર વર્કશૉપ સફળ રહેતા કોલેજના આચાર્ય ડૉ.પુનમ બી. ચૌહાણે સુરત ચૅપ્ટરઓફિસ,મુખ્ય વક્તાએ, સેલ્ફ હેલ્પ ફોરમ,વિદ્યાર્થી મિત્રો, સ્ટાફ ગણનો આભાર માની C S ક્ષેત્રમાં વાપી અને આસપાસ ના વિદ્યાર્થીઓ કારકિર્દી ઘડી શકે તે માટે માર્ગદર્શન આપવાની સાથે પ્રોત્સાહિત કરવા માટે આહવાનઆપ્યું હતું.

Related posts

વલસાડ જિલ્લામાં રવિવારે યોજાયેલા સ્‍પેશિયલ રસીકરણ કેમ્‍પમાં વેપારીઓ-સેવાકીય સંસ્‍થાઓના 10567 વ્‍યક્‍તિઓનું રસીકરણ કરાયું

vartmanpravah

દમણ ન.પા. અને જિ.પં.ના અધ્‍યક્ષોએ દમણવાડા અને પરિયારી ગ્રા.પં. વિસ્‍તારમાં ચાલી રહેલી વિવિધ યોજનાઓના લાભાર્થી સાથે કરેલી મુલાકાત

vartmanpravah

આમધરામાં ગ્રામસભામાં સરપંચ અને ડે.સરપંચ ગેરહાજર રહેતા રોષે ભરાયેલા લોકોએ હોબાળો કરતા ગ્રામસભા રદ્‌ કરવાની પડેલી ફરજ

vartmanpravah

તા.૨૫મીને રવિવારે આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા નાંધઇ ખાતે સામુહિક સર્વપિતૃ શ્રાધ્ધ

vartmanpravah

દમણ ન.પા.એ કોવિડ-19ના આંશિક લોકડાઉનના પગલે એપ્રિલ અને મે મહિનાનું દમણ મ્‍યુનિસિપલ માર્કેટનું ભાડૂ નહીં લેવા કરેલો નિર્ણય

vartmanpravah

વલસાડમાં હાઈવે પર પસાર થતા ટ્રાન્‍સપોર્ટના વાહન ચાલકો માટે નેત્ર ચિકિત્‍સા શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment