April 17, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહ જિ.પં.ની ચૂંટાયેલી પાંખની ઉદાસિનતાથી ઈરીગેશન વિભાગના 400થી વધુ કર્મીઓ છેલ્લા 4 મહિનાથી પગારથી વંચિત

  • દાનહ જિલ્લા પંચાયતની ચૂંટાયેલી પાંખના અધિકારીઓ સાથેના સંકલનના અભાવથી ડેઈલી વેજીસ અને વર્ક ચાર્જ તરીકે કાર્યરત કર્મીઓની નિકળી રહેલી ખો
  • જિલ્લા પંચાયત પ્રમુખ નિશા ભવરે પણ હાથ ઉંચા કરતા કર્મચારીઓની સામી હોળીએ દયનીય બનેલી સ્‍થિતિ
    (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.16
    દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતની ચૂંટાયેલી પાંખની ઉદાસિનતાઅને ઉચ્‍ચ અધિકારીઓ સાથેના તાલમેલના અભાવે જિલ્લા પંચાયતની જાહેર બાંધકામ શાખાના ઈરીગેશન વિભાગના ડેઈલીવેજીસ અને વર્ક ચાર્જ તરીકે કાર્યરત 400થી વધુ કર્મચારીઓને છેલ્લા ત્રણ મહિનાથી પગાર નહી મળતા તેમની હાલત કફોડી બનવા પામી છે. આ બાબતે કર્મચારીઓના પ્રતિનિધિ મંડળે આજે નાની દમણના સચિવાલય ખાતે નાણાં સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવતને મળી પોતાની વ્‍યથા પણ વ્‍યક્‍ત કરી હતી.
    પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશના નાણાં સચિવ દ્વારા જિલ્લા પંચાયત પાસે કર્મચારીઓના વેજીસની બાબતમાં મંગાવવામાં આવેલ રિપોર્ટ હજુ સુધી સુપ્રત નહી કરતા આ સ્‍થિતિ પેદા થવા પામી છે.
    દરમિયાન ડેઈલી વેજીસ અને વર્ક ચાર્જ કર્મચારીઓ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિશા ભવરની પણ મુલાકાત કરી આ મુદ્દે દરમિયાનગીરી કરી તેમના બાકી નિકળતા પગારની ચૂકવણીની વ્‍યવસ્‍થા કરવા રજૂઆત કરી હતી. પરંતુ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિશા ભવરે પણ હાથ ઉંચા કરતા કર્મચારીઓની સ્‍થિતિ દયનીય બનવા પામી છે.

 

Related posts

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્વમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દાનહ અને દમણ-દીવની રાષ્ટ્રીય સ્તરે મળેલી ઍક વધુ સિદ્વિ

vartmanpravah

દમણની સરકારી પોલીટેકનિક કોલેજમાં સિવિલ એન્‍જિનિયરીંગ વિભાગ દ્વારા ‘એન્‍જિનિયર્સ દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

વલસાડ આરટીઓ કચેરી દ્વારા બે-ચાર અને આઠ પૈડાવાળા ખાનગી વાહનોના પંસદગીના નંબર માટે હરાજી થશે

vartmanpravah

આજે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસને ઉજવવા માટે થનગની રહેલો સમસ્‍ત સંઘપ્રદેશ

vartmanpravah

સેલવાસમાં કિશોરીએ ફાંસી લગાવી કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

વાપી-દમણ-સરીગામમાં રાહદારીઓના મોબાઈલ ખેંચી તરખાટ મચાવતી ગેંગના 2 સ્‍નેચરો ઝડપાયા

vartmanpravah

Leave a Comment