June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામથી વલસાડ જવા ટ્રેનમાં નિકળેલ પિતા સૂઈ જતા બે વર્ષની પૂત્રનું કોઈ અપહરણ કરી ગયું

નરેશ રમેશભાઈ ધો. પટેલ બે વર્ષના પૂત્ર હિતેશ સાથે ઉમરગામથી વલસાડ જવા માટે વિરાર-વલસાડ ટ્રેનમાં નિકળ્‍યા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: ઉમરગામથી વલસાડ જવા વિરાર-વલસાડ ટ્રેનમાં પિતા-પૂત્ર ગતરોજ નિકળ્‍યા હતા. બે વર્ષનો પૂત્ર સાથે હતો. પિતા ટ્રેનમાં સુઈ ગયા હતા બાદ ઉદવાડા સ્‍ટેશને જાગીને જોયુ તો પૂત્ર ટ્રેનમાં જોવા મળ્‍યો નહોતો તેથી પિતાએ આમતેમ તપાસ કર્યા બાદ પૂત્ર નહી મળતા વાપી રેલવે પોલીસમાં પૂત્ર અપહરણ થવા જોગ ફરિયાદ નોંધાવી હતી. જાહેર જનતાને અપીલ કરાઈ છે કે બાળકની માહિતી મળે તો વાપી રેલવે પોલીસનો સંપર્ક કરવો.
મૂળ ઉમરગામ સોળસુંબાનો રહેવાસી ભીખ માગીને ગુજરાન કરી રહેલ અત્‍યારે વલસાડ રેલવે સ્‍ટેશન બહાર ફૂટપાથ ઉપર રહેતો નરેશ રમેશભાઈ ધો. પટેલ તેના પૂત્ર હિતેશ (ઉ.વ.2)ની સાથે ગતરોજ ઉમરગામથી વિરાર-વલસાડશટલમાં વલસાડ જવા નિકળ્‍યો હતો. ટ્રેનમાં ઉંઘ આવતા પિતા નરેશ સૂઈ ગયેલ. ઉદવાડા સ્‍ટેશને જાગ્‍યો ત્‍યારે પાસે રહેલો પૂત્ર હિતેશ ગુમ થયેલો જણાતા આખી ટ્રેનમાં શોધખોળ કરી પણ પૂત્ર મળી આવેલ નહીં. તેથી ભાંગી પડેલ પિતા નરેશભાઈએ વાપી રેલવે પોલીસમાં પૂત્ર અપહરણ અંગે ફરિયાદ નોંધાવી હતી. આ બાળકની કોઈ માહિતી કે જાણકારી મળે તો વાપી રેલવે પોલીસ મો.નં.99135 42511 અથવા પી.એસ.આઈ. જી.એચ. પઢીયાર મો.નં.98259 09182 ઉપર જણાવવા એક અખબારી યાદીમાં જણાવાયેલ છે.

Related posts

દીવ જિલ્લા પ્રશાસન દ્વારા રાષ્‍ટ્રીય એકતા દિવસ નિમિત્તે ‘ફિટ ઈન્‍ડિયા ફ્રીડમ રન 3.0’નું કરાયેલું સફળ આયોજન

vartmanpravah

વાપી પોલીસ સ્‍ટેશનના હેડ કોન્‍સ્‍ટેબલ સાગર ડોડીયા અને હોમગાર્ડ આશિષ પાલ 2 હજારની લાંચ લેતા ઝડપાયા

vartmanpravah

આંટિયાવાડ ગ્રામ પંચાયત ખાતે સરપંચ ઉર્વશીબેન પટેલ સાથે મહારાષ્‍ટ્રના રાષ્‍ટ્રીય પ્રશિક્ષણ વિશેષ આમંત્રિત સભ્‍ય યોગીનીએ સદસ્‍યતા અભિયાનને આપેલો વેગ

vartmanpravah

વાપી, બલીઠા, છરવાડા જલારામમંદિરોમાં બાપાની 223મી જન્‍મ જયંતિની ભવ્‍ય ઉજવણી

vartmanpravah

ભાજપ અનુ.જાતિ મોરચાના રાષ્‍ટ્રીય કોષાધ્‍યક્ષ સુરજ કેરો અને અનુ.જાતિ મોરચાના પ્રદેશ પ્રભારી અશોક ખટરમલે દમણવાડા ગ્રા.પં.ના નંદઘર અને લાઈબ્રેરી નિહાળી પ્રશાસનની કરેલી સરાહના

vartmanpravah

દમણ જિ.પં. અધ્‍યક્ષ જાગૃતિબેન પટેલે કુપોષણ દૂર કરવા માટે પ્રશાસન દ્વારા ઉઠાવવામાં આવી રહેલા પગલાંની કરેલી પ્રશંસા

vartmanpravah

Leave a Comment