Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામથી વલસાડ જવા ટ્રેનમાં નિકળેલ પિતા સૂઈ જતા બે વર્ષની પૂત્રનું કોઈ અપહરણ કરી ગયું

નરેશ રમેશભાઈ ધો. પટેલ બે વર્ષના પૂત્ર હિતેશ સાથે ઉમરગામથી વલસાડ જવા માટે વિરાર-વલસાડ ટ્રેનમાં નિકળ્‍યા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: ઉમરગામથી વલસાડ જવા વિરાર-વલસાડ ટ્રેનમાં પિતા-પૂત્ર ગતરોજ નિકળ્‍યા હતા. બે વર્ષનો પૂત્ર સાથે હતો. પિતા ટ્રેનમાં સુઈ ગયા હતા બાદ ઉદવાડા સ્‍ટેશને જાગીને જોયુ તો પૂત્ર ટ્રેનમાં જોવા મળ્‍યો નહોતો તેથી પિતાએ આમતેમ તપાસ કર્યા બાદ પૂત્ર નહી મળતા વાપી રેલવે પોલીસમાં પૂત્ર અપહરણ થવા જોગ ફરિયાદ નોંધાવી હતી. જાહેર જનતાને અપીલ કરાઈ છે કે બાળકની માહિતી મળે તો વાપી રેલવે પોલીસનો સંપર્ક કરવો.
મૂળ ઉમરગામ સોળસુંબાનો રહેવાસી ભીખ માગીને ગુજરાન કરી રહેલ અત્‍યારે વલસાડ રેલવે સ્‍ટેશન બહાર ફૂટપાથ ઉપર રહેતો નરેશ રમેશભાઈ ધો. પટેલ તેના પૂત્ર હિતેશ (ઉ.વ.2)ની સાથે ગતરોજ ઉમરગામથી વિરાર-વલસાડશટલમાં વલસાડ જવા નિકળ્‍યો હતો. ટ્રેનમાં ઉંઘ આવતા પિતા નરેશ સૂઈ ગયેલ. ઉદવાડા સ્‍ટેશને જાગ્‍યો ત્‍યારે પાસે રહેલો પૂત્ર હિતેશ ગુમ થયેલો જણાતા આખી ટ્રેનમાં શોધખોળ કરી પણ પૂત્ર મળી આવેલ નહીં. તેથી ભાંગી પડેલ પિતા નરેશભાઈએ વાપી રેલવે પોલીસમાં પૂત્ર અપહરણ અંગે ફરિયાદ નોંધાવી હતી. આ બાળકની કોઈ માહિતી કે જાણકારી મળે તો વાપી રેલવે પોલીસ મો.નં.99135 42511 અથવા પી.એસ.આઈ. જી.એચ. પઢીયાર મો.નં.98259 09182 ઉપર જણાવવા એક અખબારી યાદીમાં જણાવાયેલ છે.

Related posts

વાપીમાં બાઈક સવાર બે ઈસમોએ રાહદારીનો મોબાઈલ ફોન ઝૂંટવી ફરારથયા

vartmanpravah

ઈન્‍સ્‍ટાગ્રામ પર મિત્રતા કેળવી પારડીના યુવકે વલસાડની યુવતીને ગર્ભવતી બનાવી તરછોડી, પી.બી.એસ.સી.એ જીવન બચાવ્‍યું

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના નવા સલાહકાર તરીકે વિકાસ આનંદે સંભાળેલો ચાર્જઃ અનિલ કુમાર સિંઘને રિલીવ કરાયા

vartmanpravah

આલીપોરના વિદેશ રહેતા ખેડૂતની વડોદરા-મુંબઈ એક્‍સપ્રેસ-વેમાં સંપાદિત જમીન બોગસ પાવરના આધારે ચાઉં કરનારા સામે પોલીસે ગુનો દાખલ નહીં કરતા ઉચ્‍ચકક્ષાએ રજૂઆતનીતજવીજ

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસનનો મહિલાઓને આત્‍મનિર્ભર બનાવવાનો ઔર એક નવતર પ્રયાસઃ પટલારા ખાતે ટેલરિંગ ક્‍લાસનો આરંભ

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને હર ઘર તિરંગા અભિયાનની બેઠક મળી: જિલ્લામાં તા. 13 થી તા. 15 ઓગસ્ટ સુધી સતત 3 દિવસ સુધી તિરંગો લહેરાશે

vartmanpravah

Leave a Comment