June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

છેલ્લા દશ વર્ષમાં આધાર કાર્ડ અપડેટ ન કરાવ્‍યા હોય તેમણે આધારકાર્ડ અપડેટ કરાવી લેવા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ તા.08: છેલ્લા દશ વર્ષથી આધારકાર્ડ ઓળખના પુરાવા તરીકે સૌથી વ્‍યાપક રીતે ઉભરી આવ્‍યા છે. ત્‍યારે વિવિધ સરકારી સેવાઓનો લાભ લેવા માટે પણ આધારકાર્ડ એક અનિવાર્ય દસ્‍તાવેજ છે. તાજેતરમાં યુનિક આઈડેન્‍ટીફિકેશન ઓથોરીટી ઓફ ઈન્‍ડિયા (યુ.આઈ.ડી.એ.આઈ), ભારત સરકારની તા.19-09-2022ની યાદી મુજબ જે રહેવાસીઓએ 10 વર્ષથી વધુ સમય પહેલા આધારકાર્ડ કઢાવ્‍યું હોય અને આ સમયગાળા દરમિયાન કોઈ ડેમોગ્રાફિક (ઓળખ અને રહેઠાણના પુરાવા) આધાર અપડેશનમાં આવ્‍યા ન હોય તેવા રહેવાસીઓએ સરકારી સેવાઓનો અવિરત લાભ લેતા રહેવા માટે નિયત કરેલા દસ્‍તાવેજો સાથેઆધાર અપડેટ કરાવી લેવું. આધાર અપડેટ કરાવવા માટે સરકારશ્રી દ્વારા રૂ.50/- નો દર નક્કી કરવામાં આવ્‍યો છે. આધાર અપડેટ કરાવવા માટે જિલ્લામાં આવેલા નજીકના આધાર નોંધણી કેન્‍દ્રનો સંપર્ક કરવાનો રહેશે. એમ નિવાસી અધિક કલેક્‍ટરશ્રીએ અખબારી યાદીમાં જણાવ્‍યું છે.

Related posts

દાનહ પોલીસે 10 વર્ષના છોકરાને શોધી એના માતા-પિતા સાથે મિલાપ કરાવ્‍યો

vartmanpravah

દાદરા નગર હવેલીમાં યુવા કોંગ્રેસના પ્રદેશ જિલ્લા વોર્ડ અને પંચાયત કમિટીઓનું થશે પુનર્ગઠન

vartmanpravah

સમુદ્ર પરિક્રમા કાર્યક્રમનું સમાપન : માછીમારનેતા વિશાલભાઈ ટંડેલે કરેલું દમણનું પ્રતિનિધિત્‍વ

vartmanpravah

ખેરગામ તાલુકામાં રૂા.1025લાખના ખર્ચે રસ્‍તાઓ અને મકાનોના ખાતમુહૂર્ત/લોકાર્પણ કાર્યક્રમ યોજાયા

vartmanpravah

મસાટથી ખાનવેલ તરફ જતા ખખડધજ અને જર્જરિત રસ્‍તાના કારણે વાહનચાલકો-રાહદારીઓ પરેશાન

vartmanpravah

દાનહ રેડક્રોસ સોસાયટી દ્વારા સંચાલિત દિવ્‍યાંગ પુનર્વાસ કેન્‍દ્ર સેલવાસમાં વિશ્વ દિવ્‍યાંગ દિવસ સમારોહનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment