Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના આમધરા ગામના લોકો દ્વારા ટીડીઓને આવેદનપત્ર પાઠવી ખોટી ફરિયાદોને ધ્‍યાનમાં ન લઈ મંજૂર થયેલા વિકાસના કામો ઝડપથી શરૂ કરવા કરેલી માંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.20: ચીખલી તાલુકાના ટીડીઓ ચેતનભાઈ દેસાઈને તાલુકા પંચાયતના પ્રમુખ રાકેશભાઈ, જિલ્લા પંચાયત સભ્‍ય દીપાબેન, ઉપ પ્રમુખ રમેશભાઈ, કારોબારી સભ્‍ય ધર્મેશભાઈ, ભાજપ પ્રમુખ મયંકભાઈ, સરપંચ કલ્‍પેશભાઈ, પૂર્વ સરપંચ રૂપલબેન, અગ્રણી પિનાકીનભાઈ સહિતનાની ઉપસ્‍થિતિમાં ગ્રામજનો દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્‍યું છે કે 2017 થી 2021 દરમિયાનના પાંચ વર્ષમાં આમધરા ગામમાં અનેક વિકાસના કામો થયા હતા તે દરમિયાન કોઈપણ ફરિયાદ થયેલ નથીત્‍યારે સમરસ ગ્રામ પંચાયત થતા સરપંચ પદે રૂપલબેન આરૂઢ થયા હતા. બાદમાં ચૂંટણી થતા તેમના પતિ કલ્‍પેશભાઈ સરપંચ પદે ચૂંટાઈ આવતા અગાઉના સરપંચના પિરિયડમાં થયેલા તમામ કામોની લેખિત ફરિયાદ, રેલી કાઢવાનું શરૂ થઈ ગયું હતું. પાંચ વર્ષમાં ફરિયાદ કરાઈ ન હતી. ચૂંટણી બાદ જ કેમ કરવામાં આવી? સરપંચ કલ્‍પેશભાઈને ચૂંટણી દરમિયાન આ ટોળકીના સભ્‍યોએ મારતા પોલીસ ફરિયાદ પણ કરાઈ હતી. હાલે પણ એક કામ ચાલુ છે. તેમાં પણ વિવાદ કરી જાતિ વિષયક ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી. ગામમાં આદિવાસી રાજ કરે તે ગમતું નથી.
વધુમાં જણાવાયં છે કે, હાલમાં અમારા ગામમાં ઘણા કામો મંજુર છે જે આ ટોળકીને ગમતું નથી. મનરેગા યોજનામાં બેરોજગરોને રોજગાર મળે એ હેઠળ કામ ચાલતું હતું. પરંતુ ફરિયાદો થતા હાલે કામ બંધ છે. હળપતિ આવાસ અને પ્રધાનમંત્રી આવાસના કામો પણ મળેલ નથી. જેથી આ લોકોની ફરિયાદ ધ્‍યાને ન લઈ નિયમ મુજબ દેખરેખ રાખી મંજુર કામો શરૂ કરાવી પૂર્ણ કરાવવાની માંગ કરાઈ હતી. મોટી સંખ્‍યામાં આવેલા લોકોને ટીડીઓ ચેતનભાઈએ કામો શકય એટલા ઝડપથી શરૂ કરાવવાની ખાતરી આપી હતી.

Related posts

નહેરુ યુવા કેન્‍દ્ર દમણ દ્વારા કારકિર્દી માર્ગદર્શન અને કાઉન્‍સેલિંગ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપીથી પાલઘર જવા ઈકોમાં નિકળેલી મહિલાની છેડતી થતા દિકરીને હાઈવે પર ફેંકી પોતે કુદી પડતા દિકરીનું મોત

vartmanpravah

સરીગામ યુવા શક્‍તિ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા સ્‍વ. કમલાશંકર રાયની 19 મી પુણ્‍યતિથિ નિમિત્તે રક્‍તદાન શિબિરનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

દમણ-દીવની સેવા સંસ્‍થા ‘આશા મહિલા ફાઉન્‍ડેશન’ના પ્રમુખ તરુણાબેન પટેલની આગેવાની હેઠળ દીવના વણાંકબારા અને સાઉદવાડી ગ્રા.પં.ની સ્‍વસહાય જૂથની મહિલાઓને સિલાઈ મશીનોનું કરાયેલું વિતરણ

vartmanpravah

વલસાડ સરકારી પોલીટેકનિક અને આર.ટી.ઓ દ્વારા પતંગના દોરાથી બચવા સેફટી બેલ્‍ટનું વિતરણ કરાયું

vartmanpravah

લુહારી ફાટક નજીક રીક્ષા પલ્‍ટી મારતા રિક્ષાચાલક ઘાયલ

vartmanpravah

Leave a Comment