(સંજય તાડા દ્વારા)
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.11: કપરાડા તાલુકાના મનાલા ગામ ખાતે વસુંધરા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આદિવાસી પરંપરાગત વૈદુંભાગતો દ્વારા વૈદું વનસ્પતિ ભગત ઉજવી મનાલા આલય ફળિયા મગળભાઈ ધૂમ નાં ઘરે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આ વૈદ ભગત ઉજવણી કરવાનો મુખ્ય ઉદ્દેશ કે આપડી આદિ અનાદીકાળની વનસ્પતિનું જતન કેવી રીતે થાય અને ભક્તોને આ વનસ્પતિ સમજણ થાય એક બીજાને આદાન પ્રદાન થાય એ વિશે માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં સાઈનાથ હોસ્પિટલના ડો.હેમંતભાઈ પટેલ, કારોબારી અધ્યક્ષ ગુલાબભાઈ રાઉત, બાયફ કપરાડાના ઓફિસર નીતિનભાઈ જી. સાઠે, પશુ દવાખાનાના ડો.દિનેશભાઈ પટેલ, સામાજિક કાર્યકર્તા ત્રિલોક યાદવની, વલસાડ જિલ્લા યુવા મોરચા ઉપાધ્યક્ષ કિરણભાઈ ભોયા, ગામના અગ્રણી જયેન્દ્રભાઈ ગાંવિત, વસુંધરા ટ્રસ્ટના ટ્રસ્ટી સોન્યભાઈ ગાયકવાડ, ટ્રસ્ટના પ્રમુખ ઈશ્વરભાઈ ગાયકવાડ તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા વૈદું ભાગતો જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.