July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં સોશિયલ ગ્રુપ દ્વારા પક્ષીઓ માટે ચકલી ઘર અને બાઉલનું વિતરણ કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: વાપીના સમાજ સેવક કિરણ રાવલ સમાજ સેવા કરવામાં કોઈ કસર કરતા નથી. દરેકે દરેક પ્રવૃત્તિની ઋતુ મુજબ પોતાના તરફથી બનતા સમાજ સેવાના કાર્યો કરતા જ રહે છે. આમ સમાજ સેવક કિરણ રાવલ છેલ્લા 8 વર્ષથી નિરંતર મનુષ્‍ય જીવો માટે તેમજ મૂંગા પશુ પક્ષીઓ માટે સમાજ સેવાના કાર્યો કરતા જ રહે છે જે વાપી તેમજ આજુબાજુના વિસ્‍તારમાં રહેલી જનતાએ ગત દિવસોમાં જોયું છે. આમ આ વર્ષે પણ આ ગરમીમાં મૂંગા પક્ષીઓને રાહત મળે એ માટે સમાજ સેવક કિરણ રાવલે દર વર્ષની જેમ આ વર્ષે પણ એક વિતરણ કેમ્‍પનું આયોજન કર્યું હતું. જેમાં મૂંગા પક્ષીઓ માટે ચકલી ઘર, પક્ષીઓ પાણી પી શકે એ માટે પાણીના બાઉલ તેમજ પક્ષીઓ દાણા ચણી શકે એ માટે બોટલ ડીસોનું વિતરણ કર્યું હતું. આમઆ વિતરણનો લાભ વાપીના પક્ષી પ્રેમીઓએ ખુબ મોટી સંખ્‍યામાં ભાગ લીધો હતો. સમાજ સેવક કિરણ રાવલ દ્વારા આ વખતે લાકડાના અને પુઠાના એમ બંને પ્રકારના લગભગ 3850 ચકલી ઘર, તેમજ 2600 જેટલા પક્ષીઓ પાણી પી શકે એવા પાણીના બાઉલો તેમજ પક્ષીઓ ચણ ચણવા માટે લગભગ 1300 જેટલા ડિસોનું વિતરણ કર્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ 2 પ્રકારના ચકલિઘરોનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. આમ આ દરેક વસ્‍તુ વિનામુલ્‍યે મફત વાપીની પક્ષીપ્રેમી જનતાને આપવામાં આવ્‍યું હતું. આ વિતરણ કેમ્‍પમાં હજારો લોકોએ ભાગ લીધો હતો અને સમાજ સેવક કિરણ રાવલે આ એજ પ્રભુ સેવામાં માનનાર કિરણ રાવલ વર્ષમાં 365 દિવસ અવિરત પોતાનાથી બનતી નિઃસ્‍વાર્થ સમાજ સેવા કરતા રહે છે.

Related posts

‘એક યુદ્ધ નશે કે વિરૂદ્ધ’ અભિયાન અંતર્ગત દાદરા નગર હવેલી જિલ્લા કલેક્‍ટરને ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શન માટે રાષ્‍ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા સન્‍માનિત કરાયા

vartmanpravah

ચીખલી – ગણદેવી તાલુકામાં અસહ્ય ગરમી વચ્‍ચે વહેલી સવારે વરસાદી ઝાપટું: લગ્ન પ્રસંગોના રંગમાં પડેલો ભંગ

vartmanpravah

દાનહ અને દમણ-દીવના ભાગ્ય વિધાતા કોણ? દાનહ અને દમણ-દીવમાં મોદી સરકારે શિખવેલા પાઠઃ સાંસદ પોતે સરકાર નહીં પણ પ્રજાનો પ્રતિનિધિ

vartmanpravah

સ્‍ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી દમણ દ્વારા કોર્ટ પરિસરમાં પેરા લીગલ વોલ્‍યુન્‍ટર્સ માટે બેદિવસીય કાર્યપ્રણાલી પ્રશિક્ષણ શિબિરનો આરંભ

vartmanpravah

દાનહમાં દમણગંગા કિનારે તથા ગામડાઓમાં નહેર કાંઠે અસ્‍તાંચળના સૂર્યને અર્ઘ્‍ય આપી છઠ્ઠ મહાપર્વ નિમિત્તે ઉત્તર ભારતીયોએ કરેલું પૂજન-અર્ચન

vartmanpravah

વલસાડ તાલુકાના ડુંગરી ગામમાં યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં 1123 પ્રશ્નોનો હકારાત્‍મક નિકાલ કરાયો

vartmanpravah

Leave a Comment