July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જેસીઆઈની મહાત્‍મા ઝોન કોન્‍ફરન્‍સ નવસારી ખાતે યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી,તા.31: નવસારી જૂનાથાણા સ્‍થિત મતિયા પાટીદાર વાડી ખાતે તારીખ 28 અને 29 ઓક્‍ટોબર જેસીઆઈ મહાત્‍મા ઝોન કોન્‍ફરન્‍સનું આયોજન આવ્‍યું હતું. જેમાં મોટી સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.
જેસીઆઈ વિવિધ ક્ષેત્રો જેમાં વ્‍યક્‍તિત્‍વ વિકાસ, ટ્રેનિંગ, બિઝનેસ, મેનેજમેન્‍ટ, કોમ્‍યુનિટી તેમજ લીડરશીપ કાર્ય કરવા જાણીતી છે. 120થી વધુ દેશોમાં પથરાયેલ જેસીઆઇ સંસ્‍થા યુવાનો માટે કાર્યરતછે. જેસીઆઈ મહાત્‍મા ઝોન કોન્‍ફરન્‍સમાં ઝોન આઠના હાલના વિવિધ હોદ્દાઓ પર બિરાજમાન પ્રમુખો તેમજ ભૂતપૂર્વ પ્રમુખોએ પરિવાર સાથે હાજરી આપી હતી. યજમાન બનેલ નવસારી દ્વારા ઝોન આઠના સમગ્ર જેસીઆઈ પરિવારની આગતા સ્‍વાગતા કરવાનો મોકો મળ્‍યો હતો. ઈવેન્‍ટ દરમિયાન વિવિધ સ્‍પર્ધાઓ યોજવામાં આવી હતી. તેમજ મનોરંજક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ઝોન કોન્‍ફરન્‍સ દરમિયાન મતિયા પાટીદાર વાડી ખાતે બિઝનેસ કરતા વેપારીઓ દ્વારા વિવિધ સ્‍ટોલ રાખી એક્‍ઝિબિશન પણ કરવામાં આવ્‍યું હતું. વર્ષ દરમિયાન થયેલ કાર્યોની સૂચિની યાદી ઝોન પ્રમુખ અનંત ભરુચા દ્વારા આપવામાં આવી. તેમજ નવી કાર્યકારી ટીમને આવનાર વર્ષમાં વધુ સારા કાર્યો માટે શુભેચ્‍છાઓ આપવામાં આવી હતી. યજમાન જેસીઆઈ નવસારીના કાર્યને બિરદાવી જેસીઆઈ નવસારીનો આભાર માનવામાં આવ્‍યો હતો.

Related posts

શ્રી પ્રજાપતિ ઉત્‍કર્ષ મંડળ દ્વારા સ્‍નેહ સંમેલનનું આયોજન કરાયું

vartmanpravah

લાંચના ગુનામાં નાસતા ફરતા વાપીના સી.જી.એસ.ટી. ઈન્‍સ્‍પેક્‍ટરની માહિતી આપવા જોગ

vartmanpravah

મલીયાધરા ગામે મોટરસાયકલ અને કાર વચ્‍ચે અકસ્‍માતમાં બાઈકની પાછળ બેસેલ મહિલાનું પટકાતા મોત

vartmanpravah

દમણના દાભેલ ચંચળ તળાવમાંથી મળી આવેલ અજાણ્‍યા પુરૂષની લાશના વાલી-વારસો સંપર્ક કરે

vartmanpravah

ફેડરેશન ઓફ ગુજરાત ઈન્‍ડસ્‍ટ્રીઝ દ્વારા 18મો એફજીઆઈ એવોર્ડ ફોર એક્‍સીલન્‍સ યોજાશે : જુદી જુદી 13 કેટેગરીનો સમાવેશ

vartmanpravah

દાનહનાં યુવાનોને ‘અગ્નિવીર’ તરીકે જોડાઈને પોતાનું અને રાષ્ટ્રનું ભવિષ્‍ય ઉજ્જવળ બનાવવા ગુલાબ રોહિતની હાકલ

vartmanpravah

Leave a Comment