June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસમાં જગદગુરુ શ્રીનરેન્‍દ્રાચાર્ય મહારાજના સાનિધ્‍યમાં ‘સમસ્‍યા માર્ગદર્શન’ સમારોહ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03 : ગુરૂવારે કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ ખાતેના હવેલી ગ્રાઉન્‍ડમાં જગદગુરુ શ્રી નરેન્‍દ્રાચાર્ય મહારાજના સાનિધ્‍યમાં સમસ્‍યા પર સમાધાન માટે માર્ગદર્શન સમારોહનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે શ્રી શ્રી નરેન્‍દ્રાચાર્ય મહારાજે તેમની વાણીમાં જણાવ્‍યું હતું કે, અંધવિશ્વાસ ઉન્‍મૂલન ગતિવિધિઓ પર વિશ્વાસ નહીં કરતા આધ્‍યાત્‍મ, વિજ્ઞાન અને અભ્‍યાસને મેળવી જીવન કેવી રીતે જીવાય એના પર માર્ગદર્શન વિશાળ શૈલીમાં માર્ગદર્શન આપ્‍યું હતું. તેમણે જણાવ્‍યું હતું કે, કોઈનુ ખોટું ન કરો અને એકાગ્ર મનથી દિવસમાં ફક્‍ત 10 મિનિટ ભક્‍તિ કરો, સાથે કર્મ કરતા રહો. એના અનુરૂપ જ તમને ફળ પ્રાપ્ત થશે. આ કાર્યક્રમમાં હજારોની સંખ્‍યામાં ભાવિક ભક્‍તોએ લાભ લીધો હતો.
કાર્યક્રમ પહેલાં જગદગુરુ શ્રી નરેન્‍દ્રાચાર્યએ સ્‍વામિનારાયણ મંદિરમાં દર્શન કર્યા બાદ સમસ્‍યા પર આધારિત માર્ગદર્શનની શરૂઆત કરી હતી. આ અવસરે જગદગુરુ શ્રી નરેન્‍દ્રાચાર્ય મહારાજના દર્શન કરવા માટે ઉમરગામના ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકર અને દાનહ શિવસેનાના પ્રમુખ શ્રી અભિનવ ડેલકર સહિત મોટી સંખ્‍યામાં ભાવિક ભક્‍તો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી ટાઉનમાં રાત્રે શટરોના તાળા ફંફોસતા બે સ્‍થળોથી બે ઇસમો પોલીસે ઝડપ્‍યા

vartmanpravah

ચીખલી તાલુકાના વિવિધ ગામોમાંથી જીયો કંપનીના મોબાઈલ ટાવરો પરથી કેબલો ચોરાયા

vartmanpravah

વલસાડમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલની અધ્યક્ષતામાં શિક્ષક દિન ઉજવાયો, જિલ્લા-તાલુકા કક્ષાના ૭ શિક્ષકોનું સન્માન કરાયું

vartmanpravah

વલસાડમાં તા. ૧૧ મી જૂને નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને મીડિયા એવોર્ડ વિતરણ સમારોહ યોજાશે

vartmanpravah

દીવમાં અમરેલીથી આવેલ પર્યટકનો ખોવાયેલો મોબાઈલ માત્ર ૧૦ જ મીનિટમાં શોધીને પરત આપી ટ્રાફિક પોલીસે કરેલી સરાહનીય કામગીરી

vartmanpravah

દાનહની પેટા ચૂંટણીમાં કલાબેન ડેલકરનું ધનુષ્‍યબાણ કેવો લક્ષ્ય વેધ કરે તેના ઉપર તમામની નજર

vartmanpravah

Leave a Comment