Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સંજાણ રેલવે ઓવરબ્રિજમાં ગાબડું એક મુસીબતમાં આકાર પામી રહેલી નવી વિકટ સમસ્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.18: 
સંજાણ રેલવે ઓવરબ્રિજમાં ગાબડું પડવાની ઘટનાની નોંધ ઉચ્‍ચ વિભાગ સુધી લેવામાં આવી રહી છે અને એની ચર્ચા ઉમરગામ તાલુકા સહિત પશ્ચિમ રેલવે વિભાગમાં કેન્‍દ્રસ્‍થાને છે. સુરક્ષાને ધ્‍યાનમાં રાખી સલામતીના ભાગરૂપે રેલવે ઓવર બ્રિજ ઉપરની અવરજવર બંધ કરી દેવામાં આવી છે અને ટેકનિકલ વિભાગ દ્વારા તપાસની કામગીરી ચાલુ છે. આવનારા રિપોર્ટ ઉપર તમામની નજર રહેશે એમાં બે મતનથી.

હવે રેલ્‍વે ઓવરબ્રિજ અવરજવર માટે બંધ છે અને ચોમાસાનો પ્રારંભ થઈ ચૂકયો છે ત્‍યારે યોગ્‍ય વિકલ્‍પ ના ઉભો કરવામાં આવે તો પૂર્વ અને પશ્ચિમ વિભાગ સંપર્ક વિહોણા બનવાની પૂરેપૂરી શકયતા દેખાઈ રહી છે. તાજેતરમાં રોડની જમીની વાસ્‍તવિકતા કે અભ્‍યાસ કર્યા વગર ડાયવર્ઝનની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. ડફોળ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ચોરી કરવા માટે કાપલી બનાવે એવા ફર ફરિયા કાગળ ઉપર લખાણ લખી જેના ઉપર ચૂંટાયેલા અને સરકારનું પ્રતિનિધિત્‍વ કરતા પ્રતિનિધિઓ સહી કરીને પ્રજાને મૂર્ખ બનાવવાનું અને ભારે અરાજકતા ફેલાવવાનું તખ્‍તો તૈયાર કરી રહ્યા હોવાનું હાલ પૂરતું દેખાઈ રહ્યું છે. રેલવે ઓવર બ્રિજના ઠેકેદાર શ્રી મંગલમ બીલ્‍ડકોન ઇન્‍ડિયા પ્રાઈવેટ લિમિટેડ નામની કંપની આ અગાઉ કામમાં દાખવેલી બેદરકારીના કારણે વગોવાયેલી હતી અને એની જાણકારી સાંસદ અને ધારાસભ્‍ય પાસે ના હોય એવું માનવામાં આવતું નથી. ત્‍યારે રેલવે ઓવરબ્રિજના નિર્માણના કામગીરીમાં ધ્‍યાન ન આપવાની ફરજ ચુક કરી હોવાનું સામે આવી રહ્યું છે.હાલમાં રેલવેને સમાંતર બુનાટપાડા થઈ મહારાષ્‍ટ્ર સરહદને અથવા ઉધવા અને આમ ગામ રોડ ને જોડતો ડાયવર્ઝન બનાવવામાં આવી રહ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. આ રોડ પસારથવાનો છે એ જગ્‍યા ઉપર કેટલાક સ્‍થળે ગળાડૂબ પાણી ભરાવાની સમસ્‍યા તેમજ એક કિલો મીટર સુધીના અંતરમાં વળાંક વાળો તેમજ મહામુસીબતે માત્ર એક ગાડી પસાર થઈ શકે એટલો સાંકડો અને નદીના પાણીના વહેણ સાથે લાગુ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ પરિસ્‍થિતિ હોય તો ચોમાસા દરમિયાન વાહનોની અવરજવર બંધ થવાની પૂરેપૂરી શકયતા છે. ઉમરગામ જીઆઇડીસી, રેલવે સ્‍ટેશન, શાળાઓ પશ્ચિમ ભાગમાં આવી છે અને પૂર્વ ભાગમાંથી કામદારો, કર્મચારીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્‍યામાં વાહનો દ્વારા અવરજવર કરતા હોય છે. જેથી આ માર્ગ વાહનોથી ભરચક રહેશે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અને જો એમાં વાહનો ખોટકાય તો અવરજવર બંધ થવાની શકયતા નકારતી નથી તેવા સમયે બીજો વિકલ્‍પ પણ તૈયાર રાખવો જોઈએ. જેથી ડાયવર્ઝનની કામગીરી ચાલુ કરવા પહેલા સંબોધિત વિભાગો દ્વારા અભ્‍યાસ કર્યા બાદ અભિપ્રાય મેળવી ચાલુ કરવો જોઈતો હતો એની નોંધ જિલ્લા કલેકટર દ્વારા લેવામાં આવી જોઈએ.

અગાઉ ચોમાસા દરમિયાન ડાયવર્ઝન માર્ગની જમીન પાણીના ડુબાણમાં હોવાનું દ્રશ્યમાન થાય છે

Related posts

દાનહ સાંસદ કલાબેન ડેલકરે પ્રદેશના અતિ બિસ્‍માર રસ્‍તાઓનો લોકસભામા ઉઠાવેલો મુદ્દો

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા સેલવાસમાં બે ઠેકાણે ગેરકાયદેસરના બાંધકામો તોડી પડાયા

vartmanpravah

સેલવાસના વેપારીઓની સમસ્‍યાના નિરાકરણ માટે પ્રદેશ ભાજપે લગાવેલું એડીચોટીનું જોર : કલેક્‍ટર દ્વારા સોમવારે યોજાશે સંકલન બેઠક

vartmanpravah

વાપી સિવિલ કોર્ટમાં ધ્‍વજ વંદન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ધરમપુર અને કપરાડા તાલુકાના ચાર ગામોમાં સરકારી જમીનમાં ચર્ચ બાંધવાની હિલચાલ સામે ગ્રામજનોનો વિરોધ

vartmanpravah

આઇ.સી.ડી.એસ અને આરોગ્‍ય વિભાગના સંયુકત ઉપક્રમે સુશાસન દિવસની ઉજવણી કરાઇ

vartmanpravah

Leave a Comment