October 15, 2025
Vartman Pravah
Breaking NewsOtherદેશસેલવાસ

દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા કર્ણાટક રાજ્‍યનો સ્‍થાપના દિવસ મનાવાયો

કલેક્‍ટર પ્રિયાંક કિશોરે દાનહમાં વસતા કર્ણાટક રાજ્‍યના મૂળનિવાસીઓને આપેલી શુભકામના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02 : આજે દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા કર્ણાટક રાજ્‍યના સ્‍થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સેલવાસ કલેક્‍ટર કચેરી ખાતે કલેક્‍ટર શ્રી પ્રિયાંક કિશોરની અધ્‍યક્ષતામાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં દાનહ કન્નડ સેવા સંઘ અને કન્નડ મહિલા સંઘના સભ્‍યો અને અધિકારીઓએ કર્ણાટક રાજ્‍યના સ્‍થાપના દિવસ પર એકબીજાને મળ્‍યા હતા અને એકતા તથા વિવિધ સંસ્‍કૃતિ તેમજ કલાનું આદાન-પ્રદાન કર્યું હતું. કલેક્‍ટર શ્રી પ્રિયાંક કિશોરે દાનહમાં વસતા કર્ણાટક રાજ્‍યના મૂળ નિવાસીઓને શુભકામના આપી હતી. આ પ્રસંગે સેલવાસના નિવાસી નાયબ કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખ, સેલવાસ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રજની શેટ્ટી સહિત મહાનુભાવો અને કર્ણાટકના મૂળ લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને ઈન્‍ડિયન રેડ ક્રોસ સોસાયટી-દાનહને સ્‍વૈચ્‍છિક રક્‍તદાતાઓને પ્રેરિત કરવા રાષ્‍ટ્રપતિના હસ્‍તે મળેલ એવોર્ડશિલ્‍ડ સમર્પિત કર્યો

vartmanpravah

લંડનની સ્‍કૂલ ઓફ ઈકોનોમિક્‍સ એન્‍ડ પોલિટિકલ સાયન્‍સથી માસ્‍ટરની ડીગ્રી પ્રાપ્ત કરતા ખાનવેલ ગ્રામ પંચાયતે કુ. પ્રિયા અને કુ. પ્રિયંકા ભીમરાના સન્‍માનમાં જાહેર રસ્‍તા ઉપર અભિનંદન આપતા લગાવેલા હોર્ડિંગ

vartmanpravah

અંતે ઓરિએન્‍ટલ ઇન્‍સ્‍યોરન્‍સ કંપનીએ નમતું જોખી વલસાડમાં હંગામી ફટાકડાના વેપારીઓના વીમા લેવાનું શરૂ કર્યું

vartmanpravah

જિલ્લા કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવે જારી કરેલો આદેશ નાની દમણ સમુદ્ર નારાયણ મંદિર જેટીથી દેવકા પ્રિન્‍સેસ પાર્ક સુધીનો બીચ રોડ વાહન અને રાહદારીઓની અવર-જવર માટે બંધ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા. 13 નાની દમણના સમુદ્ર નારાયણ મંદિર જેટીથી હોટલ પ્રિન્‍સેસ પાર્ક દેવકા સુધીના રોડને વાહનો તથા રાહદારીઓની અવર-જવર માટે બીજો આદેશ જારી નહીં થાય ત્‍યાં સુધી બંધ કરવાનો આદેશ સીઆરપીસીની 144 કલમ અંતર્ગત દમણના કલેક્‍ટર અને જિલ્લા મેજીસ્‍ટ્રેટ ડોક્‍ટર તપસ્‍યા રાઘવે જારી કર્યો છે. સમુદ્ર નારાયણ મંદિરથી પ્રિન્‍સેસ પાર્ક દેવકા સુધીના બીચ રોડ ઉપર વાહનો અને રાહદારીઓની અવર-જવરના કારણે એજન્‍સી દ્વારા ચાલી રહેલા કામોમાં અવરોધ આવવાની સાથે સલામતિનો પણ પ્રશ્ન ઉપસ્‍થિત થઈ રહ્યો છે, તેથી આ રસ્‍તાને સંપૂર્ણ રીતે અવર-જવર માટેબંધ કરવાનો આદેશ કરવામાં આવ્‍યો છે.

vartmanpravah

વલસાડ તિથલ બીચ ઉપર અજાણ્‍યા વૃધ્‍ધે આપઘાતની કોશિષ કરી

vartmanpravah

ભીલાડ સ્‍વામિનારાયણ ગુરુકુળના સભાખંડમાં એક શામશહીદો કે નામ કાર્યક્રમ રંગે ચંગે યોજાયો

vartmanpravah

Leave a Comment