Vartman Pravah
Breaking NewsOtherદેશસેલવાસ

દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા કર્ણાટક રાજ્‍યનો સ્‍થાપના દિવસ મનાવાયો

કલેક્‍ટર પ્રિયાંક કિશોરે દાનહમાં વસતા કર્ણાટક રાજ્‍યના મૂળનિવાસીઓને આપેલી શુભકામના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02 : આજે દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા કર્ણાટક રાજ્‍યના સ્‍થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સેલવાસ કલેક્‍ટર કચેરી ખાતે કલેક્‍ટર શ્રી પ્રિયાંક કિશોરની અધ્‍યક્ષતામાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં દાનહ કન્નડ સેવા સંઘ અને કન્નડ મહિલા સંઘના સભ્‍યો અને અધિકારીઓએ કર્ણાટક રાજ્‍યના સ્‍થાપના દિવસ પર એકબીજાને મળ્‍યા હતા અને એકતા તથા વિવિધ સંસ્‍કૃતિ તેમજ કલાનું આદાન-પ્રદાન કર્યું હતું. કલેક્‍ટર શ્રી પ્રિયાંક કિશોરે દાનહમાં વસતા કર્ણાટક રાજ્‍યના મૂળ નિવાસીઓને શુભકામના આપી હતી. આ પ્રસંગે સેલવાસના નિવાસી નાયબ કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખ, સેલવાસ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રજની શેટ્ટી સહિત મહાનુભાવો અને કર્ણાટકના મૂળ લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈ પારડીના ડુંગરી તળાવને ઊડું કરવાના કામનું ખાતમુહૂર્ત કરી જિલ્લામાં ‘સુજલામ સુફલામ જળ અભિયાન-2023′ નો શુભારંભ કરાવશે

vartmanpravah

ડીઆઈએના સભાખંડને પોતાના ફંડથી વાતાનુકૂલિત બનાવવા ઉદ્યોગપતિ કાયરસ દાદાચનજીએ કરેલી જાહેરાત

vartmanpravah

એસ.ટી. વિભાગીય કચેરી વલસાડ ખાતેથી માર્ગ સુરક્ષા માસ 2024 નિમિત્તે ઓનલાઈન સેમિનાર યોજાયો

vartmanpravah

વાપીમાં બંધારણના ઘડવૈયા ભારત રત્‍ન ડો.બાબા સાહેબ આંબેડકરની જન્‍મ જયંતિની ભવ્‍ય ઉજવણી

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા કેટલાક ખેડૂતોને વર્મી કમ્‍પોસ્‍ટ બેડનું કરાયેલું વિતરણ

vartmanpravah

વાપી જર્નાલિસ્‍ટ વેલ્‍ફેર એસોસિએશન દ્વારા વાપીના પત્રકાર સભ્‍યોની સામાન્‍ય સભા યોજાઈ

vartmanpravah

Leave a Comment