April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દિવાળીના પર્વ નિમિત્તે નવસારીની સર જે.જે. પ્રાયમરી શાળામાં વિવિધ સ્‍પર્ધાઓ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.08: દિવાળીના પર્વ નિમિત્તે નવસારી જમશેદ બાગ ખાતે આવેલી સર જે.જે. પ્રાયમરી શાળામાં વિવિધ સ્‍પર્ધાઓનું આયોજનકરવામાં આવ્‍યું હતું. આ સ્‍પર્ધામાં ધોરણ-1 થી 5 ના બાળકોએ ભાગ લીધો હતો. જેમાં ધોરણ-1 માં દિવડા ડેકોરેશન, ધોરણ-2 માં કંડીલ સ્‍પર્ધા, ધોરણ-3 માં આરતી ડેકોરેશન, ધોરણ-4 માં કાર્ડ બનાવવા, ધોરણ-5 માં રંગોળી જેવી સ્‍પર્ધાઓનું અયોજન કરવામાં આવ્‍યું હતું. બાળકોએ આ અવનવી સ્‍પર્ધાઓમાં ખૂબ જ ઉત્‍સાહપૂર્વક ભાગ લઇ, પોતાનામાં રહેલી કળાને પ્રદર્શિત કરી હતી.
વિવિધ સ્‍પર્ધાઓમાં બાળકોને કળતિને આધારે પ્રથમ, દ્વિતિય અને તૃતીય તેમજ આશ્વાસન નંબરો આપી સન્‍માનિત કર્યા હતાં. નિર્ણાયક તરીકે ગૌરીબેન પટેલ, પરિનાઝ, જહાન્‍વીબેન અને સેફાલીબેને ફરજ બજાવી હતી. શાળાના આચાર્યા શ્રીમતી કડોદવાલાના માર્ગદર્શન હેઠળ શાળા પરિવાર દ્વારા દિવાળીની સ્‍પર્ધાઓની સુંદર રીતે ઉજવણી કરવામાં આવી હતી.

Related posts

રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને પારડીમાં રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ થયો

vartmanpravah

ખાનવેલ-દૂધની રોડ પર સેલ્‍ટી પુલ પાસેના ડાયવર્ઝનનું ધોવાણ થતાં સ્‍થાનિકો પરેશાન

vartmanpravah

સેલવાસ પાલિકા વિસ્‍તારમાં વગર પરમીશને ઝંડા લગાવવામા આવશે તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17 સેલવાસ નગરપાલિકા દ્વારા દાનહ નગર પરિષદ વિજ્ઞાપન પર કર, નિયમ 2018ના ખંડ 2ર્(ી)ની પરિભાષા મુજબ ધ્‍વજના માધ્‍યમ દ્વારા જાહેરાત પાલિકા વિસ્‍તારમા વગર પરમિશને નિષિદ્ધ છે. જેથી દરેકને સૂચિત કરવામા આવે છે કે કોઈપણ એજન્‍સી/સંસ્‍થા/વ્‍યક્‍તિ જે પાલિકા વિસ્‍તારમા ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન આપવા માંગે છે તેઓએ પાલિકાની પૂર્વ અનુમતિ લેવા અરજી કરવી પડશે.જેનો દર 1 રૂપિયા પ્રતિ દિન પ્રતિ સંખ્‍યા અધિસુચના સંખ્‍યા 10/9/18 અનુસાર છે. અવરજવર સબંધી ખતરો અને વીજળીના સંભવિત ખતરાને જોતા સુરક્ષા સુનિヘતિ કરવા માટે કોઈપણ વીજળીના થાંભલા પર ઝંડા લગાવવાની પરમીશન આપવામા આવશે નહિ. જો પાલિકા વિસ્‍તારમાં પાલિકાની પરમિશન વગર ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન અથવા પ્રચાર કરવામા આવશે તો કાર્યક્રમ આયોજક એજન્‍સી સંસ્‍થા વ્‍યક્‍તિને જવાબદાર ઠેરવવામા આવશે અને દાદરા નગર હવેલી નગર પરિષદ નિયમ 2018 અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.

vartmanpravah

2000 વિદ્યાર્થીનો વલસાડ રોટરી કલબે સર્વે કરી 63 શિક્ષકોને નેશન બિલ્ડર એવોર્ડથી સન્માનિત કર્યા

vartmanpravah

તા.૧૬મીએ વલસાડ જિલ્લા વાનપ્રસ્‍થ નાગરિક પરિષદની વાર્ષિક સાધારણ સભા યોજાશે

vartmanpravah

નવસારીના ઉત્ત્કર્ષ મંડળ દ્વારા ‘લીલોતરી પ્રોજેક્‍ટ’ અંતર્ગત જાગૃતતા સેમિનાર યોજાયો

vartmanpravah

Leave a Comment