છેલ્લા 60 કરતા વધુ વરસોથી મહિલાઓના કલ્યાણ માટે દમણ ખાતે સક્રિય 92 વર્ષના પ્રભાબેન શાહની પદ્મ પુરસ્કાર માટે પસંદગી થતાં સમગ્ર પંથકમાં આનંદની ફેલાયેલીલાગણી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.25
દમણમાં છેલ્લા 60 કરતા વધુ વરસોથી દમણ ખાતે મહિલાઓની સેવામાં કાર્યરત શ્રીમતી પ્રભાબેન શાહને આજે ભારત સરકારે પદ્મશ્રી પુરસ્કારની જાહેરાત કરતા સમગ્ર પંથકમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે.
દમણ ખાતે મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે 60 કરતા વધુ વર્ષ પહેલા મહિલા મંડળની સ્થાપના કરી તેમના સ્થાપક પ્રમુખ રહ્યા હતા. સમાજમાં ચાલતા કુરિવાજો જેવા કે બાળવિવાહ, દહેજ જેવા દૂષણો સામે પણ સામાજિક ચેતના જગાવવાનું કામ શ્રીમતી પ્રભાબેન શાહના નેતૃત્વમાં કરાયું હતું.
શ્રીમતી પ્રભાબેન શાહની તેમની સેવાના કદરના ભાગે આજે પદ્મ પુરસ્કારની જાહેરાત થતા સમગ્ર પંથક સહિત આજુબાજુના વિસ્તારમાં આનંદની લાગણી છવાઈ જવા પામી હતી.
અત્રે નોંધનીય છે કે, આરોગ્ય ક્ષેત્રે ઉમદા સેવા આપવા બદલ આ પહેલા દમણના ડો. એસ.એસ.વૈશ્ય અને વાપીના પરંતુ હાલમાં દમણ ખાતે સ્થાયી થયેલા શ્રી ગફુરભાઈ બિલખીયાને ગયા વર્ષે ઔદ્યોગિક અને સામાજિક સેવા માટે પદ્મ પુરસ્કારની નવાજેશ થઈ હતી.