April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડની સરકારી ઈજનેરી કોલેજે ઈનોવેશન ક્ષેત્રે રાષ્‍ટ્રીય લેવલ પર મેળવી નોંધપાત્ર સિદ્ધી

3.5 સ્‍ટાર રેટીંગ સાથે વલસાડની સરકારી ઈજનેરી કોલેજે
રાજ્‍યમાં
ઉત્કૃષ્ટ કોલેજ તરીકે સ્‍થાન મેળવ્‍યું 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

વલસાડ, તા.24: વલસાડની સરકારી ઈજનેરી કોલેજે ઈનોવેશન ક્ષેત્રે ફરી નોંધપાત્ર સિદ્ધી મેળવી છે. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય અંતર્ગત આવતા ઈનોવેશન સેલ દ્વારા વિવિધ શૈક્ષણિક સંસ્‍થાઓ અને યુનિવર્સિટીસમાં ઈન્‍સ્‍ટિટયૂશન્‍સ ઈનોવેશન કાઉન્‍સિલ (આઈઆઈસી)ની રચના કરવામાં આવી છે. જે તે સંસ્‍થા ખાતે રચાયેલી આઈઆઈસી દ્વારા મુખ્‍યત્‍વે સંસ્‍થા ખાતે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ/સ્‍પર્ધાઓ દ્વારા ઈનોવેશન અને આંત્રપ્રેન્‍યોરશીપને પ્રોત્‍સાહન આપવાના પ્રયત્‍નો કરવામાં આવે છે. સમગ્ર દેશની વિવિધ સંસ્‍થાઓની આઈઆઈસીની પ્રવૃત્તિઓનું રાષ્‍ટ્રીય સ્‍તરની સમિતિ દ્વારા સતત મૂલ્‍યાંકન કરવામાં આવે છે જે અન્‍વયે તેઓની કામગીરી અનુસાર સ્‍ટાર રેટીંગ્‍સ આપવામાં આવે છે. આઅંતર્ગત તાજેતરમાં જ શૈક્ષણિક વર્ષ 2022-23 અંતર્ગત વિવિધ સંસ્‍થાઓના ઈનોવેશન ક્ષેત્રે કરવામાં આવેલા પ્રદર્શનના આધારે આઈઆઈસીના રેટીંગ્‍સની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ઓલ ઈન્‍ડિયા કાઉન્‍સિલ ફોર ટેકનિકલ એજ્‍યુકેશનના ચેરમેન પ્રોફ. ટી.જી. સીતારામ, વાઇસ ચેરમેન અભય ઝરે તેમજ શૈક્ષણિક ક્ષેત્રના અન્‍ય મહાનુભાવો હાજર રહ્યા હતા. આ પરિણામો અનુસાર વલસાડની સરકારી ઈજનેરી કોલેજને 3.5 સ્‍ટાર રેટીંગ સાથે સમગ્ર રાજયમાં ઉત્કૃષ્ટ કોલેજ તરીકે સ્‍થાન પ્રાપ્ત થયુ છે.

સમગ્ર દેશમાં પણ વલસાડની સરકારી ઈજનેરી કોલેજે મોખરાની કોલેજોમાં સ્‍થાન મેળવ્‍યું છે. સમગ્ર દેશમાંથી અનેક નામાંકિત સંસ્‍થાઓ આ રેટીંગ્‍સમાં ભાગ લે છે ત્‍યારે વલસાડની સરકારી ઈજનેરી કોલેજ દ્વારા સતત ત્રીજા વર્ષે મેળવેલી આ સિધ્‍ધિ ખૂબ જ ગૌરવપૂર્ણ સાબિત થઈ છે. આ સિધ્‍ધિ દર્શાવે છે કે વલસાડની સરકારી ઇજનેર કોલેજ ખાતે કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ સંસ્‍થાના વિદ્યાર્થીઓને તેમની ઈજનેરી ક્ષેત્રના શિક્ષણ અને કારકિર્દીને અનેક રીતે લાભાન્‍વિત કરે છે. આ તબક્કે સંસ્‍થાના આચાર્ય ડો.વી.એસ.પુરાણી દ્વારા આઈઆઈસી પ્રેસિડેન્‍ટ ડો. રાજેશ માલણ, એસ.એસ.આઈ.પી (સ્‍ટુડન્‍ટ સ્‍ટાર્ટઅપ એન્‍ડ ઈનોવેશન પોલીસી) કો-ઓર્ડિનેટર ડો.કે.એલ મોકરીયાઅને તમામ ખાતાના વડાઓને શુભેચ્‍છાઓ પાઠવી હતી. આચાર્યશ્રીએ સંસ્‍થા ખાતે કાર્યરત આઈઆઈસી તેમજ એસએસઆઈઆઈપી સેલના સભ્‍યો પ્રોફ. શીરીશ પટેલ, પ્રોફ. નિતીન પટેલ, ડો.યોગેન્‍દ્ર ટંડેલ, પ્રોફ. વિજય વિસાવળીયા, પ્રોફ. હેમંત જરીવાલા, પ્રોફ. ભૂમિકા દોમડીયા, પ્રોફ. જીનલ પટેલ અને પ્રોફ. મીરા કુંવારાણીની સમગ્ર વર્ષ દરમિયાનની કામગીરીને બિરદાવી હતી.

Related posts

સરકાર દ્વારા પડતર પ્રશ્નોનું નિરાકરણ ન કરાતા ક્‍વોરી એસોસિએશને હડતાળનું શસ્ત્ર ઉગામતા ચીખલી સહિત નવસારી જિલ્લામાં બ્‍લેક ટ્રેપ ખનીજની 149 જેટલી લીઝ અને 70થી વધુ ક્રસર પ્‍લાન્‍ટો બંધ

vartmanpravah

નાનીવહીયાળ હાઈસ્‍કૂલને પ્રથમવાર કેન્‍દ્ર ફળવાતા- કુલ 332 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

vartmanpravah

વલસાડ તાલુકા કોળી પટેલ સમાજના ઉપક્રમે 118 તેજસ્‍વી તારલાઓનું કરાયેલું સન્‍માન

vartmanpravah

દાદરા નગર હવેલીમાં વડાપ્રધાનશ્રી મોદીજીના આગમનને આવકારવા વિવિધ કાર્યક્રમો યોજાયા

vartmanpravah

દાનહના ગલોન્‍ડા પંચાયત ખાતે સર્વ આદિવાસી સમાજ સંગઠન દ્વારા સ્‍વતંત્ર સેનાની જમની બા વરઠા ચોક જાહેર કરાયો : નામકરણ માટેના પ્રસ્‍તાવની નકલ ગલોન્‍ડા પંચાયત, જિલ્લા પંચાયત, જિલ્લા પ્રશાસન અને પ્રશાસકશ્રીને મોકલવામાં આવશે

vartmanpravah

ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન નામના માલિક કોણ?

vartmanpravah

Leave a Comment