Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સ્‍વાગત કાર્યક્રમ ખરા અર્થમાં પ્રજાના પ્રશ્નોનો સુખદ ઉકેલ લાવનાર સાબિત થયોઃ વલસાડના બે અરજદારનો જૂનો પ્રશ્ન ત્‍વરિત ઉકેલાયો

બંને અરજદારોએ જિલ્લા કક્ષાના સ્‍વાગત કાર્યક્રમમાં રાજ્‍ય સરકારશ્રી અને કલેકટરશ્રીનો આભાર વ્‍યક્‍ત કર્યો: બંધ સ્‍ટ્રીટ લાઈટ અને વીજ પોલ ખસેડવાનો પ્રશ્ન પાલિકા અને વીજ કંપની દ્વારા ઉકેલવામાં આવ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.24: વલસાડ જિલ્લા સ્‍વાગત-વ-ફરિયાદ નિવારણ કાર્યક્રમ પ્રજા માટે ઉપયોગી સાબિત થઈ રહ્યો છે જેના બે દૃષ્ટાંત નવેમ્‍બર માસના સ્‍વાગત કાર્યક્રમમાં જોવા મળ્‍યા હતા. જેની વિગત જોઈએ તો, વલસાડના હાલર ક્રોસ પાસે અમિત હોસ્‍પિટલ પાસે રહેતા સૈફુદ્દીન શબ્‍બીર વ્‍હોરાએ સ્‍વાગત કાર્યક્રમ અંતર્ગત તા. 3 નવેમ્‍બર 2023ના રોજ રજૂઆત કરી હતી કે, છેલ્લા 6 થી 8 મહિનાથી સાલીન એપાર્ટમેન્‍ટ પાસે સ્‍ટ્રીટ લાઈટ બંધ છે.વારંવાર રજૂઆત કરવા છતાં વલસાડ નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી થતી નથી. જે અરજી સ્‍વાગત કાર્યક્રમમાં સ્‍વીકારી પાલિકાના ચીફ ઓફિસરને મોકલવામાં આવી હતી. જેથી સીઓએ સ્‍થળ પર ટીમને રવાના કરી સ્‍ટ્રીટ લાઈટ રીપેર કરી આપી હતી. સ્‍વાગત કાર્યક્રમમાં હાજર રહેલા અરજદારે પોતાની ફરિયાદનો સ્‍વાગત કાર્યક્રમમાં સુખદ નિરાકરણ આવતા કલેકટરશ્રીનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો. બીજા એક કેસની વિગત જોઈએ તો, વલસાડના હાલર વશી ફળિયા ખાતે રહેતા સંજયકુમાર છોટુભાઈ વશીએ વીજ કંપની દ્વારા મુકવામાં આવેલો વીજ પોલ ખસેડવા અંગે તા. 9 નવેમ્‍બર 2023ના રોજ સ્‍વાગત કાર્યક્રમ હેઠળ રજૂઆત કરી હતી. જે અંગે જરૂરી કાર્યવાહી કરવા માટે અરજી વીજ કંપનીના વલસાડ શહેરના કાર્યપાલક ઈજનેરને મોકલવામાં આવી હતી. તેમના દ્વારા અરજદારના નિવાસ સ્‍થાને ટીમ રવાના કરાતા તાત્‍કાલિક અસરથી વીજ પોલ ખસેડવામાં આવ્‍યો હતો. તા.23 નવેમ્‍બર-2023ના રોજ કલેકટર કચેરીમાં યોજાયેલા જિલ્લા કક્ષાના સ્‍વાગત કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહી અરજદારે પોતાની ફરિયાદનો હકારાત્‍મક અને સુખદ નિકાલ કરવામાં આવ્‍યો હોવાથી રાજ્‍ય સરકારશ્રી અને જિલ્લા કલેકટરશ્રીનો આભાર માન્‍યો હતો. આમ, ખરા અર્થમાં સ્‍વાગત કાર્યક્રમ પ્રજાના પ્રશ્નોનું ત્‍વરિત નિરાકરણ લાવનાર સાબિત થઈરહ્યો છે.

Related posts

વાપી વીઆઈએમાં સુરતના રેન્‍જ આઈજી વી. ચંદ્રશેખરના અધ્‍યક્ષ સ્‍થાને લોક દરબાર યોજાયો

vartmanpravah

વલસાડ વિસ્‍તારમાં કાર ચાલકો બેફામ : વધુ ત્રણ ગૌવંશો ઉપર કાર ફરી વળતા ચકચાર

vartmanpravah

દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડીટોરિયમમાં ‘કલાઉત્‍સવ-2022’ની પ્રદેશ સ્‍તરીય યોજાયેલી સ્‍પર્ધા

vartmanpravah

નવસારીની તાતા ગર્લ્‍સ સ્‍કૂલ ખાતે ચિરાગ ભટ્ટનો મોટીવેશનલ સેમિનાર યોજાયો

vartmanpravah

વાપી રેલવે પુલનો પૂર્વ હિસ્‍સો તોડવાની કામગીરી મહદ્‌અંશે પુરી : સમય અવધિમાં પુલ તૈયાર થવાની વકી

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસનની પોલ્‍યુશન કંટ્રોલ કમીટિ દ્વારા અધિકૃત લાઈટ કનેક્‍શન નહીં ધરાવતી પી.એસ.એલ. કોરોઝન કંટ્રોલ સર્વિસિસ લિ.ને પોતાના ઉત્‍પાદનના ઓપરેટ માટે કન્‍સેન્‍ટ અપાતા મોટા ભેદભરમની જોવાઈ રહેલી શક્‍યતા

vartmanpravah

Leave a Comment