December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડામાં 3 સ્‍કૂલોમાં આશારામ બાપુના ફોટાની પૂજા-અર્ચના કરાવા બદલ 33 શિક્ષકોને નોટીસ ફટકારાઈ

સ્‍કૂલોમાં માતૃ-પિતૃવંદન કાર્યક્રમના થયેલ આયોજનો વિડીયો વાયરલ થતા થયેલી કાર્યવાહી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: કપરાડા વિસ્‍તારમાં આજે ચકચારી ઘટના ઘટી હતી. ત્રણ સ્‍કૂલોમાં આશારામ બાપુની પૂજા-અર્ચના કરાવવામાં આવતા 33 જેટલા શિક્ષકોને શિક્ષણ અધિકારી દ્વારા નોટિસ ફટકારાતા શિક્ષણ જગતમાં ચર્ચાઓએ જોર પકડયું હતું.
આશારામ બાપુના સેવકોની સંખ્‍યા વલસાડ જિલ્લામાં પણ વધુ છે. હજુ પણ આશારામ બાપુ આસ્‍થાના કેન્‍દ્ર બની રહ્યા છે તેવું સાબિત કરતી ઘટના કપરાડા વિસ્‍તારમાં આવેલ ત્રણ સ્‍કૂલમાં ઘટી છે. સ્‍કૂલના 33 જેટલા શિક્ષકો દ્વારા સ્‍કૂલમાં આશારામ બાપુની સેવા પૂજાનો કાર્યક્રમ માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ હેઠળ યોજાયો હતો. જેનો વિડીયો વાયરલ થતા શિક્ષણાધિકારીએ ભાગ લેનાર તમામ 33 શિક્ષકોને નોટિસ આપી જવાબો મંગાવ્‍યા છે. માતૃપિતૃ વંદના કાર્યક્રમ અને એક વર્ષ પહેલા વાપીમાં આશારામ અનુયાઈઓ આયોજન કરાયેલ પરંતુ આ કાર્યક્રમ મોરારજી સર્કલ જાહેર રોડ ઉપર કરાયો હતો તેથી કોઈ વિવાદ ઉભો થયો નહોતો.

Related posts

વૈશાલી મર્ડર કેસની મુખ્‍ય આરોપી બબીતા શર્માને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બે દિવસના રિમાન્‍ડ મંજૂર કર્યા

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશન ઉપર જીઆરડી જવાન ફરિસ્‍તો બન્‍યો: ટ્રેક ઉપર પડી ગયેલ વૃધ્‍ધનો જીવ ક્ષણોમાં બચ્‍યો

vartmanpravah

ચીખલી પોલીસે થાલા નેશનલ હાઈવે પરથી પશુ આહારની આડમાં લઈ જવાતો રૂા.2.60 લાખનો વિદેશી દારૂ સાથે બે ને ઝડપી પાડ્‍યા

vartmanpravah

નવસારીમાં રામકથાના પૂર્ણાહૂતિના દિવસે ગૃહ રાજ્‍યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પૂ.મોરારી બાપુના લીધેલા આશીર્વાદ

vartmanpravah

દાનહ અને દમણ-દીવ ભાજપ દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરની પુણ્‍યતિથિ નિમિત્તે મહાપરિનિર્વાણ દિવસ ઉજવાયો

vartmanpravah

વાપીના સિક્કાની બીજી બાજું-ભડકમોરા સુંદરનગર વિસ્‍તારમાં પથરાયેલા નર્કાગારમાં જીંદગી શ્વસી રહી છે

vartmanpravah

Leave a Comment