April 25, 2024
Vartman Pravah
Breaking Newsદમણ

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ‘આઝાદીકા અમૃત મહોત્સવ’ અંતર્ગત મંગળવારથી બે દિવસ માટે દમણના કોળી સમાજના હોલમાં વાણિજ્ય ઉત્સવ(ઍક્સ્પો)નું આયોજન

૨૧ અને ૨૨ સપ્ટેમ્બર સુધી ચાલનારા ઍક્સ્પોમાં ઍક્સપોર્ટ ઓરિઍન્ટેડ ઍકમોને ભારત સરકાર દ્વારા મળતા વિવિધ પ્રોત્સાહનો અને યોજનાઓની પણ અપનારી જાણકારી

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા. ૧૯ઃ સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા મંગળવારે નાની દમણ ભેેંસરોડ ખાતે આવેલ કોળી સમાજના હોલમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ભારત સરકારના દિશા-નિર્દેશ હેઠળ વાણિજ્ય ઉત્સવ(ઍક્સ્પો)નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધ સિન્થેટિક ઍન્ડ રેયોન ટેક્સટાઈલ ઍક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ (ઍસઆરટીઈપીસી) મુંબઈ અને ડાયરેક્ટર જનરલ અોફ ફોરેન ટ્રેડ(ડીજીઍફટી) નવી દિલ્હી આ ઍક્સ્પોમાં ભાગ લઈ ભારત સરકારની વિવિધ યોજનાઓના લાભ અને ઈન્સેટિવ્સની બાબતમાં જાણકારી આપશે.
વાણિજ્ય ઉત્સવ આયોજન કરવાનો મુખ્ય હેતુ આપણા દેશના ઉત્પાદનો અને સેવાઓની બાબતમાં જાણકારી ફેલાવવી અને નિકાસકર્તા ઍકમોના ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો છે. ૨૧ અને ૨૨મી સપ્ટેમ્બર સુધી ચાલનારા વાણિજ્ય ઉત્સવમાં વિવિધ ઍક્સ્પોર્ટ યુનિટો ભાગ લઈ પોતાના ઉત્પાદનોનું પ્રદર્શન પણ કરશે.

Related posts

રાનકુવામાં ત્રણ બકરીનો શિકાર બાદ કુકેરી ગામે ફરીથી બકરીનો શિકાર કરતા સ્‍થાનિકોમાં ગભરાહત

vartmanpravah

નાસિકથી વલસાડ આવી રહેલ ઍસટી બસની કપરાડા ઘાટ ઉપર બ્રેક ફેઈલ થતા ડિવાઈડર પર ચઢી ગઈ

vartmanpravah

JEE-મેઈનની જુલાઈ-2022ની પરીક્ષા શરૂ: દમણ જિલ્લામાં પ્રથમ દિવસે કુલ 83 વિદ્યાર્થીઓએ આપેલી પરીક્ષા

vartmanpravah

બાગાયતી યોજનાઓનો લાભ મેળવવા ખેડૂતો તા.30મી એપ્રિલ સુધી ઓન લાઈન અરજી કરી શકશે

vartmanpravah

સંઘપ્રદેશ થ્રીડીમાં કોવિડ-19ને કારણે મૃત્‍યુ પામેલા વ્‍યક્‍તિઓના નજીકના સંબધિત પરિજનોને રૂપિયા પચાસ હજારની સહાય આપવા બહાર પડાયેલું જાહેરનામું

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવની સરકારી શાળાના શિક્ષકોને મળ્‍યું નવા ક્ષમતા નિર્માણના અવસરનું સામર્થ્‍ય શારીરિક શિક્ષણ વિષયના શિક્ષકોને લાઈફ સ્‍કિલ થ્રુ ફૂટબોલના માધ્‍યમથી જીવન કૌશલ શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment