December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગણદેવીના દેસાડ અને જલારામ મંદિર પાસે રાજ્‍ય ધોરી માર્ગ ઉપર તંત્રએ સ્‍પીડ બ્રેકર મુક્‍યા પરંતુ ચેતવણી દર્શક બોર્ડ મુકવાનું ભુલી ગયા?

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.03: ચીખલી નવસારી રાજયધોરી માર્ગ ઉપર ગણદેવી સુગર ફેકટરી ચાર રસ્‍તા પાસે માર્ગ મકાન વિભાગ દ્વારા સ્‍પીડ બ્રેકરો મુકાયા પરંતુ ચેતવણી દર્શક બોર્ડ ન મુકાતા વાહન ચાલકો માટે અકસ્‍માતનું જોખમ ઉભું થવા પામ્‍યું છે. લોકોની સુવિધા માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરાતો હોય છે. પરંતુ અધિકારીઓની અણ આવડતને પગલે સુવિધાના સ્‍થાને દુવિધામાં વધારો થતો હોય છે.
તાજેતરમાં માર્ગ મકાન વિભાગ દ્વારા વસુધરા ડેરી અલીપોર હાઈવે થી ગણદેવી થઈ નવસારીને જોડતા રાજ્‍ય ધોરી માર્ગનું કરોડો રૂપિયાના ખર્ચે વિસ્‍તૃતિકરણ કરી નવીનકરણ કરાયુંછે.પરંતુ માર્ગ મકાન વિભાગના જવાબદાર અધિકારીઓને વાહન ચાલકોની સલામતીની કોઈ પરવા ન હોય તેમ આ રાજ્‍ય ધોરીમાર્ગ ઉપર ગણદેવીમાં સુગર ફેકટરી સ્‍થિત જલારામ બાપાના મંદિર અને દેસાડ પાટિયા પાસેના ચાર રસ્‍તા પર બન્ને તરફ સ્‍પીડ બ્રેકર (બમ્‍પ) મુકવામાં આવ્‍યા છે. પરંતુ આ સ્‍પીડ બ્રેકર આવતો હોવાથી વાહન ચાલકોને સાવચેત કરવા માટે ચેતવણી દર્શક બોર્ડ લગાવાયા નથી. જેને પગલે ખાસ કરીને અચાનક બ્રેક મારવાની સ્‍થિતિમાં ટુ હીલર વાહન ચાલકો કફોડી સ્‍થિતિમાં મુકાઈ જતા હોય છે અને તેઓને સતત અકસ્‍માતનો ભય સતાવતો હોય છે.
ઉપરોક્‍ત સ્‍થિતિમાં માર્ગ મકાન વિભાગના અધિકારીઓને સ્‍પીડ બ્રેકર મુકતાની સાથે ચેતવણી દર્શક બોર્ડ મુકવાનું કેમ સૂઝ્‍યું નથી? ત્‍યારે લોકોની સલામતી માટે લાપરવાહી દાખવતા અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Related posts

ડૂબી જતાં મહિલાનુ મોતઃ અરનાલા ગામની કોલક નદીમાં કપડાં ધોવા ગયેલી મહિલા ડૂબી જવાથી મોત

vartmanpravah

દાનહ-દમણમાં મંગળવારે એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં નોંધાયા

vartmanpravah

‘સબકી યોજના, સબકા વિકાસ’ યોજના અંતર્ગત યોજાયેલી ગ્રામસભામાં દમણ જિલ્લાની આટિયાવાડને વિકસિત અને મોડેલ ગ્રામ પંચાયત બનાવવા સરપંચ ઉર્વશીબેન પટેલનો નિર્ધાર

vartmanpravah

મહારાષ્‍ટ્રના પાલઘર નજીક આવેલ ભૂકંપના આંચકાની અસર દાનહના વિવિધ ગામમાં પણ અનુભવાયા

vartmanpravah

દીવ ખાતે લાખો રૂપિયાનો દારૂ પોલીસએ પકડી પાડયો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

vartmanpravah

સરીગામ પંચાયતનુ શાસન અસ્‍થિરતા તરફ: સરપંચ સહદેવ વઘાતના અધ્‍યક્ષતા હેઠળ રજૂ થયેલું બજેટ 9 ની સામે 11 સભ્‍યોની બહુમતીથી નામંજૂર

vartmanpravah

Leave a Comment