પથ્થરમારામાં ઘાયલ એક મહિલા અને બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.28: વલસાડમાં બુધવારે સાંજે 8 વાગ્યાના સુમારે ગુંદલાવમાં મેળો જોવા પરિવાર સાથે નિકળેલ કાર ઉપર કેટલાક અસામાજીકોએ અંધાધુંધ પથ્થરમારો કર્યો હતો. જેમાં કારના કાચ તૂટી કારમાં બેઠેલી મહિલા અને એક બાળક ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
વલસાડમાં મોરા રોડ ઉપર એતેકરામ એપાર્ટમેન્ટમાં રહેતા તહનુમેદ પઠાણ અને ભાઈ વસીમ શેખ પરિવાર સહિત ગુંદલાવ મેળામાં જવા સાંજે 7 વાગ્યાના સુમારેઘરેથી નિકળ્યા હતા. રસ્તામાં કૈલાસ રોડ ઉપર એસ.ટી.એમમાં પૈસા કાઢવા રોકાયેલ તે સમયે એ.ટી.એમમાં બે યુવાનો સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી. બાદમાં પરિવાર કાર લઈને ગુંદલાવ મેળામાં પોતાની કાર નં.એમએચ 02 ડીએ 5045 લઈને પહોંચ્યો હતો ત્યારે કાર પાર્ક કરી તે દરમિયાન સાતથી આઠ યુવાનોએ કાર ઉપર પથ્થરમારો કરેલો. જેમાં કારમાં બેઠેલા તસનુમબેન અને બાળક ગંભીર રીતે ઘાયલ થયા હતા. બન્નેને કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. ઘટના દરમિયાન પલસર લઈ ભાગેલા બે યુવાનની બાઈક નં.જીજે 15 ડીએસ 2945નો ફોટો તહનુમેદ પઠાણે પાડી દીધો હતો. ઘટના અંગે પોલીસમાં જાણ કરવામાં આવી હતી.