September 1, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે મોટી દમણ કિલ્લાની મુલાકાત લઈ કરેલું નિરીક્ષણઃ કિલ્લા પરિસરની અંદર ઔર વધુ સૌંદર્યકરણ માટે અધિકારીઓને આપેલા દિશા-નિર્દેશ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.28 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે સાંજે મોટી દમણ કિલ્લાની મુલાકાત લઈ ઉપસ્‍થિત અધિકારીઓ અને કર્મચારીઓને કિલ્લા પરિસરની અંદર સૌંદર્યકરણ માટે જરૂરી દિશા-નિર્દેશો આપ્‍યા હતા.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે કિલ્લા તરફ ફરવા આવેલા પ્રવાસીઓ સાથે પણ વાતચીત કરી તેમના અનુભવની જાણકારી મેળવી હતી. તેમણે પ્રવાસીઓને દમણ પ્રવાસ દરમિયાન કોઈપણ પ્રકારની અસુવિધા તો નથી પડી? તે બાબતે પણ જાણવાનો પ્રયાસ કર્યો હતો.
અત્રે યાદ રહે કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે મોટી દમણ કિલ્લાના નવજીવન માટે અથાક પ્રયાસો કર્યાછે. પહેલાં કિલ્લા ઉપર સરળતાથી ફરી શકવાની કોઈ શક્‍યતા જ નહીં હતી. ઠેર ઠેર ઝાડ, ઝાંખરા અને ગંદકીથી પથરાયેલો કિલ્લાના ઉપરનો વિસ્‍તાર હતો. પ્રશાસકશ્રીએ એક છેડેથી બીજા છેડા સુધી સરળ અને સહજતાથી અવાગમન થઈ શકે એવી વ્‍યવસ્‍થા ઉભી કરવા પોતાના તનતોડ પ્રયાસો કર્યા હતા. જેના પરિણામે આજે દમણના દરિયા કિનારાની સાથે સાથે મોટી દમણ કિલ્લો પણ જોવા લાયક બન્‍યો છે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની મોટી દમણ કિલ્લાની મુલાકાત દરમિયાન નાણાં સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવત, દમણ કલેક્‍ટર શ્રી સૌરભ મિશ્રા તથા પ્રશાસકશ્રીના ઓ.એસ.ડી. સુશ્રી ચાર્મી પારેખ સહિત અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સિકલસેલ એનિમિયા નાબૂદી મિશનનો રાજ્ય કક્ષાનો કાર્યક્રમ તા. ૨૭ જૂને હરિયા પીએચસીમાં યોજાશે

vartmanpravah

ચીખલીમાં ઓબીસી સમાજના આગેવાનો દ્વારા મામલતદારને આવેદપત્ર અપાયું

vartmanpravah

વાપી નૂતનનગરમાં વિજ કંપનીએ નડતરરૂપ ઝાડ કાપી જયાં ત્‍યા મૂકી રાખ્‍યા: સ્‍થાનિક રહિશો માટે ઝાડ નડતરરૂપ બની રહ્યા હોવાથી રોષ

vartmanpravah

સાયલીની એ.વાય.એમ. સિન્‍ટેક્ષ કંપનીમાં શનિવારે મળસ્‍કે ફાટી નિકળેલી આગઃ જાનહાની ટળી

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં ગેરકાયદે તમાકુ પેકીંગ કરતી કંપની ઝડપાઈ : પોલીસે સીલ કરી

vartmanpravah

ધરમપુરના બામટીમાં હૃદય રોગ નિવારણ અભિયાન હેઠળ યોગ શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment