February 4, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવની શાળાઓમાં ગુરૂ પૂર્ણિમા પર્વની કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.13
દાદરા નગર હવેલી અને દમણ-દીવની તમામ શાળામાં ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. દરમિયાન કાર્યક્રમમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સરસ્‍વતી દેવીની પૂજા-અર્ચના કરી મહર્ષિ વેદ વ્‍યાસની તસ્‍વીરને પુષ્‍પમાળા અર્પણ કરી હતી. બાળકોના જીવનના દરેક અંધકારને દૂર કરવા માટે ગુરુવંદના સાથે ગુરુ પૂજા કરવામાં આવી હતી. આ અવસરે વિદ્યાર્થીઓ દ્વારા વાલીઓનું પણ સત્‍કાર પૂજન કર્યુ હતું. શિક્ષકોએ બાળકોને શિક્ષણ સાથે સંસ્‍કારની પણ શીખ આપી હતી અને જણાવ્‍યું હતું કે આપણે માતાપિતા અને ગુરુજનોનું હંમેશા સન્‍માન કરવું જોઈએ અને એમના બતાવેલ માર્ગ પર આગળ વધી એમનું નામ ઉજ્જવળ કરવાની કોશિશ કરવી જોઈએ. વાલીઓએ પણ દરેક ગુરુઓને ગુરુપૂર્ણિમાના ઉત્‍સવ પર એમના ગુરુજનોની પૂજા અને સન્‍માન કરવા પ્રેરિત કર્યા હતા. આ પ્રસંગેબાળકોએ જણાવ્‍યું કે સંસારમાં પ્રત્‍યેક મનુષ્‍યનો ગુરુ અવશ્‍ય હોય છે જે પોતાના શિષ્‍યને આગળ વધતા જોઈ ખુશ થાય છે. કોઈપણ માણસની માં પહેલા ગુરુ હોય છે જે આપણને સાંસારિક મૂલ્‍યોને પ્રદાન કરે છે. ગુરુ જ છે જે જીવનના ભવસાગરને પાર કરવા માટેનું શિક્ષણ આપી શકે છે. આ દિવસ ગુરુઓના સન્‍માનનો દિવસ છે.
અત્રે યાદ રહે કે, મહર્ષિ વેદ વ્‍યાસને સમસ્‍ત માનવજાતિના ગુરુ માનવામાં આવે છે અને એમના જન્‍મદિવસના ઉપલક્ષમાં ગુરુપૂર્ણિમાનું પર્વ ઉજવવામાં આવે છે.

Related posts

વલસાડ જિલ્લામાં જાહેર અને ખાનગી ક્ષેત્રના એકમોની ચકાસણીમાં 5 એકમોને નોટીસ ફટકારાઈ

vartmanpravah

હાઈવે ઉપર પાણી ફરી વળતા વાપી-ચીખલી હાઈવે ઉપર હજારો વાહનોના પૈંડા થંભી ગયા

vartmanpravah

દમણ-દીવ જિલ્લા બાળ સુરક્ષા એકમે નિરાધાર બાળકો અંગે જાણ કરવા જાહેર જનતાને કરેલી અપીલ

vartmanpravah

તુંબ ગ્રામ પંચાયતનું બજેટ ત્રીજી વાર નામંજુર

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા ચીંચપાડા અને કુડાચા ગામે દમણગંગા નદીમાંથી રેતી ચોરી કરતા ઝડપી પાડયા

vartmanpravah

દાનહમાં છેવાડેના ગામોના સેંકડો આદિવાસી યુવાનો-બહેનોએ વિધિવત કરેલો ભાજપમાં પ્રવેશ

vartmanpravah

Leave a Comment