(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.07: વાપી ખાતે આવેલ આર.એસ.ઝુનઝુનવાલા ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓમાં ટ્રાફિક નિયમ, સાઈબર ક્રાઈમ, નારકોટિસ જેવા વિષયો પર જાગૃતિ માટે ખાસ કાર્યક્રમ વલસાડ જિલ્લા પોલિસ અધિક્ષક ડો. કરણરાજ વાઘેલાની સૂચના મુજબ વાપી ડિવિઝનના ડીવાયએસપી શ્રી કુલદિપ નાઈના માર્ગદર્શનમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં સામાજીક શ્રેત્રે ટેકનોલોજીના માધ્યમથી થતા ફ્રોડ, નાણાંકીય વહેવારોમાં લીંક અને ઓટીપીના માધ્યમથી થતા ગુનાઓને કેવી રીતે અટકાવી શકાય, નાના બાળકોને સ્કૂલના અભ્યાસ દરમ્યાન નશાખોરીના માયાજાળથી કેવી રીતે સુરક્ષિત રહી પોતાના અભ્યાસમાં આગળ વધવું તેમજ ટ્રાફિક સમસ્યા અને નિયમોનું કેવી રીતે પાલન કરી દેશમાં પોતાનું યોગદાન આપવા સંદર્ભમાં પોલીસ અધિકારીશ્રી કુલદિપ નાઈ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ પ્રસંગે શાળાના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી નિલેશભાઈ રાઠોડ, પ્રિન્સીપલ ડો. રીચા શાહ, જીલ્લા ભાજપના સોશિયલ મીડીયા ઈન્ચાજ શ્રી હિતેશભાઈ સુરતી, નગરસેવક શ્રી પંકજભાઈ પટેલ, શ્રી વિનયભાઈ વાડીવાલા, શ્રી દિલિપભાઈ ઠક્કર, શ્રી વિમલભાઈ મિષાી, શ્રી લાલજીભાઈભાનુશાલી, સહિત આગેવાનો વાલી મંડળો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.